SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર તા. ૨૯-૪-૩૪ શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૬૯-આચારાંગ સૂત્રનું પદની અપેક્ષાએ શ્રીસમવાયાંગ અને નંદીસૂત્રમાં અઢાર હજાર પદ જેટલું પ્રમાણ જણાવેલ છે તો તે પ્રમાણે માત્ર ગણધર મહારાજે રચેલ નવ અધ્યયન પ્રમાણ આચારાંગનું સમજવું કે શ્રુત સ્થવિરોએ પાંચ ચૂલા સહિત આચારાંગનું તે પ્રમાણે સમજવું? સમાધાન- આચારાંગ સૂત્રનું અઢાર હજાર પદનું જે પ્રમાણ શાસ્ત્રોમાં કહેલ છે તે કેવલ નવબ્રહ્મચર્યમય જે પહેલો શ્રુતસ્કંધ છે તેનું જ સમજવું ને શ્રુત સ્થવિરોએ કરેલી જે પાંચ ચૂલાઓ છે તેને જો સાથે લઇએ તો શ્રીઆચારાંગ સૂત્રોનું બે શ્રુતસ્કંધની અપેક્ષાએ અધિકઅધિક પદપ્રમાણ જાણવું એટલા જ માટે ભગવાન નિર્યુક્તિકાર મહારાજ એમ કહે છે અર્થાત્ એકેક ચૂલા વધારતા જઈએ તો પદનું પ્રમાણ પણ બહુ બહુતર થતું જ જાય આજ કારણથી શ્રીનિશીથસૂત્રમાં નવબ્રહ્મચર્યને વંચાવ્યા સિવાય શેષ ઉપરનું અંગાદિ શ્રત વંચાવે તો પ્રાયશ્ચિત જણાવતાં શ્રી આચારાંગજીને નવબ્રહ્મચર્યના નામે ઓળખાવ્યો છે. પ્રશ્ન ૬૭૦-અસંખ્યાતાં સંયમસ્થાનોમાં પહેલું પણ સંયમસ્થાન જ્યારે સર્વ આકાશના પ્રદેશો કરતાં અનંતગણું પર્યાયવાળું છે તો પાંચ મહાવ્રતોને પર્યાયોના અનન્તમા ભાગે જણાવે છે તેનું શું કારણ ? સમાધાન-સમ્યકત્વ જેને ન હોય તેને જ્ઞાન ન હોય અને જ્ઞાન જેને ન હોય તેને ચારિત્ર ન હોય એટલે જઘન્ય સંયમ સ્થાનમાં સમ્યકત્વ અને જ્ઞાનના પર્યાયો પણ સાથે લઇ ચારિત્રના પર્યાયોની ગણતરી કરી છે ને તેથી તે જઘન્ય સંયમ સ્થાનના પર્યાયો સ્વીકાર કરતાં અનન્ત ગુણા છે પણ પાંચ મહાવ્રતોપર્યાયો ગણતાં કેવલ મહાવ્રતોના જ પર્યાયો લીધેલા હોવાથી પર્યાયોના અનંતના ભાગે કહેલા છે. પ્રશ્ન ૯૭૧- હિંસા વગેરેથી વિરમવારૂપ પાંચ મહાવ્રતો હોવાથી તે મહાવ્રતોનો વિષય સર્વક થો કેમ બને ? સમાધાન-આચારાંગજી બીજા શ્રુતસ્કંધવાળી ચાર અને આચાર પ્રકલ્પ જેનું બીજું નામ C શીથ હોવા સાથે તે પૃથક હોવાથી જે નિશીથ સૂત્રરૂપે કહેવાય છે તે પાંચમી એમ પાંચ ચૂલાને આ વારાંગ કહેવાય છે ને તેનો સમવતાર પ્રથમ શ્રુતસ્કંધ જે નવઅધ્યયન પ્રમાણ અને સાધુઓના આચારમય હોવાથી નવબ્રહ્મચર્ય નામે ઓળખાય છે તેમાં થાય છે અને સમગ્ર સાધુ આચાર છ જવનિકાયની વિરાધનાના પરિહાર અર્થે હોવાથી નવબ્રહ્મચર્યનો સમાવતાર શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં થાય છે ને વિરાધનાનો ત્યાગ છ જવનિકાય વિષયક હોવાથી તે શસ્ત્રપરિજ્ઞાનો પમવતાર છ જીવનિકાયમાં થાય છે અને છ જવનિકાયનું પાલન કરવાનો યથાર્થ રસ્તો પાંચ મહ' તો હોવાથી છ જીવનિકાયનો સમવાતર પાંચ મહાવ્રતોમાં થાય છે અને તે પાંચ મહાવ્રતોનો વિષય સર્વદ્રવ્ય હોવાથી તેનો સમવતાર સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહી નિયુક્તિકાર મહારાજ સમુચ્ચ . પાંચ મહાવ્રતોને સર્વદ્રવ્યવિષયક જણાવે છે છતાં જુદાં જુદાં મહાવ્રતો લઈએ તો પ્રાણાતિપાત વેરમણમાં હિંસાથી વિરતિ હોવાને લીધે સર્વજીવોજ વિષયભૂત છે. બીજા અને પાંચમા મહાવ્ર જૂઠ અને મમત્વનો ત્યાગ હોવાથી સર્વદ્રવ્યો વિષયભૂત થાય છે અને ત્રીજા મહાવ્રતમાં નહિ દ લ એવા ગ્રહણ કરવા ને ધારણ કરવા યોગ્ય દ્રવ્યને ત્યાગ કરવાનું તથા દેવતાઈ અને મનુષ્ય તિર્યર સંબંધી સ્ત્રીઓનો ત્યાગ હોવાથી માત્ર પુદ્ગલ દ્રવ્યને અંગે હોય છે ને તેથી તે ત્રીજ અને ચોથું . વહાવ્રતો પુદ્ગલ દ્રવ્યના પણ એક ભાગને જ અંગે છે. આવી રીતે જુદાં જુદાં મહાવ્રતો જુદા જુદા વિષયવાળાં છે પણ સમુચ્ચયે પાંચ મહાવ્રતો સમ્યકત્વને અંગે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy