SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઇટલ પાન ૪ નું અનુસંધાન) ત્યાર પછી નેપાળ દેશના માર્ગમાં (નેપાળના પ્રદેશમાં) રહેલા શ્રી ચૌદ પૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી વાચના લેવાને (મેળવવાને) તે શ્રી સંઘે બે મુનિને શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા પેલા તેમણે ત્યાં જઈ, બે હાથ જોડી, શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતિ કરીને કહ્યું કે આપને શ્રી સંઘ બોલાવે છે. //૬ol ભદ્રબાહુ સ્વામીએ જણાવ્યું કે હાલ મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભ્ય છે અને તે બાર વર્ષે પુરૂં થાય છે માટે હાલ તો મારાથી આવી શકાય નહિં Il૯૧ તે મહાપ્રાણ ધ્યાન પ્રાપ્ત થયે છતે કોઈ કારણ પ્રસંગે ચૌદ પૂર્વ સૂત્ર તથા અર્થસહિત એક મુહૂર્ત માત્રમાં ગણી લેવાય તેવી શક્તિ પ્રાપ્ત થાય છે. દરા આમ સાંભળી તે બન્ને મુનિએ જઇને શ્રી સંઘને કહ્યું જે સાંભળીને સંઘે બીજા બે મુનિને બોલાવીને ફરીથી આદેશ કર્યો કહ્યું કે તમે જઇને શ્રી ભદ્રબાહુ સ્વામીને કહો કે જે શ્રી સંઘનો હુકમ માન્ય ન કરે તેને શું દંડ હોય તે અમોને કહો ૬૪ આચાર્ય મહારાજ જ્યારે એમ ફરમાવે છે કે એને સંઘ બહાર કરવો (ત્યારે તે મુનિઓએ કહ્યું કે) તે દંડને યોગ્ય તમોજ છો .પા. આથી આચાર્ય મહારાજે કહ્યું કે ભગવાન શ્રીસંઘ એમ ન કરો પણ આ (હવે હું જે કહેવા માગું છું તે) કરો દદી મારા ઉપર પ્રસાદ કરતો શ્રી સંઘ પોતાના બુદ્ધિમાન શિષ્યોને વાંચના લેવા અત્રેજ મોકલો જેથી હું તેને સાત સાત વાંચના આપીશ . ll વિગેરે વિગેરે. ઉપર પ્રમાણેજ તેમજ આવશ્યક સૂત્રની પૂર્વર મહારાજકૃત ચૂર્ણિ, હારિભદ્રીયવૃત્તિ તથા પરિશિષ્ટ પર્વના સ્પષ્ટ લખાણો છતાં કેટલીક સંસ્થાઓ શ્રી સ્થૂલભદ્રની સંસારનૌકા જેવી નવલકથાઓનાં જૂઠાં અને સત્ય ઇતિહાસોનાં સર્વથા ખૂન કરનારા જેવાં ઉડાઉ લખાણો પ્રગટ કરે અને તે સમાજમાં સ્થાન પામે એ ઓછું તો શોચનીય નજ ગણાય! આથી પણ વિશેષે ખેદ તો એને માની શકાય કે અત્યારના જૈન જગતનાં શ્રાદ્ધ સંઘમાં સંસ્કૃતાદિ જ્ઞાન ધરાવનાર વૃદ્ધ પત્રકાર શ્રાવક પણ તેને આગળ કરે છે ! કેટલું અંધેર! માલુમ નથી પડતું કે શ્રદ્ધા કયા ખૂણામાં વાસ કરે છે. સાધુ ઉપર સત્તા સ્થાપવાની ધૂનમાં ઘેલા બનેલા આત્માઓ આગળ પાછળનો કશા સંબંધ તપાસ્યા અને વિચાર્યા વિના જ પોતાને જરૂરી મનાતી આરાધક વસ્તુને તેના સ્થાનથી ભ્રષ્ટ કરવા મહાપુરૂષોની આશાને કેવી આબાદ ઠોકરે મારી શકે છે તેનો અજોડ નમુનો વૃદ્ધ શ્રાવકજીએ ખડો કર્યો છે એ જોઈ કોને ખેદ ન થાય? પૂજાવાની ભાવના હોય તેણે પૂજ્ય બનવાના એકેએક પ્રયાસોનો અમલ કરવો જ જોઇએ? આમ કરવાને અશક્ત એવા કર્માધીન કાયર બનેલા આત્માઓએ એ ભયંકર કાયરતાને દૂર કરી પોતે પણ પૂજનીક બનવા પૂજ્ય મુનિવરોની સર્વમાન્ય સત્તાને નિઃશંકપણે સ્વીકાર્યા સિવાય જૈનદર્શનનો કોઈપણ આદમી આરાધક કોટિમાં ટકી શકતો નથી અને એ શુભ અવસર આ બૃહતુ. સંમેલનમાં શ્રાદ્ધ વર્ગને અવશ્યમેવ પ્રાપ્ત થશે ! લિ. ચંદ્રસા૦
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy