________________
૩૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪ નરકાદિક ગતિમાં રખડનારો થશે. જન્મેલો બાળક કેટલી કુમળી અવસ્થામાં હોય, તેવી બાળક સ્થિતિમાં ઘસવાની કાનસ મંગાવી દાંત ઘસી નાંખ્યા. છોકરો રાજા થવાનો સાંભળી અફસોસ થાય છે, કારણ ઘણે ભાગે રાજાઓ ઘણા આરંભ પરિગ્રહમાં રક્ત હોવાથી નરકે જાય છે. બાળકની અવસ્થા જોયા વગર બાળકનો દુઃખને ગણકાર્યા વગર દાંત ઘસી નાંખે છે. આ વખતે આ શ્રાવક સમકિતિના અંતઃકરણની મનોદશા કયાં હશે ? અહીં ચાણકયના પિતા સમજતા હતા કે શ્રાવકના કુળમાં આવી રખે ભવ હારી ન જાય. આવી ભાવદયા હોવાથી દાંત ઘસી નાખ્યા, કે જેથી રાજાપણું ન મેળવે અને દુર્ગતિનો ભાગીદાર ન થાય. શ્રાવકપિતા તરીકે દરેકની ફરજ છે કે સદ્ગતિ પ્રાપ્ત કરાવી ન શકાય તો દુર્ગતિથી બચાવવાની જરૂર પ્રયત્ન કરે. દરરોજ અઢાર પાપસ્થાનક બોલતા હતા તે તેમને જ શોભતું હતું. તમને મિચ્છામિ દુક્કડં ક્યાં ભાસ્યું છે ? આથી રખડનારા, રાત્રે ખાનારા, અભક્ષ્ય નહિ ઓળખનારા પડિકમણા કરનારની હાંસી કરે તે અર્થ નથી. દેવાળીયો, બટક બોલનારો સીધું બોલવા જાય તે લાયક નથી તું રોજ વાયદા કરે છે પણ મેલને તે શાહુકારીથી ઉત્તર દે તેને કહેવાય. તેમ શાસનમાં ચાંદા પડેલા, બટકબોલા, જેમને નથી કરવું પડિકમણું એવાને આ વચન સાંભળવાનો અધિકાર નથી. આ વાત જેઓ વ્યવહારથી પ્રતિક્રમણ કરે છે તેવાને કહું છું. મિચ્છામિ દુક્કડ પછી પણ પહેલા પાપને પાપ તરીકે માનો તો ખરા. છાતીપુરમાંથી નાકપુરમાં ન જાવ.
પચીસ હજારના લાખ થયા. છાતીપુર પાણીમાં હતો ત્યાંથી નાકપુર પાણીમાં આવ્યો એમ ભાન થયું ? માત્ર ફોનોગ્રાફની ચુડી ચાલે છે. ચુડીમાં ઉતારેલા ગાયન સાથે ચુડીને સંબંધ નથી. તેમ આપણે ચુડીમાં ઉતારેલા અઢાર વાપસ્થાનક છે આપણે સંબંધ નથી. જો સંબંધ હોય તો પૌદ્ગલિક સુખોનો વિયોગ કરાવનાર, અશુભ મુગલોને મેળવી આપનાર એવા અઘાતિ પાપોથી કંટાળ્યા છો એ ભંયકર લાગે છે પણ ઘાતિપાપો ભયંકર રૂંવાડે પણ ભાસતા નથી. ધાતિ અઘાતિરૂપ પાપ બે પ્રકારના. આત્માના ગુણોને ઘાત કરનાર ચાર ઘાતિ કર્મ. વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતિ એમાં ખરાબ આવે તે ખટકે છે. જડને અડચણ કરનાર તમને ખટકે છે. જ્ઞાનાવરણી આદિ ઘાતિ પાપો તમને ખટકતા નથી. જો તે ખટકતા હોય તો ખરેખર ઘાતિ પાપનો ડર થવો જોઈએ. અઘાતિ પાપોદય તો તમારો મિત્ર છે. ઘાતિ પાપોદય દોસ્તીનું કામ કરતો નથી. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય કે અંતરાય એ હિત કરતા નથી. હજુ અનિષ્ટ સંયોગો, દરિદ્રતા વિગેરે કલ્યાણ કરી દેશે આ વાત સમજવા માટે એક વસ્તુ સમજો. કુટુંબાદિક ન મળે એવા નિયાણા.
મહાવીર મહારાજાના કાળમાં કેટલાક એવા પ્રસંગો આવ્યા કે સાધુપણું લઈ પાળ્યા છતાં સાધુપણું લેતી વખતે જે અડચણ વેઠવી પડેલી તે જીંદગીમાં પણ ભૂલી ન શક્યા. જીંદગીને છેવટે નિયાણું કરવા લાગ્યા. બહારના શત્રુને પહોંચાય પણ ઘરના શત્રુને પહોંચવું મુશ્કેલ