________________
Sજી
श्री
Ajay
IL (શાપકો
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ
મુંબઈ, તા. ૩-૧૦-૩૩ ને ભોમ. વીર-સંવત્ ૨૪૫૯ અંક ૧ લો. આશ્વિન-પૂર્ણિમા.
વિક્રમ , ૧૯૮૯ નૂતન વર્ષમાં પ્રવેશ શ્રીસિદ્ધચક્ર પાક્ષિકને પ્રથમવર્ષ પુરૂ થયું છે. દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરવાનું થાય છે, તેમાં તેના ધાર્મિક વૃત્તિના વાંચકોએ સામાન્ય રીતે સારો રસ લીધો છે, છતાં શ્રી સિદ્ધચક્ર મહારાજની પવિત્ર યાદગીરીમાં અને તેમનાજ અંગને નિરૂપણ કરનાર, વૃદ્ધિગત કરનાર, પ્રેરણા કરનાર, તેમજ તેમના અવયવોની શોભામાં ભવ્યજીવોને રસ લેતાં કરનાર આ પત્ર હોવાથી હજી તેના વાંચકોની સંખ્યા સેકડો ગુણી થવાની જરૂર છે, પણ એક વર્ષ માત્રની