________________
- શ્રી સિદ્ધચક -
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૩-૨-૩૪ મંગળવાર ના વીર સંવત ૨૪૬૦.
મહા વદ ૦))
{ વિકમ , ૧૯૯૦
અંક ૧૦ મો.
}
૦ આમ-હય. ૦ બચાવવામાં પાપ માનનારાઓ પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા પર પાણી ફેરવે છે. વર્તમાન આસ્તિક દર્શનકારોથી જૈનદર્શનનું હેતુ પુરસ્સર આસ્તિકપણું સૈકાલિક દ્રવ્યજીવનની માન્યતા સાથે સમ્યગદર્શનનાદિરૂપ ભાવજીવન જીવનાર જીવ શબ્દનું યથાસ્થિત સ્વરૂપ. દ્રવ્યપ્રાણી અને ભાવપ્રાણોની દલીલપુરસ્સર સમજાવટ. સર્વપણાનો સ્વભાવ સ્વીકાર્યા વગર હરકોઈ દર્શનકાર સર્વજ્ઞ સ્વીકારી શકતો નથી. જ્ઞાનને ઉત્પન થતું માનનારા પક્ષોને આપત્તિરૂપ સર્વશપણું. ઉત્પાદ્યાન અને શાનાધાર આત્મા સ્વીકારનારા દર્શનકારોની વ્યુહરચનાને જમીનદોસ્ત કરનાર જૈનશાસન. અનુભવસિદ્ધ સ્મરણાદિભાવો. સ્મરણાદિને રોકનારા કર્મો સ્વીકારવાની અનિવાર્ય જરૂર. જ્ઞાનાધિકરણ આત્મા સ્વીકારનારા તૈયાયિકોની દલીલોનો હેતુ પુરસ્સર જવાબ. (ગતાંકથી ચાલુ) બચાવવાનું ન માને તે પાંચમહાલતને માનતો નથી.
આ ઉપરથી જેઓ સર્વથા એમ માને છે કે પ્રાણી પોતાનાં કર્મોથીજ જીવે છે અને મરે છે, પણ તેને 'કોઇપણ મનુષ્ય બચાવી કે મારી શકતો નથી. આવું બોલનારા સૂત્ર વિરૂદ્ધજ બોલનારા હોઇ મહામૃષાવાદી