________________
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૫૫
T સુધા-સાગર | ક
નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક
શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૧૦૧૫ દુઃખ ડરવાવાળા અને સુખની ઇચ્છાવાળા તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો હોય છે
પણ સમકિતિ જીવ દુઃખને છોડવાને અને સુખની પ્રાપ્તિનું ધ્યેય ગૌણ કરી બાહ્ય સુખનો ત્યાગ
કરી બાહ્ય દુઃખ વેઠવા માટે પણ તૈયાર થાય છે, તેમાં આત્મસ્વરૂપનો વિકાસ જ ધ્યેય હોય છે. ૧૦૧૬ સમ્યગુષ્ટિ જીવ પરમાર્થને જાણનાર હોવાથી અઘાતિ કર્મ બાંધે કે જે સુખદુઃખની સદ્ગતિ દુર્ગતિ
આપે છે તેવાથી તેઓ ડર રાખતા નથી તે ઘાતકર્મો ખુદ આત્માના ગુણોને વિનાશ કરે છે તેનાથી
ભય રાખે છે. ૧૦૧૭ અઘાતિકર્મનો ઉદય માત્ર પુગલમાંજ ફાયદો કે નુકશાન દેખાડે છે. (આત્મામાં ક્વચિત્ ફેરફાર
થાય પણ સીધો તેનો વિપાક પુદ્ગલ ઉપરજ છે.) ૧૦૧૮ ઘાતિ કર્મનો ઉદય આત્માના ગુણ ઉપર અસર કરે છે (આત્મામાં અસર કર્યા પછી કથંચિત
પુગલ પર પણ અસર થાય પણ ધાતિની સીધી અસર તો પુદ્ગલ ઉપર જ છે.) ૧૦૧૯ “ઘાતિ' વિશેષણ જ જ્ઞાનાવરણીયાદિ જ કર્મોનું ભયંકરપણું જણાવવા પુરતું છે. ૧૦૨૦ તત્ત્વથી વિચારીએ તો વેદનીયાદિક કર્મને લાગેલું “અઘાતિ' એવું વિશેષણ નિર્વિષ સર્પની માફક
નિર્ભયતા જણાવનારું છે. ૧૦૨૧ જ્ઞાનાદિક ગુણો રોકવાવાળા ઘાતિ કર્મના બંધાદિ કરતાં અઘાતિના ઉદયથી થતાં દુઃખાદિકથી
સમ્યગુદૃષ્ટિને તેવો ભય હોતો નથી એ સ્વાભાવિક છે. ૧૦૨૨ ઘાતિ શબ્દ ન ધાતુ ઉપર બિન લાવીને બનાવેલો હોઈ ધાતિક આત્માના ગુણોને તે પણ જરૂરી
ઘાત કરવાવાળા જ છે એમ જણાવે છે. ૧૦૨૩ પાટલીપુત્રમાં “શ્રુત સંમેલન માટે એકઠો થયેલો સંઘ તે કેવલ શ્રમણોનો સમુદાય હતો. ૧૦૨૪ વજસ્વામીજીએ પુરિકાપુરી નામની સુકાળવાળી નગરીએ લઈ જવાયેલો સંઘ શ્રમણ (સાધુ)ના
સમુદાયરૂપજ હતો. તેવી જ શય્યાતર કુંભકારને તે પટ ઉપર ચઢવા માટે ચોટલી કાપી સાધુતા
સ્વીકારવી પડી. ૧૦૨૫ ગોષ્ઠા માહિલને વંદનાદિ બાર પ્રકારના રિવાજને બંધ કરી સંઘ બહાર મેલનારો સંઘ પણ સાધુના
સમુદાય રૂ૫ હતો.