SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ તા.૨૯-૪-૩૪ શ્રી સિદ્ધચક્ર રાજ્ય પુતળા સરખા રાજાને બેસાડી વહીવટ એજ કરશે. જેને રાજ્ય ભયંકર લાગતું હતું તે પુત્ર રાજ્યથી કેમ ખસે? કેમ આ બાળકને દુર્ગતિથી બચાવું, આ સ્થિતિ શ્રાવકોની હતી. આવા સુખોથી પણ જે ડરનાર હોય તેને નિર્વેદવાળા કહીએ. ચક્રવર્તી કે ઈદ્રના સુખને દુઃખરૂપ ગણે. નિર્વેદમાં ચારે ગતિથી કંટાળો હોવો જોઇએ. એની દૃષ્ટિ પોતાના કૈવલ્યાદિક સ્વરૂપે પ્રગટ કરવા તરફ જ હોય. સમકિત મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરે નહિ. નાગસારથિની સ્ત્રી સુલસા શ્રાવિકા. કોઈપણ પ્રકારે સંતાન થયું નથી. ઉંમર વીતી જવા આવી છે. ભરતાર અફસોસ કરે છે. તુલસા કહી દે છે કે હું સંસારને ફાંસારૂપ માનું છું, તમે ખુશીથી બીજી સ્ત્રી પરણો. ત્યારે નાગસારથિ જણાવે છે કે પુત્ર થાવ કે ન થાવ બીજી સ્ત્રી કરવી નથી. સુલતાને કેટલાક કાળે દેવતા તુષ્ટમાન થયો. ઘરમાં પુત્ર પ્રાપ્તિ વગર પતિ ઝુર્યા કરે છે. આવા વખતે દેવતા તુષ્ટમાન થયો છે. દેવતા માગવાનું કહે છે. માગે તે આપવાનું કહે છે. મારું માગ્યું તારાથી આપી શકાય તેમ નથી. તું આપે એવી વસ્તુની મને ન્યૂનતા નથી. દેવતા બોલાવેલો નથી. હાજર થયેલો છે. વરદાન માગવાનું કહે છે ત્યારે શ્રાવિકા જણાવે છે કે મોક્ષમાર્ગ માહેલું તારાથી આપી શકાય તેમ નથી. તે વખતની શ્રાવિકાઓ પણ આટલી દઢ હતી. છેવટે દેવતાએ કહ્યું કે દેવનું દર્શન નિષ્ફળ ન જાય માટે પતિને સંતોષ થાય તેવું આપ. હું માગતી નથી. આ પરિણતિ શાના અંગે ? એકજ વસ્તુને અંગે. સમકિતદષ્ટિને મોક્ષ સિવાય બીજા મનોરથ હોય નહિ. બીજી આવી પડેલી ગણાય. - હવે મૂળ વાતમાં આવીએ. જે આ તીર્થકર મહારાજા વિગેરેના વચન રૂપી દીવાએ આ કેવળજ્ઞાન અને મોક્ષની ચીજ દેખાડી તે તરફ ધ્યાન લાગ્યું છે, તે કેવળજ્ઞાન સિદ્ધ સમાનપણું તે સમ્યકત્વ ઉત્પન્ન થાય તે વખત જે આનંદ થાય, જે ઉલ્લાસ થાય તે બીજી વખત હોય નહિ. એ વખતે એટલી નિર્જરા એટલો ભાવોલ્લાસ કેમ ? ચોપડામાં રકમ દેખી તે વખતનો આનંદ લાખ મળ્યા તે વખતના આનંદ જેટલો હોતો નથી. આટલી બધી નિર્જશ, ભાવોલ્લાસ શાથી ? આત્મામાં રત્ન દેખાડયું દેખ્યું ને માન્યું. આ આત્માના ચોપડામાં પૈસાના માટે પાંચની ખુશામત કરે, તેમ સ્પર્શ જાણવા માટે સ્પર્શેન્દ્રિયની ખુશામત કરવા લાગ્યો પણ કેવળજ્ઞાન રૂપી રકમ દેખે તે વખતનો આનંદ બીજી વખત આવતો નથી. કેવળજ્ઞાન જાણ્યું માન્યું ઉત્પન્ન થવાના સાધનો હાથમાં આવ્યા ઉપાયો જાણ્યાં. જ્યાં રકમ જાણી આવા દરિદ્રનારાયણે લાખની રકમ જાણી તેના મેળવવાનાં સાધનો જાણ્યાં, આ વખત અપૂર્વ આનંદ થાય તેમાં નવાઈ શી ? પણ આ બધાનો આધાર વચન દીપક, નથી આત્માને આપણે જોયો, આશ્રવ કે સંવર આપણે જોયા નથી, માટે તીર્થંકરની આજ્ઞાથી પુન્યપાપ બનતા નથી પણ જાણવાના તેમની આજ્ઞાકારાએ પછી હેય, ઉપાદેય તરીકે જાણી વિભાગ કરવાના. હીરા અને પત્થરાના ઢગલામાંથી હીરાપન્થરા જુદા કરવામાં અજવાળાની જરૂર. હેયને
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy