________________
તા. ૧૩-૪-૩૪
૩૩૫
શ્રી સિદ્ધચક્ર રાખે તો પણ સજાપાત્ર થાય છે ને તેમાં બચાવ ચાલતો નથી. જ્યારે આમ ખોટો રૂપિયો ગોખલામાં રાખીયે તો પણ ગુનેગાર, તો અસત્ય ને ખોટું માલુમ પડયું તે ફોડી ન નાખીએ તો શાસનને અંગે ગુનેગાર છીએ. આપણને કશું તે કામ ન લાગે. એક રૂપિયા જેવી ચીજ ખોટી રાખવી પાલવતી નથી. વ્યવહારમાં લેવી તે વાત જુદી. તો ખોટી ચીજ જાણવામાં આવે તેને તમારી કોથળીમાં રાખો. ચાલુ તે ક્રિયાની વાત. અંધારી રાતે ૯-૧૦-૧૧ વાગ્યા સુધી બાયડીને બેસાડે. અંધારું તો હોયજ, વળી તેમાં સાડાત્રણ હાથનું પણ છેટું નહિ. રાત્રે નવદસ વાગ્યા સુધી બાયડી મકાનમાં રહે તેનો અર્થ શો ? તદ્દન ખરાબ. તેમજ મધ ખાવાવાળા અર્થાત્ મધ જેવી અભક્ષ્ય ચીજ. ઔષધને માટે ખાધેલું પણ જે મધ નરકનું કારણ છે તેમાં પ્રવર્તનારા બીજાની વાત શું જોઇને કરે ? તેઓમાં પૂજ્યોની સંથારો પાથરવાની ક્રિયા આરજા (સાધ્વી) કરે છે. આવા કોઇને કહે તો કહે કે અમે ઉત્કટા છીએ, પણ ઉટકટા છીએ એમ કહોને. મૂળ વાતમાં આવો આ તમને જણાવવું પડે છે તેનું કારણ એ કે તેઓ ભોળા લોકોને ભરમાવે છે કે તમારા સાધુ આમ કહે છે, તેમ કહે છે. બોલતાં મોઢે વસ્ત્ર સાધુએ રાખવું તેવું ૩૨ સૂત્રમાંથી કાઢો તો ખરા. બોલતાં મોઢે મુહપત્તિ ન રાખવી તેમ અમે માનનારા નથી. હવે ભગવતીજીમાં લખ્યું છે કે ઈદ્ર સૂમકાયને બચાવી બોલે તો નિરવધ ભાષા ગણવી, સૂમકાયને બચાવ્યા વગર બોલે તો સાવદ્યભાષા. ઈદ્ર નિરવદ્યભાષા બોલે તો ધર્મી કે અધર્મી? નિરવદ્યભાષા બોલનાર ધર્મ કે અધર્મી ? ઈદ્રને અંગે કહેલું નિરવ સાધુ શ્રાવકને અંગે લગાડે તો સૂર્યાભનું દૃષ્ટાંત કેમ કબુલ કરતા નથી? ચુપ. બીજી વાત, તેમના સૂત્રોમાં જ્યાં વાઉકાયનો અધિકાર ચાલ્યો ત્યાં ફૂંક ન દેવી વગેરે કહ્યું તે જગા પર ઉઘાડા મુખે ન બોલવું તેમ કહ્યું હોય તો કાઢો. તમારા શાસ્ત્રથી કાઢો. અમે તો મુહપત્તિ રાખવાનું ચૂર્ણિ આદિથી માનીએ છીએ. ઈદ્રનો દાખલો તમારાથી દેવાય તેમ નથી. હવે બીજી બાજુ ઉથલાવો.. કદી કોઈક સાધુ ઉઘાડા માંથી બોલ્યા, ભલા બાંધી રાખો ને તેમાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થઈ નાશ પામે તેનું શું? સંમૂર્ણિમ મનુષ્યને ક્ષણે ક્ષણે મારનારા તે અનુપયોગ વાઉકાયના મારનારને શી રીતે કહી શકે? અનુપયોગે થતી વાઉકાયની વિરાધનાને શી રીતે આગળ કરી શકે? સંમૂર્ણિમ મનુષ્યોને મારનારો અનુપયોગે થતી નિંદવા યોગ્ય વાઉકાયની હિંસાને શી રીતે આગળ કરે છે? નાક સુધી ને મોંઢાના ભાગ સુધી બાંધવાનો પુરાવો તેઓ બતાવે છે? મુહપત્તિ પડિલેહે ત્યાં કાયા પડિલેહે એમ સ્થાન સ્થાન પર છે. મોંએ બાંધવાનો વિધિ કોઈ જગાએ નથી. વળી ત્યાં મુહપત્તિ છોડી અગર પડિલેહી બાંધી તેવો અધિકાર જ નથી. ભોળાની આગળ પત્થર રગડાવવા છે. તેઓ અભક્ષ્ય એવા મધને ભક્ષણ કરનારા થઈ મુસલમાનને માંસના અભક્ષ્યપણાની વાત કરે તો માંસમાં શી અડચણ? એમજ તે કહે, કારણ તેને માંસ ખાવું છે, વળી તેઓ કહે છે વાસી મલઇ, મધ ખાવામાં શી અડચણ? કંદમૂળ, મધ વાસી ખાનારા શું મુખ લઇને પૂજા વગેરેથી વિરૂદ્ધ બોલે છે?
જૂઠી જાણી પછી કોરણે મૂકવી પડેને તેને રદ કર્યો જ બચી શકો. તે વાત રહેવા દો. મૂળમાં આવો. સમ્યક્ત થયા પછી હું કેમ વર્તુ છું? તે વાતને સંબંધ નથી. આરંભાદિકમાં તમે વર્તેલા છો. અમારા આરંભ, પરિગ્રહ ને વિષયકષાયનો બચાવ નીકળે છે? એમ ધારો તેનો અર્થ મિથ્યાત્વ. આરંભાદિકમાં ડૂબી ગયા તો તેમાં ખરાબ બુદ્ધિ રાખવી જ જોઇએ. અમારી આસકિત છૂટતી નથી, મોહમમતા છોડી શકતા નથી, પણ રસ્તો આ છે. સમ્યકત્વ પછી પોતાના આચરણને સ્થિતિનો બચાવ હોય નહિ. પોતાની પ્રવૃત્તિ તરીકે બચાવ હોય નહિ. આ તો અશકય છે માટે કેમ કરીએ ? અમારે કુટુંબ પૈસા છોડવા