________________
તા. ૧-૩-૩૪
૨૬૩
શ્રી સિદ્ધચક ગીરવે મુક્યું છે, ખાવાપીવાનું સાધન પણ દેવું કરીને થાય છે, અત્યારે પરીક્ષામાં પાસ થઈ જાય તો પચીસ ત્રીસ રૂપિયા મળે ને નાપાસ થાય તો કોઈ ઉભું રાખતું નથી બલ્ક આખું કુટુંબ રખડી મરે છે.
હવે જો તે છોકરાને પરીક્ષક માર્ક ઓછા આપે તો ગુન્હેગાર ખરો કે નહિ? જવાબમાં - ના, કારણ અભ્યાસના હિસાબે જ માર્ક અપાય. એ નિયમ પ્રમાણે વર્તવું તે ગુન્હો નથી, પણ આફતને પ્રસંગ દેખી નીતિવિરૂદ્ધ નાલાયકને પાસ જેટલા માર્ક આપે તો બેવડો ગુન્હેગાર થાય. કેળવણી ખાતામાં જાણ થાય તો પરીક્ષકને ઘેર બેસવું પડે. તેવી રીતે દીક્ષાના પરિણામવાળાં હોય તેને દીક્ષા દેવી, પણ તેની પાછળના કુટુંબનું શું થશે તે જોવાનું કામ ગુરુઓનું નથી જ !! પ્રશ્ન - પાછળથી નાસી જાય છે તેનું કેમ? જવાબ- પરીક્ષા દીધા પછી ગાંડો થઈ જાય તો પરીક્ષક ગુન્હેગાર ખરો કે નહિ? (સભામાંથી) ના જી.
સાધુઓનું વર્તન- તમારો નાનામાં નાનો છોકરો પણ જાણે છે કે સાધુપણામાં કઈ રીતે રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે હરાય, કઈ રીતે ફરાય, વિગેરે આચારોથી વાકેફગાર હોય છે, અને એ જોઈને લેવા તૈયાર થાય છે. પરીક્ષામાં પ્રસંગપર પૂછેલા સવાલના જવાબ ઉપરજ માર્ક આપવા પડે છે, પણ ચોરી ન પકડાય તો શંકા માત્રથી માર્ક કાપી શકાતા નથી, સાબીત ન થાય ત્યાં સુધી માર્ક આપવા પડે છે; તેવી રીતે જ્યાં સુધી દાનત ખરાબ છે એમ સાબીત ન થાય ત્યાં સુધી વ્રત-નિયમ આપવા જ પડે. ચારિત્ર લીધેલ હોય તો સાવચેતી રાખવી પણ અઢાર દોષપૈકી દોષ તપાસવા માટે નથી પણ માલુમ પડે તો દીક્ષા ન આપવા માટે તે વિધાન છે. તપાસવા જવાનું નથી, તેમ તપાસવા માટે થોભવાનું પણ નથી, કેટલાક દોષો એવા છે કે સાધુને માલમ પડે તો જ ઉતરવા જેવું છે અને એ માટે જ દીક્ષાર્થીને ગીતાર્થ જણાવે કે અમે આ દોષવાળાને દીક્ષા આપતા નથી એમ શાસ્ત્રો જણાવે છે.
અભયની દીક્ષાથી કરોડો મનુષ્યો માર્યા ગયા, અઢારગણ રાજા અને રાજ્યો ખેદાનમેદાન થઈ ગયા, ચેડા મહારાજનું પણ હૃદય ચીરાઈ ગયું અને તે વાવમાં પડીને મરી ગયા, રથ મુશલયુદ્ધ અને મહાશીલાકંટક યુદ્ધ પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધિને પામ્યા છે!
સમાજના સંરક્ષણની વાટ્યાત વાતો કરનારા, અંદરથી સમાજને સડાવવાની તેજારી રાખવાવાળા, મોઢેથી દીક્ષાના હિતેચ્છુ અને બહારથી દીક્ષાના દુશમનો અભયકુમારની દીશાને આજના સમયમાં કઈ રીતિએ ચિતરે તે વિચારવા જેવું છે # કારણ કે વિશ્વવંદ્ય વિભવીરના વિસ્તાર પામેલા શાસનમાં અદ્યાપિપર્યત એક પણ અનિર્વચનીય નાશવંત નુકશાનવાળી દીશા અભયકુમારના જેવી હજુ સુધી થઈ નથી ! પ્રશ્ન - દીક્ષા માટે અમારે વાંધો નથી પણ શ્રાવકની સલાહ લે કે નહિ?
જવાબ- સલાહ કે સત્તા, કારણ કે સલાહ તો અત્યારે લેવાય છે પણ યુવકોના નિવેદન નિહાળશો તો માલમ પડશે કે સલાહનો અંશ નથી, પણ એક પૂજ્ય સંસ્થા પાસેથી ન સાંભળી શકાય, ન લખી શકાય