________________
૩૮૦
તા.૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર ભવિષ્યના ભવોની ઉત્તમ દશા જાણવામાં આવતાં દરેક સુજ્ઞ શ્રદ્ધાવાન મહાપુરુષો હર્ષને ધારણ કરે છે, અને તેથી કદાચ એમ લાગે કે ભવ્ય શરીર નામનો દ્રવ્યનિક્ષેપો કરવા કરતાં ભવ્ય પર્યાય નામનો દ્રવ્યનિક્ષેપો કરવો તે અત્યંત યુક્ત હતું પણ ભવિષ્યના ભવોની સ્થિતિને વર્તમાન ભવોની સ્થિતિ સાથે મોટું આંતરૂં હોવાથી તેમજ સાંભળનાર કે જાણનારને તેવું નિયમિત સતત આરાધન કરવું અસંભવિત કે અશકય હોવાથી ભવ્ય પર્યાય નામનો નિક્ષેપો કર્યો નથી, પણ જે ભવમાં તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થવાની હોય છે તે ભવમાં જીવ જયારથી દાખલ થાય ત્યારથી તે ભવિષ્યના ઉત્તમ પર્યાયની અપેક્ષાએ આરાધક થાય છે. તેમજ ભવિષ્યના ઉત્તમ પર્યાયોના આરાધ્યપણાને લીધે તે ઉત્તમ પર્યાયોની પ્રાપ્તિ થવા પહેલાં પણ તેવાઓને મહાપુરુષ ગણી આરાધના કરવામાં આવે છે. આ જ કારણથી સમસ્ત ઈદ્ર મહારાજાઓ જિનેશ્વર ભગવાનના ગર્ભ, જન્મ અને દીક્ષારૂપી ત્રણ કલ્યાણકોની આરાધના સંપૂર્ણ ભાવથી કરે છે, એટલું જ નહિ પણ જિનેશ્વર ભગવાનના માતપિતાની પણ ભક્તિ ઈદ્રો તરફથી જે કરવામાં આવે છે તે પણ ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપાને જ આભારી છે.
આ ઉપરથી જેઓ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ફળસાધક તરીકે તીર્થકર નામનો ઉદય થતો જાણીને કૈવલ્ય સિવાયની ભગવાન તીર્થંકરની ગર્ભથી કૈવલ્ય સુધીની અવસ્થાને દેવ તરીકે માનવા તૈયાર ન થતા હોય તેઓએ જિનેશ્વર ભગવાનના નિર્જીવ શરીરની થતી ભક્તિમાં દેવતત્વની આરાધ : ગણવી જોઈએ નહિ, બારીક બુદ્ધિથી જોનારને તો સ્પષ્ટ માલમ પડશે કે જ્ઞશરીરની અવસ્થા વખતે તો તીર્થકર નામકર્મ સર્વથા નાશજ પામેલું છે તેથી તે જ્ઞશરીરપણાની વખત તો તીર્થંકરપણું માનવું કેવળ કારણદ્વારાએ જ થાય છે, જે મારે ભવ્ય પર્યાયની અપેક્ષાએ તો ગર્ભાવતારથી તો શું પણ તેના ઘણા પૂર્વકાળથી તીર્થકર નામકર્મનો પ્રદેશોદય રહેલો જ છે, તો ભવિષ્યના પર્યાયને પામવાવાળા ઉત્તમ જીવના આધારભૂત ભવ્ય શરીરના આરાધનમાં ઘણીજ શ્રેષ્ઠતા માનવી જોઈએ, અને આજ કારણથી ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકો પણ કેવળજ્ઞાન અને નિર્વાણની માફક અરિહંત દેવના જ કહેવાય છે, જો ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને ન માનીએ અને કેવળ કેવળજ્ઞાનીપણામાં ભાવ તીર્થકર માનીએ તે અવસ્થામાં જ દેવપણું માનીએ તો ભગવાન અરિહંત દેવના પાંચ કલ્યાણકો કહી શકાય જ નહિ, શાસ્ત્રકાર મહારાજાઓ તો ગર્ભ અવસ્થાની વખતે વર્ણન કરતાં જ કહે છે કે “સંયoff aઉમે ઋસિ મહાયો રા' એટલે કે મહાયશસ્વી અહંનું ભગવાન જે રાત્રિએ માતાની કુક્ષિમાં પધારે છે તે રાત્રિ સર્વ તીર્થકરની માતાઓ ગજવૃષભાદિક ચૌદ સ્વપ્નો દેખે છે, આ ઉપરથી ગર્ભાવતારની વખતે પણ શાસ્ત્રકારો પણ તીર્થકરની વખતે જણાવે છે. વળી “સમને ભાવે મહાવીરે વંવદત્યુત્તરે