SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૩૪ ર૯ શ્રી સિદ્ધચક્ર ભાવદયાનું મૂળ ક્યાં છે ? જન્મ જરા મરણ કરે છે તે ખરાબ છે. તે તત્ત્વ ઉપર ભાવદયાનું મૂળ છે. તીર્થકર મહારાજા જગતના જીવોને જન્મની જંજીરમાં, જરાની જક્કડમાં, મરણના મોઢામાં મુકાતા જીવને દયાપાત્ર ગણે છે. આથી સર્વ જીવોને વિષે એના જન્મ જરા મરણના દુઃખો દેખી દયા આવી. આ ભાવદયા એ પ્રથમ પુન્યાનુબંધી પુન્યનું કારણ છે. હવે તે દયા સ્વાર્થવાળી હોય તે દયા નથી. વાઘણ પોતાના બચ્ચાને બચાવવા માટે આકાશપાતાળ એક કરી દે તેથી દયાની ટોચે ચડતી નથી. જગતના જીવો પોતાના બચ્ચાનું દુઃખ, ઘડપણ, મરણ ટાળવા કટિબદ્ધ રહે છે તેથી કાંઈ ભાવદયા ગણાય નહિં. સર્વ જીવોમાં નિર્વિશેષપણે દયા થાય. તે કયારે થાય? અનિત્ય પદાર્થો ઉપરથી, ભાડુતી મકાનના પદાર્થો ઉપરથી વૈરાગ્ય થાય તે બીજું કારણ. અહીં કેટલાકો દયા થાય ત્યાં રાગદેષ્ટિ કહે છે. શી રીતે ? કસાઈખાને ગયા. ૫૦ ગાયો ઉભી છે પાંચ ગાયો છોડાવી. તેમાં આ પાંચજ કેમ છોડવી? માટે તમારે પહેલા ભવનો સંબંધ હતો તેથી તમે છોડાવી. તેમ કહી તેમાં દયાને અવકાશ નથી. જેમ છોકરા છોકરીને છોડાવો તેમ પહેલા ભવના સંબંધને લીધે છોડાવ્યા છે આમ કહી દયાના દુશમનો બને છે. ૫૦ સાધુ બેઠા છે પાંચને દેખી ઉલ્લાસ આવ્યો, પાંચ સાધુનેજ પ્રતિલાવ્યા. પચાસને પ્રતિલાભવાની શક્તિ છે તો પાંચનેજ પ્રતિલાભ્યા તે પૂર્વભવના સંબંધથી જ હશેને! માટે તે દાન ઉલ્લાસ ઉપર મીંડી કબુલ કરો. આ સંબંધને અંગે રાગથી જાનવરને છોડાવતો નથી. માત્ર સાધુપણાની દ્રષ્ટિથી દાન દે છે.દેવાવાળો સાધુપણાની બુદ્ધિથી દાન દે છે. પાંચ સાધુને વહોરાવતાં કે વંદન કરતાં પૂર્વભવનો સંબંધ ખ્યાલમાં લીધો નથી. તેને તો વંદનનો, દાનનો લાભ છે. તેમ અહીં જીવ મરણથી બચે તે ધારી જીવો છોડાવ્યા છે. વાસ્તવિક વૈરાગ્યની સ્થિતિ બતાવી હતી તેને અવળાએ અવળી ગોઠવી. તીર્થકર સરખાને ખેડૂતનો, વેર વિરોધનો સંબંધ હતો. ભગવાનને દેખતા સાથે ભાગ્યો. ગૌતમસ્વામી સાથે રાગ ધર્યો. જેઓ પૂર્વભવનો સંબંધ છતાં પણ જીવ બચાવવાની બુદ્ધિથી બચાવે તો દયા છે. આથી આવી ભાવદયાની ઉત્તમતા બતાવનાર, સ્થિર કરનાર ગુરુ હોવાથી વિધિપૂર્વક ગુરુની સેવા બતાવી. શ્રાવક અને સાધુની ભૂમિકા સરખી નથી. જેને લાયક જે સ્થિતિ સામાન્યથી એ તેરાપંથીઓ ગૃહસ્થને સાધુ સરખી લાઇનમાં લઈ જાય છે. નોકારવાળીના બધા મણકા સરખા. સાધુ શ્રાવક બધા સરખા છે. શ્રાવક વરસતા વરસાદમાં આવી વખાણમાં બેઠો લાભ કે નુકશાન? કહેશો કે રસ્તામાં આવ્યો તેમાં નુકશાન સાંભળ્યું તેમાં લાભ આ વાતો ન સમજનારા કબુલ કરી લે છે, પણ તેઓ અજ્ઞાન છે. હવે રસ્તામાં આવતા મરી ગયો તો! દુર્ગતાનારી પૂજા કરવા ફૂલ લાવી. રસ્તામાં મરી ગઈ તો દુર્ગતિએ જવાનીને? પાપની ક્રિયા માની તે વખતે ધારણાથી ધરમ માન્યો. એની ધારણા વ્યાખ્યાન સાંભળવાની હતી તેથી રસ્તામાં આવતી
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy