SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ તા.૧-૩-૩૪ શ્રી સિદ્ધચક્ર ખરી પણ કોણ તર્યા ? ત્યાગની બુદ્ધિવાળા તર્યા છે, કાંઈ આરંભ પરિગ્રહની બુદ્ધિવાળા તર્યા નથી. સ્વલિંગ નથી જોઈતું એમ ધારનારો તરતો નથી, ત્યારે તત્ત્વથી શાસ્ત્રકારોએ ચારિત્રને ખુદ મોક્ષનું લિંગ કહ્યું એવું ચારિત્ર, એવા ઓધામુહપત્તિ અનંતી વખત લેવા છતાં ન વળ્યું એ ઉપરથી હવે લીધાથી શું વળશે એમ નહિ ધારવું પણ અનંતી વખત કારણથી કાંઈ ન વળ્યું તે કારણજ દૂર કરવા (પદ્ગલિક લાલસાનો ત્યાગ કરવા) શાસ્ત્રકારો ભારપૂર્વક કહે છે-ચેતવે છે. દેવગુરુની આરાધનામાં, ચારિત્ર પાલનમાં, દરેક ધર્મક્રિયાના સેવનમાં એક રૂઆડે પણ પીદ્ગલિક સુખની ઈચ્છા રાખવી નહીં. જેઓ એમ કહે છે કે-“અનંતી વખત ઓધામુહપત્તિ લીધા છતાં કાંઈ ન વળ્યું તો હવે શું વળશે? તથા શાસ્ત્રના “કાનાને દૂર કરીને શસ્ત્ર બનાવનારાઓને શાસ્ત્ર અનંતી વખત ન ફળ્યું તેથી તેવાઓ કહે કે “હવે એ શાસ્ત્રથી શું વળશે?” તેવાઓને પૂછીયે કે- “આ સંસારમાં તે ઓઘામુહપત્તિ અનંતી વખત લીધા કે બાઈડીઓ? ધન વધારે વખત રાખ્યું કે અકિંચનપણું? છોકરાં છેયાં, હાટહવેલી વિગેરે વધારે વખત મેળવ્યાં-ભેળાં કર્યા કે ત્યાગ? આના જવાબમાં ઓઘામુહપત્તિ, ત્યાગ, અકિંચનત્વ વધારે વખત સ્વીકાર્યું એમ કોઈજ નહિ કહી શકે કેમકે દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ પણ મહા મુશ્કેલ છે, અનંતે ભવે મળે છે. હવે ઉપરોક્ત ચીજોમાંથી જે વધારે વખત મેળવી તેનું ફળ શું મળ્યું? બાયડી વિગેરે મેળવ્યા તેનું ફળ મેળવ્યું શું? આરંભ વિષયાદિકનું ફળ દુર્ગતિ છે. અનંતાનંત વખત જે મળ્યું, જેનાથી ખાસડાં ખાધેજ ગયા તેનાથી હજી ખસવાનું મન થતું નથી! ઓછામુહપત્તિ દ્રવ્ય ચારિત્ર) નિષ્ફળ નથીજ. આ જીવે અનંત વખત ઓઘામુહપત્તિ લીધા એમ જેમ શાસ્ત્રકાર કહે છે તેમ એજ શાસ્ત્રકારો એ પણ કહે છે કે આ જીવ અનંતી વખતે નરક જઈ આવ્યો છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવનારાઓ આ કેમ ભૂલી જાય છે ? એ નરકથી કંટાળો કેમ નથી આવતો? અનંતાનંત વખત ભૂલ કરી પરિણામમાં જુતીયાં ખાધાં છતાં હજી ભૂલ કરતાં અટકવાનો વિચાર સરખો નથી આવતો? અનંતી વખત જે વધારે મેળવ્યું તેનું ફળ તો આ નર્કાદિક ગતિ એજને ! કાયમ રખડપટ્ટીજને ! હવે ઓઘામુહપત્તિ નકામા ગયા એ વાત વિચારીએ. મોક્ષની અપેક્ષાએ એ નકામા ગયા એમ કહેવાય, ભલે મોક્ષ ન મળ્યો એ કબુલ પણ જે મળ્યું તે શું મળ્યું? દ્રવ્ય ચારિત્ર દેવલોકની ઈચ્છાએ પાળ્યું તો દેવલોક મળ્યો. શ્રાવકપણું જો ભાવથી પળાય તો તેનાથી ચઢીયાતો દેવલોક દ્રવ્ય ચારિત્રવાળાને મળે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક બારમા દેવલોક જાય. ભાવથી ઉત્કૃષ્ટ સમ્યકત્વનું પાલન કરનારો જે ગતિ (સદ્ગતિ) પામે તેના કરતાં દ્રવ્ય ચારિત્રવાળો ઉત્કૃષ્ટ ગતિ પામે. મોક્ષને અંગે સમ્યકત્વ ચઢીયાતું, ઘણુંજ જરૂરી, પ્રથમ અને પરમ આવશ્યક એ વાત બાજુ પર રાખીએ. સમ્યકત્વે તથા દેશવિરતિએ જે ન કર્યું તે આ દ્રવ્ય ચારિત્રે કરી દીધું. જેણે નરક નિવારી એને નકામું કહો છો? જેણે અનંતી વખત નરક નિગોદમાં નાખ્યા તેની તો વાતજ કરતા નથી ! આ તો પેલી દેરાણી જેઠાણીના દષ્ટાંત જેવું કરો છો. જેઠાણી દેરાણીને કહે છે કે-“તારો ભાઈ તો અહીં પડ્યો પાથર્યોજ રહે છે, ઓણ આવે ને પોર પાછો આવ્યો છે, આવ્યો છે જ્યારે મારો ભાઈ તો બિચારો આજ ગયો ને પાછો કા....લે આવશે ! એ આજ ને કા...લમાં છેટું કેટલું? તેવીજ રીતે બાયડી છોકરાં, પૈસા ટકા, રાજ્યરિદ્ધિ, સત્તાસંપત્તિ, વિષયકષાયો અનંતી વખત મળ્યા જેના લીધે નરક નિગોદ મળ્યાં તેની તો વાત સરખી
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy