________________
૨૯૦
તા.૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક આત્માના ગુણો આત્માએ પ્રગટાવ્યા, તે સંસ્કારપૂર્વક પ્રગટાવ્યા હોય તો ખટાઇવાળા લુગડામાં પડેલો ડાઘ સાબુએ પણ ન જાય, તેમ એકવીસ ગુણથી જેણે આત્માને સંસ્કારિત કર્યો હોય તેને એકવચન આવી જાય તો દુનિયાના હજારો નુકસાનથી તે ખસે નહિ. આ બે વસ્તુમાં જરૂર બે મત નથી, પણ તેને ઉલટા રૂપમાં ન પરિણમાવો. એકવીસ ગુણવાળો ઉત્તમ, પંદરવાળો મધ્યમ, અગીયાર ગુણવાળો જઘન્ય જાણવો. આપણા આત્માને તૈયાર કરવા માટે સમજવું જરૂરી છે તેથી એ ગુણવગરના ધર્મરત્ન પામી ગયા, તો ધર્મરત્નની કિંમત ઘટાડવા માટે એવા દાખલાની જરૂર નથી. ઝવેરી બજારમાં જાવ, કોઈ પૂછે, ગજવામાં ચેકબેક છે? લાખનો ચેક દેખાડો તો બરોબર, દસ વીસ હજારનો ચેક દેખાડો તો ઠીક, પાંચસાત હજારનો હોય તો ઠીક, પણ મુદ્દલ ખાલી હોય તો? ચેક લખવાની તાકાત ન હોય તે માલ કાઢો, દેખાડો કહે તો દેખાડો? વ્યવહારિક રીતિએ ઝવેરી તેજ લાયક કે જેની પાસે નાણાંની સગવડ હોય. તેજ વેપારને લાયક. ભલા ભાગ્યશાળી હોય ને ઠેસ વાગે, ઈટ ઉખડે ને હીરો મળી જાય તો? એની પાસે પાંચપચીસ હજાર ન હોય તો તે હીરો તે હીરો ન કહેવાય? નસીબદારીના જોરે બહાર ઝાડ નીચે સૂતા ને રાજ્યાભિષેક થયા. વ્યવહારથી રાજ્યની લાયકાત કહેવાય? લશ્કરનું જોર હુશીયારી ઉપર રહે છે, તેથી તે વસ્તુ ન હોય, કોઈ પુન્યાર્ચ સરખા, મૂળદેવ સરખાને રાજ્યપ્રાપ્તિ થાય તો તે રાજ્ય ન કહેવાય તેમ નહિ. રાજપના પૂર્વ કારણ ન હોય તેથી મળેલા રાજ્યને અયોગ્ય કહી શકાય નહિ. તેમ એકવીસ, પંદર, અગીયાર ગુણવાળા અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જઘન્ય ગુણવાળા તે અધિકારીરૂપે નિર્ણય કરનારા છે તેથી તે ગુણ ન હોય તો ધર્મરત્ન માનવાનું નથી તેમ બની શકતું નથી. નદીના પથરા જેના ધર્મના પ્રભાવે રત્ન થયા છે. બહાર ઝાડ નીચે સૂઈ ગયા, પાંચ દિવ્ય આવી અભિષેક કરી રાજ્ય આપી ગયા. આથી મળેલું રાજ્ય ખોટું છે તેમ કહી શકાય નહિ. કારણથી રાજ્ય મેળવવું હોય તેને લશ્કર, ત્રિજોરી ને ચાલાકી હોવી જોઇએ. તેમ આપણા આત્માને ધર્મથી સંસ્કારિત કરવો હોય તેણે એકવીસ ગુણો મેળવવાનો ઉદ્યમ કરવો જ જોઈએ. આથી પાંત્રીસ માર્ગાનુસારીના ગુણો કુટુંબને એકવીસ ગુણ આપણા આત્માને સંસ્કારિતા કરવા માટે છે. એ વચનો બીજાના ધર્મના લોપ માટે કેમ વાપરો છો ?
રકમ ભૂલી જશો તો જેટલો ગોટાળો છે તે કરતાં રકમ ઉલટી લખી તો બમણો ગોટાળો, પાંચસો જમાને બદલે ઉધારમાં લખ્યા તો હિસાબમાં ડબલ ગોટાળો. પાંત્રીસ ગુણ ન જાણ્યા તે કરતાં બીજાના ધર્મરત્નને લોપવામાં લો તો બેવડું નુકસાન છે. તમારા કહ્યાથી પેલાનો ધર્મ જતો નથી. તમારા નહિ ગણવાથી એના આત્માને નુકસાન નથી. બેવડા નુકસાનમાં આવી ન પડો તેટલા માટે આ વિભાગ જણાવવાની જરૂર પડી. એકવીસ ગુણો પોતાના આત્માને ધર્મ માટે તૈયાર કરવાને અંગે છે.
હવે આ સાંભળ્યા પછી જો એક વસ્તુ ન આવી તો દસ્તાવેજમાં આખી ઈમારત લખી, પણ એક . નામ ફરી જાય તો તમારું લેણું કેટલું રહે? તેમ અહીં પાંત્રીસ માર્ગાનુસારીએ તથા શ્રાવકના એકવીસ