________________
૨૫૮
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર એકજ સમયમાં મેળવી શકીએ અને કોઈ કાળે નાશ ન પામે તે તરફ લક્ષ્ય બાંધો. કોડની સંખ્યાને ભણવા, જાણવી અને માનવી જેટલી સહેલી છે તેટલી ક્રોડ મેળવવામાં સહેલાઈ નથી.
તેજ પ્રમાણે વસ્તુને ભણવી, જાણવી અને માનવી જેટલી સહેલી છે તે કરતાં તે વસ્તુને અમલમાં મુકવી તે કંઈક ગુણી મુશ્કેલ છે. પરમ બાધિકતા
જિનેશ્વરના વચનામૃત શ્રવણ કરનાર દરેક શ્રોતાઓને મહેનત નકામી થાય છે એ વાત સારી રીતે તેઓ જાણે છે પણ અમલમાં મુકી શકતો નથી. એવી રીતે આત્માની ઋદ્ધિ કેવળજ્ઞાન-દર્શન-અનંતવીર્યસુખ આદિ જાણવા માનવા સહેલા છે પણ તે મેળવવા માટે મથવું ઘણું જ મુશ્કેલ છે. જીનેશ્વરના વચનને નહિ માનનાર અને નહિ સમજનારને આત્માની ઋદ્ધિનો ખ્યાલમાં ન હોય અને તેથી મેળવવામાં બેનસીબ રહે એ બનવા જોગ છે પણ જેઓએ રિદ્ધિ જાણી છે તેવાઓને પણ મેળવવી તે ઘણી કઠણ વાત છે.
કારણ એકજ, એ મેળવે કોણ? કોડોની મિલ્કત મેળવે કોણ? જાણ્યા પછી કેડ બાંધી મહેનત કરે તે મેળવે, તેવી રીતે આત્માની ઋદ્ધિ જાણીને પણ મેળવે ક્યારે? કેડ બાંધીને ઉદ્યમ કરે ત્યારે.
સર્વશપણે એકજ સમયમાં. એકજ સમયમાં લાવે કોણ ! વીતરાગપણે આવ્યા સિવાય સર્વશપણું સીધી રીતે આવતું નથી. જૈનશાસન વીતરાગપણું પ્રાપ્ત કરાવવા માટે જ જન્મે છે, સર્વશપણું વીતરાગપણની વાંસે પડેલું છે.
પ્રશ્ન - ઉદ્યમ શાના? સર્વજ્ઞપણાનો કે વીતરાગપણાનો?
સમાધાન - વીતરાગપણાનો જ ઉદ્યમ હોઈ શકે અને તેટલા જ માટે તીર્થંકર મહારાજને વીતરાગ કહીએ છીએ, અને તેજ મુદ્દાસર બોલાવીએ છીએ.
સર્વજ્ઞપણાથી ઓછી અવસ્થા વીતરાગપણામાં છે. શાસનનું ધ્યેય વીતારાપણું છે. જીનેશ્વર શબ્દ શા માટે ? આખા મતને જૈન મત નામથી સંબોધાય છે સર્વજ્ઞમત તરીકે કેમ નહીં? સર્વશ્વર કેમ ન કહ્યાં? જવાબ એકજ દેવો પડશે કે સર્વાપણું એ ધ્યેય નથી પણ વીતારાપણું તેજ ધ્યેય છે.
વીતરાગ વીર વિભુના શાસનમાં જ્ઞાનની મહત્વતા વધારે ગણી પણ કયા જ્ઞાનની વધારે ગણી? જે જ્ઞાન વીતરાગપણાની આડે ન આવે. માટે વીતરાગપણાને ન પમાડે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન.
તીર્થકરોની પર્ષદામાં ગણધરો આગળ બેસે અને કેવળીઓ પાછળ બેસે.ગણધરો સર્વજ્ઞ નથી છતાં પાછળ કેમ બેસે તે કારણ તપાસીએ. કેવળીઓ પોતાના આત્મ અપેક્ષાએ અધિક છે. પણ આખા જગતને વીતરાગ માર્ગદર્શક હોવાથી આ મહાપુરુષો (ગણધર ભગવંતો)ની પ્રભુ શાસનમાં પરમ અધિકતા છે.