SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૩૪ ૨૫૯ શ્રી સિદ્ધચક્ર વીતરાગ માર્ગની પ્રણાલિકાને અખ્ખલિત વહન કરાવવામાં ગણધર ભગવંતોનો જે પ્રયાસ છે તેટલો પ્રયાસ કેવળી ભગવંતોનો નથી અને તેથી જ સમવસરણમાં તેમનું સ્થાન તીર્થકર ભગવંત પછી બીજું જ છે. બલ્ટે શાસન સંચાલકોની પરમ અધિકતા છે. સાચો ચારિત્ર્યો કોઈ નહીં ! આ વાત ધ્યાનમાં લેશો એટલે તુરત લક્ષ્યમાં આવશે કે જૈન મત શું કહે છે. સર્વશપણું એક સમયમાં મળે તેમ વીતરાગપણું અનંતા જન્મોની મહેનતે મળે છે. શંકા મઝુમવાર ત્તેિ શાસ્ત્રાકારે ભાવચારિત્ર આઠ વખત જ હોય, માટે તમારે આઠ ભવની મહેનત કહેવી જોઈએ તેની જગાએ અનંતભવની મહેનત કેમ કહો છો? સમાધાન - એકડો શીખ્યા પછી એક વરસમાં આંકનું ધોરણ પુરું થાય અને સાત વરસમાં સાતે ધોરણ પુરાં કરી શકાય પણ એકડો સાચો કરવા માટે ખોટા લીટા કરતાં કેટલા દિવસ થાય, સાચો એકડો કોના પ્રતાપે? ખોટા લીટાના પ્રતાપે. સ્લેટો ભાંગી નાંખવી અને પેનો ખોઈ નાંખવી અને લીટા કાઢીને વખત પુરો કર્યો છતાં સાચા એકડા માટે તે નકામું ન ગમ્યું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કોઈ . શીખીને આવ્યું નથી, એવાં દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે પણ ભાવચારિત્ર માટે દેવા યોગ્ય દિલાસાના દાન વસ્તુ સ્થિતિને નહિ સમજનાર દરિદ્રીઓથી (દ્રવ્ય) દેવાતા નથી. ખોટા ચારિત્રના પ્રતાપે ભાવચરિત્ર થાય અને તેનું ચારિત્ર સાત આઠ ભવમાં મોક્ષ અપાવે, લીટા કર્યા વગર એકડા કરનાર કેટલા? કોઈ નહિ, તેવી રીતે ખોટા ચારિત્ર વગરનો સાચો ચારિત્રીયો કોઈ નહીં એકજ દાણો કદાચ કહેશો કે મરૂદેવા ખોટા (દ્રવ્ય) ચારિત્રમાં ક્યારે રહ્યાં? ત્રસપણું પામ્યા નથી. પંચેદ્રિય થયા નથી, વનસ્પતિ સિવાય બીજો ભવ દેખ્યો નથી તો તેમને ખોટું (દ્રવ્ય) ચારિત્ર ક્યાં કર્યું, ત્યારે તેમને તો લીંટા વગર એકડો કર્યો એટલે ખોટું ચારિત્ર કર્યા વગર નિરતિચાર ભાવચારિત્રનું સેવન કર્યું, તો પછી પ્રશ્ન - ખોટા વગર સાચું ચારિત્ર ન હોય તેમ તમે કહો છો તેનું શું? જવાબ - આછેરું. શંકાકાર - કલ્પસૂત્રમાં દશ અછરાં (આશ્ચર્ય) સાંભળ્યા છે પણ આ તમે કીધું તે અગીયારમું આછેરું સાંભળ્યું નથી. સમાધાન - પંચવસ્તુકાર ભગવાન શ્રી હિરભદ્રસૂરીશ્વરજી મહારાજા પા. ૧૪૧ ગા. ૯૨૪મીમાં કથન કરે છે કે મરૂદેવાને દ્રવ્ય ચારિત્ર વગર નિષિત ભાવચારિત્ર આવ્યું તે આશ્ચર્ય છે, દશ આશ્ચર્યમાં નથી પણ ઉપલક્ષણથી તે વાત ગણી લેવી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy