________________
૩૪૯
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર તેટલો વિકારદશાવાળો. આથીજ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે-સંયમાત્મા જ્યારે એ સંયમસ્વરૂપથી પોતાને સંયમ-વિરતિસ્વરૂપ ગણશે ત્યારે જ આત્માની શુદ્ધસ્થિતિ મેળવવાને શક્તિમાન થઈ શકશે. આત્માનું શુદ્ધસ્વરૂપ જ્ઞાન-દર્શન સ્વરૂપ છે અને તે તો વગર દેવાની ટીપ છે, પણ જેટલા રૂપિયા ભરવાના હોય તેટલા દેવા પડે ત્યારે હાથ ધ્રૂજે છે, એવીજ રીતે જ્ઞાનદર્શન એ બે ગુણો એટલી ઉંડી મુશ્કેલી નથી ખડી કરતા પણ ખરી કંપારી તો સંયમસ્વરૂપ માનીયે ત્યારે જ થાય છે. ભોજનપાન વિગેરેનો ત્યાગ કરવો આ બધા સંસારને ઉપાધિરૂપ અને ફસાવનાર માનવો એ કલ્પના માત્રજ જ્યાં અસત્ય લાગે છે ત્યાં એનું યથાસ્થિત પાલન કરવું એ કેટલું મુશ્કેલી ભર્યું હશે ? અને આટલા જ માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે વિગેરેની વ્યાખ્યા કરવાનું મૂકી દઈને આત્માનું સંયમવિરતિ-સ્વરૂપ-જે આત્માને સમજવું અને પાળવું બહુજ મુશ્કેલી ભર્યું છે-તેનું વિવરણ કર્યું. બાકી આત્માને જ્ઞાનદર્શન સ્વરૂપે તો આબાળગોપાળ દરેક જૈન સમજે છે.
(૩૫૦ પાનાનું અનુસંધાન) ૧૨ જૈનધર્મ પણ સંવર અને નિર્જરાની ક્રિયાની સાધ્ય દૃષ્ટિવાળો જ છે તે ધર્મક્રિયાનો
નિષેધ નથી કરતો પણ આશ્રવ અને બંધના કારણભૂત ક્રિયાનો નિષેધ કરે છે. ૧૩ ભગવાન મહાવીર અનેક વખત વિષ્ણુ, બલભદ્ર વિગેરેના મંદિરોમાં રહેલા છે એ
હકીકત સમજનારો વિષ્ણુ આદિ માટે નવી કલ્પના કરતાં જરૂર થોભશે. ૧૪ કોઈપણ જૈન તીર્થકરોની મહત્તા ઋદ્ધિ, સમૃદ્ધિથી કે દેવતાઈ સાન્નિધ્યથી માની નથી.
જો એમ હોત તો વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તીઓની અપરિમિત ઋદ્ધિ,
સમૃદ્ધિને અંગે દેવતાઈ ચમત્કારને સેવા આદિ કહેવાનો જૈન પ્રસંગ રાખત જ નહિ. ૧૫ પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં સીતાને અંગે થયેલ યુદ્ધથી, ચર્ચાથી તેમજ સમવાયાંગમાં I શલાકા પુરુષ તરીકે રામચંદ્રજીના નિરૂપણથી જૈન અંગો રામચરિત્રને નથી પ્રકાશમાં
તે કહેવું અસ્થાને છે. બુદ્ધ શલાકા પુરુષ નથી એથી તેને ન કહે તે સ્વાભાવિકજ છે. ૧૬ જિન પ્રમાણ યજ્ઞમાં કરવી એ વાલ્મીકિ રામાયણમાં લેખ પુરાણ કાલનો નથી. ૧૭ ભોગવતાં શેષ રહેલા નીચગોત્રને લીધેજ શ્રીવીર બ્રાહ્મણકુલે આવ્યા. ૧૮ ભગવાન મહાવીરે શક્તિનો પરિચય આપવા મેરૂ કંપાવ્યો નથી. ૧૯ શાસ્ત્રકારો સાતતાલ જેટલું શરીર કહે છે. ૨૦ ભગવાન મહાવીરને સર્ષે ભરડો દીધો નથી. ૨૧ ભગવાન મહાવીરને ચંડકૌશિકે ઘણા ડંખ માર્યા જ નથી.
(જૈ. પ્રકાશ. સુખ૦)