SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૯-૪-૩૪. ૩પ૬ શ્રી સિદ્ધચક્ર 'नरविबुहेसरसुक्खं दुक्खं चिय मन्नइ धीरो' સમકિતિ જીવ એ રાજા, મહારાજા, વાસુદેવ, ચક્રવર્તી યાવત્ દેવતાને ઈદ્રો આ બધાને મહા દુઃખી માને. નારકીને દુઃખરૂપ મિથ્યાત્વી પણ માને છે, વાગે ને લોહી નીકળે તો ચીતરી મિથ્યાત્વીને પણ ચડે છે. દુઃખો દેખી દીલ ગભરાય તે એકલા સમકિતિને થતું નથી એ તો મિથ્યાત્વીને પણ દુઃખ થાય. દ્રવ્ય દુઃખ દેખી બંને ગભરાય પણ મિથ્યાષ્ટિ સુખમાં લલચાય, સમકિતિ સુખમાં લલચાય નહિ. સમકિતિ, નારકી અને તિર્યંચોને ગળતા કોઢવાળા અને મનુષ્ય અને દેવતા એ ઢાંકયા કોઢવાળા માને. તમારા આત્માને પૂછો કે આ વાત મગજમાં કેટલી ઉતરી ? અનુત્તરના દેવતાથી માંડી સૌધર્મના દેવતા સુધી અને રંકથી માંડી ચક્રવર્તી મનુષ્યોની દશા રક્તપિત્તિયા જેવી લાગી ખરી ? તિર્યંચ નારકીના દુઃખથી જે અસર થાય તે કરતાં દેવતા અને મનુષ્યોના સુખ સાંભળી આનંદ ન માનતાં ઘણોજ ઉગ થવો જોઈએ. આવો ઉગ કોઇ દિવસ થયો ? આપણી દશા તો ઉલટી છે. દેવતા અને મનુષ્યની ગતિ તરફ ઉદ્વેગનો છાંટો નથી તેના સંજોગો તરફ બહુમાનની નજરથી જોવાય છે. તેને અપમાનથી જોવાનો વખત કયાં છે ? એ દશાને દુઃખરૂપ ધારશો શી રીતે ? આથી શાસ્ત્રકારોએ તિર્યંચને નરકને દુઃખ માને તેમાં નિર્વેદ ન રાખ્યો. નિર્વેદમાં શું રાખ્યું ? રાજા, મહારાજા, ચક્રવર્તી અને ઈદ્રોના સુખોને પણ દુઃખ માને. આ જગતના મનુષ્યના દેખાતા રિદ્ધિસિદ્ધિ, કુટુંબકબીલો એ દુઃખરૂપ કયારે ભાસ્યાં ? ચાણક્યના પિતાની પુત્રના જન્મ વખતે મનોદશા. આ વાત ધ્યાનમાં લેશો ત્યારે માલમ પડશે કે સમકિતિને પુત્રપ્રાપ્તિ વખતે કઈ જાતનો હર્ષ થાય ? ચાણકયનો પિતા બ્રાહ્મણ છે, છતાં સમકિતિ ધર્મને જાણનારો. એમના જોડેના ઘરમાં સાધુ આવ્યા છે. પોતાને ત્યાં ચાણકયનો પ્રસવ થયો છે. ચાણકય દાંતસહિત જમ્યો છે. બાળક દાંતસહિત જન્મતું નથી. અહીં દાંત સહિત બાળક અવતરવાથી બાપને આશ્ચર્ય થયું. આચાર્યને પૂછયું કે દાંત સહિત જમ્યો તેનું ફળ શું? આચાર્ય જ્ઞાની છે. તેથી ઉત્તર આપ્યો કે રાજા થશે. તમે તે જગાપર હતું તો ઢોલ વગડાવત. મારો પુત્ર રાજા થશે એ સાંભળનારા તમે હો તો શું કરો ? આચાર્ય સરખા સમર્થજ્ઞાની છોકરાને અંગે નિમિત્ત કહે છે. તેને પણ ભરોસો છે. કલ્પક જે ચાણકયના પિતા તેને ભરોસો છે, કે આચાર્ય સમર્થશાની છે. હવે ચાણકયના પિતાને આનંદનો પાર ન રહે તેમ તમે દેખી શકો છો. જ્યારે અહીં કલ્પકને રાજા થશે એ સાંભળી અફસોસનો પાર ન રહ્યો. અરર ! દયાળુ ક્ષત્રિયના ખોળામાં આવેલી બકરી કસઈ લઈ જઈને કાપી નાખશે તો ક્ષત્રિયના હૃદયમાં શું થાય ? તેમ ચાણકય બાપના હૃદયમાં આવ્યું કે પવિત્ર જૈનકુળમાં આવેલો બાળક
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy