SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ શ્રી સિદ્ધચક્ર તા. ૨૯-૪-૩૪ પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ માધાનકાર: ક્ષકાષ્ટાત્ર સ્વાગત બાગમોધ્ધાર. Iછે. શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ. RATE પ્રશ્ન ૬૬૮- શાસ્ત્રકાર મહારાજાઓ સુબોધિકા વિગર વ્યાખ્યાગ્રંથોમાં જયારે ગણધર મહારાજા દ્વાદશાંગીની રચના કરતાં પ્રથમ ચૌદપૂર્વોની રચના પ્રથમ કરે છે માટે તેને પૂર્વો કહે છે એમ જણાવે છે ત્યારે ભગવાન મદ્રબાહુસ્વામીજી શ્રી આચારાંગની નિયુકિતમાં તથા શ્રી શીલાંકાચાર્ય મહારાજ તેની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવે છે કે સર્વ તીર્થકર મહારાજના તીર્થમાં આચારાંગજ આદિમાં થાય છે અને ગણધર મહારાજાઓ પણ આચારાંગાદિકના અનુક્રમે જ સૂત્રોની રચના કરે છે અર્થાત્ શ્રીતીર્થકર ભગવાન આદિમાં આચારાંગાર્થ કહે છે અને ગણધરો સૂત્રોની રચનાં કરતાં પણ પ્રથમ આચારાંગના જ સૂત્રો રચે છેઆ બંનેનો વિરોધ કેમ પરિહરવો ? સમાધાન-દ્વાદશાંગીની અનુક્રમે સ્થાપના કરવારૂપ દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આચારાંગ નામનું પહેલું અંગ પ્રથમ જ સ્થપાય છે ને પછી જ બાકીનાં સૂત્રો અંગોસ્થ થાય છે માટે સ્થાપનાની અપેક્ષાએ શ્રી આચારાંગ સૂત્ર સર્વ અંગોની આદિમાં છે અને સૂત્રોની રચનાની અપેક્ષાએ તો ચૌદપૂર્વોની જ રચના પ્રથમ થાય છે. વળી અનાબાધ મોક્ષપદની પ્રાપ્તિ માટે જ્યારે શ્રી જીનેશ્વર ભગવાન આગામાર્થનું નિરૂપણ કરે છે અને ગણધર મહારાજા તેજ માટે દ્વાદશાંગી રચે છે તો તે મોક્ષપદની પ્રાપ્તિ કરાવનાર, સાધુ જીવનને ટકાવનાર એવો આચાર પ્રથમ જણાવે ને રચે તેમાં આશ્ચર્ય શું? વળી આચારાંગનું જે અભિધેય શસ્ત્ર પરિજ્ઞાદિ છે તેમાં વ્યવસ્થિત હોય તેનેજ શેષ સૂત્રકૃતાંગાદિ અંગો અપાય છે તેથી પણ આચારાંગજી પહેલા અંગ તરીકે સ્થાપના થાય તેમાં પણ આશ્ચર્ય નથી. જો કે આચારાંગાદિ સર્વ શ્રુત દૃષ્ટિવાદના ઉદ્ધારરૂપ છે અને સર્વ સિદ્ધાંતોનો અવતાર દ્રષ્ટિવાદમાં છે પણ આબાલવૃદ્ધોને મોક્ષની ઈચ્છા અને યોગ્યતા હોય તે સ્વાભાવિક હોઇ મોક્ષનો ઉપાય જે આચાર તે બાલવૃદ્ધાદિને જણાવવો જોઇએ ને તે આચાર આચારાંગમાં હોવાથી અત્યંત વિસ્તારવાળા પૂર્વોની રચના પહેલી કરી પછી તેના ઉદ્ધારરૂપ શેષ અંગોની સ્થાપના અને રચના કરતાં પ્રવચનના સારભૂત અને મોક્ષનો અસાધારણ ઉપાય એવો જે આચાર તેને જણાવનાર શ્રી આચારાંગ તેને પ્રથમપણે સ્થાપન કરે છે ઉદ્ધારરૂપે રચે તે વાસ્તવિકજ છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy