________________
* શ્રી સિદ્ધચક્ર +
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
__ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્રસિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઇ, તા. ૧૫-૩-૩૪ ગુરુવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૨ મો.
ફાગણ વદ )) 1 વિકમ , ૧૯૯૦
૦ આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ દરેક તત્ત્વની ચાર પ્રકારની ઘટના હોવાથી જિનેશ્વર મહારાજે કહેલ પદાર્થની ચાર પ્રકારે શ્રદ્ધા કરવાથીજ સમ્યકત્વ થાય છે તે માટે તેમજ કંઈપણ વિશેષ હકીકત માલમ ન પડે તે જગ્યા ઉપર પણ ચાર નિક્ષેપાથી તો વ્યાખ્યા કરવી જ જોઈએ, એ નિયમને અનુસરીને નંદીને અંગે નામ અને સ્થાપનાનું નિરૂપણ આગળ જણાવ્યા પ્રમાણે કર્યા પછી ભાવનંદીના નિરૂપણ પહેલાં દ્રવ્યનંદીના નિરૂપણની આવશ્યકતા છે એમ માનવામાં કોઈપણ જાતની હરકત નથી. વસ્તુતત્ત્વના નિયમ પ્રમાણે નામને અંગે જે બે પદાર્થો અભિધેય અને અભિધાન નિશ્ચિત માનવા લાયક છે તે બંને પદાર્થો દ્રવ્યનો એક વિભાગ છે એમ માનવુંજ પડશે, કારણકે અભિધાન એટલે પાંચેક ભાવે પરિણમેલું જ્ઞાન કહેવાય અને તે મુખ્યતાએ ભાષાવર્ગણાના પુદ્ગલોની પરિણતિ છે. ભાષાવર્ગણારૂપી દ્રવ્યની સત્તા ન સ્વીકારીએ તો તે નામનો સ્વીકાર ગુણી વગર ગુણના સ્વીકારની પેઠે કે ઉપાદાન વિના કાર્યના સ્વીકારની પેઠે અયોગ્ય જ ગણાય, એટલે અભિધાનરૂપી નામને સ્વીકારવાવાળાએ ભાષાવર્ગણારૂપ દ્રવ્યનો સ્વીકાર કરવો જોઈએ. તેમજ અભિધેય વસ્તુ પણ જો કે દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે હોઈ ત્રણ પ્રકારે હોય છે તો પણ ગુણ અને