________________
૨૪૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
મૂળ નંદી કો લેવો કે જેને આધારે સ્થાપનાનંદીની પૂજ્યતા થાય આગળ ભાવનંદીના પ્રકરણમાં જ્ઞાનપંચકરુપી ભાવનંદી કહેવામાં આવશે અને તેજ ભાવનંદીની અપેક્ષાએ અહીં સ્થાપનાનંદી લેવો જરૂરી છે, પણ કોઈપણ ચીજની સ્થાપના કરવામાં તે મૂળ ચીજના આકારનીજ મુખ્યતા હોય છે, અને જ્ઞાનપંચકરૂપ નંદીનો અરૂપી હોવાને લીધે તેવો કોઈપણ આકાર નથી, કે જે આકારની આપણે સરખાવટ કરીને સ્થાપના કરી શકીએ, પણ પ્રથમ આપણે સ્થાપનાની સિદ્ધિના અધિકારમાં જણાવી ગયા છીએ તેમ તેવા અરૂપી ગુણાદિની સ્થાપના વખતે આપણને તેના આધારભૂત દ્રવ્યના આકારની સરખી આકૃતિવાળી સ્થાપના લેવી પડે છે, તેવીજ રીતે અહીં પણ જ્ઞાનપંચકનો કોઇપણ આકાર ન હોવાથી તેમજ અરૂપી હોવાથી તેની સ્થાપના સ્વતંત્રપણે શકય નથી તે સ્વાભાવિકજ છે, પણ તે જ્ઞાનપંચકવાળા સાધુ વિગેરેની સ્થાપના કરવી ને તેનેજ સ્થાપનાનંદી માનવી એજ બંધબેસતું થશે. એમ નહિ કહેવું કે જ્ઞાનપંચકની સ્થાપના કરવાને અંગે કરેલી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપનાને સ્થાપનાસાધુ કહેવા કે સ્થાપનાનંદી કહેવી ? એમ નહિ કહેવાનું કારણ એજ કે સ્થાપના કરાતા ભાવસાધુ અને ભાવનંદીમાં કોઇપણ પ્રકારે વિરૂદ્ધતા નથી. જેમ સ્થાપના કેવળજ્ઞાન અને સ્થાપન કેવળદર્શનને અંગે બંને ગુણરૂપ ભાવ જુદા છતાં પણ તે બંને ગુણ અવિરોધી હોવાને લીધે, તે બંને કેવળજ્ઞાન અને કેવળદર્શનનું સ્થાપન એકજ કેવળીના જીવથી મળેલા શરીરદ્વારા એ કરાય છે, તેવી રીતે અહીં પણ સાધુપણું અને જ્ઞાનપંચક પરસ્પર વિરોધી નહિ હોવાથી જ્ઞાન પંચકવાળા સાધુની સ્થાપનાને જેમ સ્થાપના સાધુ કહેવાય તેમ સ્થાપનાનંદી પણ કહી શકાય, અને તેથીજ ભાવનંદી રૂપ જ્ઞાનપંચકવાળા સાધુ આદિકની સ્થાપનાનેજ શાસ્ત્રકારો સ્થાપનાનંદી હે છે. કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે સ્થાપનાના સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપના એવા બે પ્રકારે ભેદો જણાવી આકારસહિતપણું અને આકારરહિતપણું જણાવે છે તોપછી આ સ્થાપનાનંદીને આકારરહિતપણારૂપ અસદ્ભાવ સ્થાપનામાં કેમ નહિ લઇ જવો ?
સદ્ભાવસ્થાપના અસદ્ભાવસ્થાપના
આ શંકાના સમાધાનમાં જણાવવાનું કે સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપનામાં જણાવેલો આકારનો સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાના સ્વરૂપની અપેક્ષાએ છે, એટલેકે સ્થાપ્યનો આકાર જો સ્થાપનામાં હોય તો તેને સદ્ભાવ સ્થાપના કહેવાય, અને જે સ્થાપનામાં સ્થાપ્ય વસ્તુનો આકાર ન હોય છતાં સ્થાપ્યની સ્થાપના કરાય તો તેને અસદ્ભાવ સ્થાપના કહેવામાં આવે છે, અર્થાત્ સ્થાપ્યનો આકાર સ્થાપનામાં હોય તેથી સદ્ભાવ અને તેમાં તેનો આકાર ન હોય તેથી અસદ્ભાવ સ્થાપનાપણું છે આ ઉપરથી જેઓ સદ્ભાવ અને અસદ્ભાવ શબ્દો દેખીને સદ્ભાવનો અર્થ સાચો અને અસદ્ભાવનો અર્થ જૂઠો એમ કરતા હોય તેઓએ પોતાનો ભ્રમ છોડી દેવાની જરૂર છે, કેમકે અહીં તો સ્થાપ્યના આકારનો સદ્ભાવ અને અસદ્ભાવ લઇનેજ સદ્ભાવ અને અસદ્ભાવ શબ્દો વાપરેલા છે, એટલે સ્થાપ્યના આકારના સદ્ભાવવાળી સ્થાપના તે સદ્ભાવ સ્થાપના, અને સ્થાપ્યના આકારના અસદ્ભાવવાળી સ્થાપના તે અસદ્ભાવ સ્થાપના ગણાય છે. ઉપરની હકીકત વિચારનારને સહેલાઈથી સમજાશે કે સદ્ભાવ સ્થાપનાપણું અને અસદ્ભાવ સ્થાપનાપણું છે, પણ સ્થાપ્યનો આકાર હોય તો તેની સ્થાપનાને સદ્ભાવ સ્થાપના કહેવી, અને સ્થાપ્યનો આકાર ન હોય તો તેની સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના કહેવી, એવું છે નહિ, એટલે જ્ઞાનપંચકરૂપ નંદી પોતે આકાર રહિત હોવાથી તેની કોઇપણ સ્થાપના તે અસદ્ભાવ સ્થાપના