________________
તા. ૧૩-૪-૩૪
૩૩૩
તો તો જો
જો હો
શ્રી સિદ્ધચક્ર હો હો હો હો હો હો હો હો હો તો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ફિ છે . છે વિ) તો તે
જો
. क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥१॥
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા, જ્ઞાનસાર પ્રકરણમાં ક્રિયા-અષ્ટક રચતા થકા જણાવે છે કે જગતના જીવો જગતના અનુભવથી ને ધાર્મિક જીવો શુદ્ધ માન્યતાથી જ્ઞાનને આધારે જ સારી પ્રવૃત્તિ થવાનો સદ્ભાવ હોવાથી જ્ઞાનને નિષ્ફળ માની શકે જ નહિ, તેમ જ્ઞાનજ ફળ દે છે તેમ પણ માની શકે નહિ. ધર્મશાસ્ત્રની રીતિએ જ્ઞાનમાત્ર જ ફળ દેનાર છે ને ક્રિયા નકામી છે તેમ માની શકાય જ નહિ, તેમ ક્રિયામાત્ર જ ફળ દે છે ને જ્ઞાન નકામું છે તેમ પણ માની શકાય નહિ.
જેમ આહારપાણી ઔષધાદિકને જોવા માત્રથી રાંત "વો, રોગનું જવું વિગેરે બનતું નથી, તેમ સમ્યગદર્શન શાન થવા માત્રથી સિદ્ધિ જૈનશાસ્ત્રકારે માની નથી. અર્ધપગલપરાવર્તમાં એકલા સમ્યકત્વવાળો જરૂર મોક્ષે જાય આવો નિયમ કરી શકાય નહિ. સમ્યકત્વ થયા પછી મોક્ષ થાય છે. આ વાત ખરી, છતાં એમાં વિચાર કરવાની જરૂર છે. કોઈપણ શાસ્ત્રકાર સમ્યકત્વ પામ્યા પછી ચાહે તેજ ભવમાં કે કોઈ અન્ય ભવમાં કે ચાહે અર્ધપુદ્ગલના છેડાપરના ભવમાં એકલા સમ્યકત્વથી મોક્ષ થાય છે તેમ માનતા નથી. સમ્યકત્વ મળ્યું પછી સમ્યગુજ્ઞાન કે ચારિત્ર ન મળે ને એકલા સમ્યકત્વથી મોક્ષ પામે તેમ કોઈ શાસ્ત્ર કહેતું નથી. સમ્યક્ત્વ પામેલો સમ્યગુજ્ઞાન જોડે પામે છે. જે ક્ષણે મિથ્યાદર્શન મટી સમ્યગુદર્શન થાય તેજ સમયે સમ્યગુજ્ઞાન થાય. જેટલું મતિધૃત અજ્ઞાન ને વિભંગ હોય તેટલું જ મતિશ્રુતને અવધિ થાય, તે બધું જ્ઞાનપણે પરિણમે છે. તે પરિણામ સમ્યગુદર્શન પામે તેજ સમયે. તેમાં સમયનો પણ ફેર નહિ. એક સમય પણ સમ્યગૃષ્ટિ અજ્ઞાની ન હોય. જે સમયે મિથ્યાત્વનું સમ્યકત્વ થાય તેજ સમયે મતિ, ચુત, વિભંગ, અજ્ઞાન મટી મતિ, શ્રુત, ને અવધિજ્ઞાન થાય. એમ ન ધારવું કે આ તો મારા વાડામાં આવે તો શાહુકાર, ન આવે તો ચોર. જ્ઞાનમાં શું ફરક? ઈદ્રિયો કેમ નથી? જે પહેલા સ્પર્ધાદિ પદાર્થો જાણે તે સમ્યગ્ગદર્શન પછી પણ જાણે છે. તો પહેલાં અજ્ઞાન હતું ને હવે જ્ઞાન થયું, તો મારા વાડામાં આવ્યો તે સાચો, બહાર રહ્યો તે ખોટો એમજ થયુંને ? પણ લગીર ઊંડા ઉતરી વિચારો.
એક માણસ ચોરીનો ધંધો કરે છે. હવે ચોરીના ધંધાવાળાને જે અક્કલ મળી છે, જે ચાલાકી મળી છે, જે ચોપડીઓ વાંચવાથી હુશિયારી મળી છે, તે કેવી ગણાય? શ્રાપસમાન. કોઈ કારણ સંયોગે તેજ ચોર રક્ષક બન્યો. તો તે વખતે તેની અક્કલ, હશિયારી ને ચાલાકી કેવી ગણાય? જગતને આશીર્વાદ સમાન.
એનો એજ શક્તિસિંહ મેવાડ ઉજ્જડ કરવા માંગતો હતો અને એજ શક્તિસિંહ જ્યારે પ્રતાપ ઉપર