________________
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૫૦
સમાલોચના :
નોંધઃ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧ બાલદીક્ષા વિરલવિષયક અને કદાચિત્ક હોય તેથી તો તે અત્યન્ત દુર્લભ ઠરી કિંમતી ઠરે છે,
ને તેથી ભાગ્યશાળીઓ બાલ્યકાળમાં દીક્ષિત ન થવાથી પોતાને ઠગાયેલા માને છે. ૨ ત્યાગના પરિણામ થયા છતાં ત્યાગને રોકવાની આવશ્યકતા માનનારો સંયમને ભોગથી ઠગાવવું
માનતો હશે ને કામને પુરુષાર્થ માનતો હશે.
શાસ્ત્ર અને સંયમને સરકાવીને ઉદારતા મનાવનારા હોડી સળગાવીને સમુદ્રમાં સધાવનારા છે. ૪ અનુમતિની વાત આખ્યાતને અવમાત નામની દીક્ષાને કથંચિત્ લાગુ પડે છે તે ન જાણતાં
અનુમતિ વિના દીક્ષા બનવાનું ન કહે તે શાસ્ત્ર જુવે તો સારું. ૫ જીનેશ્વર ભગવાનને આશ્રીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરાતી બોલીનું દ્રવ્ય તેનાથી ઉતરતા જ્ઞાન
આદિ ક્ષેત્રમાં ને શ્રીસંઘની માલીકીમાં સોંપનારો મનુષ્ય કેવી દાનત ને સમજણમાં હશે તે વિચારકોએ સમજવું.
(ચાળ) જેમ જૈનશાસ્ત્રકારોએ ગુણહીનપણું છતાં જાતિમદ કરનારને શિક્ષિત કર્યા છે તેવીજ રીતે શ્રીજીનેશ્વર મહારાજ, ગણધર મહારાજ આદિના ગુણોનું વર્ણન કરતાં જાતિ અને કુલની વિશિષ્ઠતા સ્વીકારી છે તથા અમૂક જાતિ અને કુલોને જ માત્ર આર્ય તરીકે શેષ જાતિ, કુલોને અનાર્ય તરીકે ગણેલા છે તે સ્પષ્ટજ છે. ધર્મરૂપ જલાશયના બ્રહ્મરૂપ ઘાટે સ્નાન કરવાની વાત સર્વવિરતિ માટે છે તેથી દેશવિરતિવાળાને
પવિત્ર તીર્થોના પવિત્ર સ્થાનોનાં સ્નાનનો નિષેધક વસ્તુસ્થિતિ વિચારે તો ઠીક થાય. ૮ દિશાઓની પૂજ્યતારૂપે વિધાન ન છતાં તેમાંની પૂર્વઉત્તર અને પૂર્વોત્તરની પ્રશસ્તતાનો સ્થાન
સ્થાન પર મૂલ સૂત્રકારો સ્પષ્ટપણે સ્થાનાંગાદિમાં જણાવેજ છે. ૯ જૈનોમાં પહેલાં ગર્ભાધાનને અંગે ચ્યવન કલ્યાણક તેમજ જન્માદિક કલ્યાણકો માનવાથી દેવી
પૂજાને મુખ્ય સ્થાન મળ્યુંજ નથી. ૧૦ સ્થાપનાદિ નિપાએ થતી આરાધના ભાવનિપાને અંગેજ હોવાથી જૈનદર્શન હંમેશાં ગુણને
ગુણવાનને જ પૂજનાર છે. ૧૧ ચરણકરણસત્તરિની આરાધનાને તેનું પાલન સંવર અને નિર્જરા માટે હોવાથી તે ક્રિયાને અદશ્ય દેવાદિની માન્યતાનો આધાર ગણવો તે જૈનદર્શન જાણનારને શોભે નહિ.
(જુઓ પાનું ૩૪૯).