________________
તા. ૨૯-૪-૩૪
૩૫૮
શ્રી સિદ્ધચક્ર છે. તેમ દીક્ષિતો રિદ્ધિ, કુટુંબકબીલો, ધનમાલ, બાયડી છોકરાંને ઘરના શત્રુ ગણે. નિયાણું કરે કે બીજા ભવે એવી જગાપર જળ્યું કે જ્યાં રિદ્ધિ, કુટુંબાદિક ન હોય. શા માટે આ નિયાણું કરે છે ? બીજા ભવે રિદ્ધિ, કુટુંબાદિક ન હોય તો જલદી સાધુપણું મળી જાય. તે વખતે સાધુ થનારાને પોતાના આત્માના ચારિત્ર મોહનીય નાશ પામ્યા છતાં અંતઃપ્રતિબંધકોથી કેટલું વેઠવું પડતું હશે? ભગવાન મહાવીરે જણાવ્યું કે કે તમારા આત્માને બળવાન સમજો છો કે નિર્બળ. તો આત્મા ઉપર મજબુત રહો. આટલી તમારામાં મજબુતી છે તેટલી ન્યૂનતા છે કે નિયાણું કરો છો. આવું નિયાણું કરશો તો મોક્ષ દૂર જશે. જો કે નિયાણું ત્યાગ, સંયમ માટે કર્યું છે. નિર્વેિદનપણા માટે કર્યું છતાં આત્માએ મજબુતી રાખવી જોઈએ. જો કુદરત ઉપર આધાર રાખવા ગયો તો મોક્ષ મળે નહિ.
પ્રાચીનકાળમાં સાધુઓ સંયમને પ્રતિબંધ કરનારી ચીજોથી કેવા કંટાળ્યા હશે કે આવા નિયાણાના પ્રસંગો ઉભા થયા હશે. જ્યારે પુરા કંટાળ્યા હોય, આખી જીંદગી એ પ્રસંગ ભૂલ્યા ન હોય ત્યારે એવું નિયાણું કરવાનો વખત આવે. ચાલુ પ્રસંગમાં એટલા પુરતી વાત લેવી છે કે કથંચિત્ તે મદદગાર થઈ શકે છે.
પુન્યોદયથી જે થાય તેની પ્રતિજ્ઞા કરો. પ્રતિજ્ઞા ન કરો તો પાપ લાગવાનું. પુન્યોદયથી મળેલી ચીજના પચ્ચખાણ મળી હોય તો પણ પચ્ચખાણ કરવા લાયક, ન મળી હોય તો પણ પચ્ચખ્ખાણ કરવા લાયક. પુન્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચખ્ખાણ કરવા લાયક.
પાપના ઉદયે થવાવાળી ચીજના પચ્ચખ્ખાણ હોય નહિ. ભૂખ્યા રહેવાના પચ્ચખાણ કરો. મારે દરેક મિનિટે ખાવું એવા પચ્ચખ્ખાણ કરાય? ખાવાનું પ્રાપ્ત થાય તે શાતા વેદનીના ઉદયનું, પ્રાપ્ત ન થાય તે અંતરાયના ઉદયનું. જે શાતા વેદનીના ઉદયથી પ્રાપ્ત થવાનું હતું તેના પચ્ચખ્ખાણ જણાવ્યા પણ ભૂખ્યા રહેવાનું જે પાપના ઉદયથી તેનું પચ્ચખાણ જણાવ્યું નહિ.
શાસ્ત્રકારો કહે છે કે પાપનો ઉદય પ્રેરણા કરી કરો પુન્યનો ઉદય ધક્કો મારી ખસેડો. આ વચનો તમને નહિ ગમે. પાપનો ઉદય પરાણે લાવો, પુન્યનો ઉદય પલટાવી નાખો આનું નામ ધર્મ. બહાર તડકો પડી રહ્યો છે, તેમાં ઉભા રહી આતાપના કરો તો ધર્મ. લોચ કરતાં ધર્મ થયો. કુટુંબાદિક પુન્યથી મળ્યા તેને છોડો તો ધર્મ થયો, પાપને પરાણે ઉદયમાં લાવો તો ધર્મ મનાય. આ વાત કબુલ કરવા અંતઃકરણ તૈયાર છે? માને છે, બોલે છે, હજુ આવી માન્યતા થતી નથી. ચાણકયના બાપને છોકરો દાંતવાળો જભ્યો તેમાં ભયંકરતા કેમ ભાસી ? અમે શ્રાવક એમ કહેનારાએ આ દશા ખ્યાલમાં રાખવી. રાજ્ય પામવાની વાત ભયંકર ગણે છે. રાજયાદિકને ભયંકર ગણનારાઓ જ શ્રાવકો. તેવા શ્રાવકો રાજ્ય સાંભળી કંપી ઉઠે છે. તાજા જન્મેલા બચ્ચાના દાંત કાનસથી ઘસી નાખ્યા એટલે છોકરાની પીડાની ગણતરી ખરી? એ છતાં ઘસી નાખ્યા. ફેર આચાર્ય પાસે ગયો. હવે તો નરકે નહિ જાયને? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે સાક્ષાત્ રાજા નહિ થાય પણ