________________
૩૫૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪
વિક જ છે તો હો તો
તેને
વાત
છે
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
જો જ
ક ા ાા ા ા તીર્થકરો ધર્મ પ્રરૂપે છે પણ નવો ઉત્પન્ન કરતા નથી.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા “અષ્ટકજી પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટક”માં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જણાવતાં પહેલાં સૂચવી ગયા કે દરેક ધર્મના કાર્યો ધર્મના પ્રયોજનથી કરવામાં આવે તો સાર્થક ગણી શકાય. પહેલાં તો ધર્મ કહેનાર કોણ ? એમણે શા મુદ્દાથી ધર્મ કહ્યો તે જાણવું જરૂરી છે. જગતની ચીજ હોય તો બનાવનાર કોણ અને બનાવી શા માટે એ વિચાર કરવો પડે પણ ધર્મચીજ બનાવેલી નથી. મકાન, પાટ, પાટલા વિગેરે ચીજ કોઇએ બનાવી છે તેમ ધર્મચીજ બનાવેલી નથી. તીર્થંકર મહારાજા કે ગણધર મહારાજા કે કેવળી મહારાજા ધર્મ બનાવતા નથી. જેમ દીવો હીરો, મોતી, સોનું વિગેરે બનાવતો નથી માત્ર દેખાડી આપે છે, જેમ અજવાળું એ વસ્તુને માત્ર જણાવે છે, પણ બનાવતું નથી, તેમ તીર્થકર મહારાજા, કેવળી મહારાજા, ગણધર ભગવાન માત્ર ધર્મ, અધર્મનું સ્વરૂપ જણાવે છે પણ નવું સ્વરૂપ ઉભું કરતા નથી. હિંસાદિથી પાપ અને તેની વિરતિથી ધર્મ થાય તે સ્વાભાવિક છે.
હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિથી વિરમવું તે ધર્મ. તો તે ધર્મ થયો તીર્થકરની આજ્ઞાથી, પણ તીર્થકરની આજ્ઞાથી હિંસાદિકથી પાછા હઠો એટલે ધર્મ નવો ઉત્પન થાય છે એમ નથી. હિંસાદિકથી પાપ થવું અને હિંસાદિકથી વિરમવું તેથી ધર્મનું બનવું તે જગતમાં સ્વાભાવિક છે. હિંસા કરતો ન હતો તેને પાપ રોકાતું ન હતું ને તીર્થકરે રોકાતું કર્યું તેમ નથી. તીર્થકર મહારાજાની હૈયાતિનો વખત હોય કે અગર તેમનો વિરહકાળ હોય, કોઇપણ ક્ષેત્ર હોય કે કોઇપણ કાળ હોય, પણ જે વખતે હિંસાદિક પાપો થતાં હતાં તે વખત પાપકર્મ બંધાતાં હતાં, અને જે વખતે હિંસાદિક રોકાતાં હતાં તે વખતે પાપો રોકાતાં હતાં; અર્થાત્ પાપ ઉપર તીર્થંકરની આજ્ઞા નથી. ધર્મ ઉપર તેમની આજ્ઞા નથી. અહીં તીર્થકરની આજ્ઞાની શી જરૂર છે એમ કદાચ શંકા થશે. જો પાપ કે ધર્મ ઉપર આજ્ઞા નથી તો તેમની આજ્ઞાની મતલબ શી ? પણ સમજવું જોઈએ કે દીવા ઉપર હીરા, મોતી, સોનું વિગેરેની જડ નથી. દીવો હીરા, મોતી, સોનું વિગેરે કરી દેતો નથી તેમ પત્થરા, ફટકિયા, કલાઈ