________________
તા. ૨૯-૪-૩૪
૩૫૪
શ્રી સિદ્ધચક્ર કરી દેતો નથી. જો તીર્થકર મહારાજની આજ્ઞા પાપપુન્ય ઉપર નથી તેથી તેમની આજ્ઞા નિરૂપયોગી ગણો તો દીવાના આધાર ઉપર હીરા, મોતી વિગેરેપણું નથી એટલે દીવો બિન જરૂરી છે એમ માનવું ?
પદાર્થમાં સ્વરૂપ રહ્યા છતાં એ પદાર્થનો હેય, ઉપાદેય તરીકે ઉપયોગ કયારે થાય ? વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે. અંધારામાં હીરો કે પત્થરો પડયો હોય, મોતી કે ફટકિયું પડયું હોય, સોનું કે પિત્તળ હોય, ચાંદી કે કલઈ હોય તો તે માલમ પડતાં નથી, માટે ઉપયોગ કરનારને પહેલાં તે વસ્તુથી વાકેફ થવાની જરૂર છે, અને વાકેફ થાય ક્યારે ? અજવાળું હોય તો. તેમ અહીં પુન્ય ને પાપ થવામાં તીર્થકરની આજ્ઞા કારણરૂપ નથી, તો પણ પાપનો પરિહાર કરવો હોય, ધર્મને ગ્રહણ કરવો હોય તો તે કયારે બને ? દીવા વગર અંધારામાં હીરો અને પત્થર સરખા જણાય છે, તેમને ખરા સ્વરૂપમાં જાણી શકતા નથી, તેમ તીર્થંકર મહારાજની દેશના, વચન, આશા, શાસન વગર આપણે પુન્ય અગર પાપને પારખી શકીએ નહિ. આંખો મીંચીને અંધારે રહેલો હાથી નાંખી જે હોય તે લે તો કોઈ વખત હીરો આવે ને કોઈ વખત પત્થરો આવે. હીરો તો કોઈક જ વખત આવે, તેમ તીર્થંકર મહારાજના વચન, આજ્ઞા, શાસન એ રૂપી દીવો હોય તો પાપના સ્વરૂપને પાપરૂપે જાણી છોડી શકીએ ને ધર્મનાં કારણો ધર્મનાં કારણપણે જાણી આદરી શકીએ. કેવળી અગર તીર્થકર મહારાજના વચનો દીપકમાફક અનહદ ઉપકાર કરનારાં છે. જોશે આંખ પણ દીવા વગર આંખ નકામી છે. તીર્થકર મહારાજની આજ્ઞારૂપી અજવાળું ન હોય તો આપણી સ્થિતિ કઈ? અંધારામાં બાચકા ભરનાર ઘણે ભાગે પત્થરજ મેળવે, તેમ તીર્થકરની આજ્ઞાથી નિરપેક્ષ જે બુદ્ધિ તે સન્માર્ગે ન લઈ જાય. જીવાદિક પદાર્થો આશાગ્રાહ્ય છે.
તીર્થકરનાં વચનો પુચપાપ, ધર્મ અધર્મ, સંસાર અને મોક્ષનાં કારણો જણાવનારાં છે, પણ ચાલુ પ્રસંગ કયો ? હીરા, મોતી, સોનું, ચાંદી દીવો બનાવતો નથી પણ જણાવે છે. આટલા માટે “માસથી ગવાદ્રિ પાથર્ ૩૫ત્ન' આજ્ઞાથી જીવાદિક પદાર્થો જાણવાના છે નહિ તો આત્મા સપ્રદેશ છે, કેવો છે તે વિગેરે શાના આધારે જાણી શકીએ ? યાવતું કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા છે તે શી રીતે જાણીએ ? જ્યારે તીર્થકર મહારાજે કેવળજ્ઞાનથી જીવાદિક પદાર્થોનું સ્વરૂપ જાણ્યું અને જ્યારે આપણને એ સ્વરૂપ સમજાવ્યું ત્યારે આપણે જીવને જાણ્યો. જીવને કેવા સ્વરૂપે આપણે જાણ્યો ? ચૈતન્યસ્વરૂપ, સિદ્ધ સમાન કેવળ જ્ઞાનદર્શનવાળો વિગેરે સ્વરૂપવાળો આત્મા જાણ્યો.
મારી વસ્તુ માલમ પડે તો ગઈ કયાં એ તપાસવા મંડાય. મારી હતી એમ માલમ પડે ત્યારે ખોળ કરવા મંડાય. મારી હતી એ માલમ ન પડે તો તપાસવા કોઈ જાય નહિ. સમ્યકત્વ પામતી વખતે છઠ્ઠા ગુણઠાણાવાળા કરતાં અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
આત્મા કૈવલ્યસ્વરૂપ સિદ્ધસમાન જાણવામાં આવે તો ઉત્કંઠા થાય કે હું કૈવલ્યસ્વરૂપ