________________
૨૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧-૩૪
પ્રયત્ન કરવાદ્વારા” આવા આવા અર્થો કરનારા તેમજ પ્રકરણને ઉથલાવવા પૂર્વક બદ્ધાગ્રહ બાલીશતા અને નાક કાપીને અપશુકન કરવાની રીતિ વિગેરે અસભ્ય શબ્દ ઉચ્ચારનારાઓ પોતાની દશાનું દિગ્દર્શન કરાવે છે.
૧૧. જ્ઞાનત્રયોપેતત્વીદૂ એ હેતુ સ્નેહ જાણવા માટે સ્પષ્ટપણે છતાં અને અભિગ્રહમાં માતપિતા સ્નેહ હેતુ છે એમ સ્પષ્ટ જણાવ્યા છતાં હેતુને ઉથલાવીને અભિગ્રહમાં તે (હેતુને) લેનારો કેવો ખોટે રસ્તે જાય છે તે હેજે સમજાય તેમ છે.
જૈ.પ.વ.પ.અં.૪૫ ૧. સમ્યગુદષ્ટિ ગુરૂકુલવાસી શાસનહિતૈષી શાસનપ્રેમિયો તો સદાકાલ શાસ્ત્રાનુસારેજ બોલે છે, પણ ઇતરોએ દીક્ષા વિરોધને લીધે મૂઢ, વાત્ર, નિરિવા, મા વગેરે અનેક વાકયો અને પ્રકરણોનો દુરપયોગ કર્યો છે તે જૈનજનતાની જાણ બહાર નથી.
૨. જૈનશાસ્ત્રો સાધુસમુદાયને સંઘ તરીકે જણાવીને તેનેજ મેરૂ પદ્મ વગેરેની ઉપમા આપે છે, શ્રાવકોને તો મોર અને ભમરા જેવા ગણ્યા છે. માટે તેઓની સત્તાનો મદ કે પ્રવાદ ખોટો જ છે.
જૈન.વર્ષ ૩૨ અં. ૨ ૧. એકાંતે જન્મથી આઠ વર્ષ પછીજ દીક્ષા થાય એમ માનનારે અનુત્તરનું નવ વર્ષનું આંતરૂં ને નવ વર્ષના આયુવાળાને થતો મોક્ષ વિચારવો, કેમકે બાર માસના પર્યાયે કેવલ અને અનુત્તર મળે છે એટલે પોણાદશ વર્ષેજ તેઓના મતે તે બે થશે.
૨. આઠમાને સ્થાને આઠ સમજનાર કેવા અજાણ ગણાય? ને ગર્ભથી આઠમું જન્મથી દર વર્ષે (સવા છ) થાય કે નહિ?
૩. બાલકપણામાં ચારિત્ર લેવાનો યોગ પૂર્વભવના સંસ્કારથીજ હોય છે એમ ન માનનારા પૂર્વભવ ઉદય અને ક્ષયોપશમાદિ કેમ માનતા હશે?
(જૈ. ધ. પ્ર.)
| (સુધા સાગર પાન ૨૧૯ નું અનુસંધાન). ૯૮૪ ક્ષયોપશમની મદદથી અને કર્મના ઉદયથી જ્ઞાન પુત્રની ઉત્પત્તિ માત્રથી એ રાજી થાઓ નહિ, કારણ
કે પુત્રની ઉત્પત્તિમાં માતપિતાની જરૂર પણ સુપુત્ર બનાવવામાં સુશિક્ષકની જરૂર છે. ૯૮૫ બારે દેવલોક, નવગ્રેવયક અને પાંચ અનુત્તર તેમજ સિદ્ધશીલાના એ સમર્થ સ્થાનો સંજ્ઞ પંચેન્દ્રીયોએ
ભરી દીધાં છે. ૯૮૬ રોગી વૈદ્યની અત્યંત ચાહે તેવી રીતે અજ્ઞાની જ્ઞાનની ચાહના રાખે છે. ૯૮૭ લાંબી મુદત સુધી જ્ઞાની જ્ઞાન અને જ્ઞાનના સાધનોની અનુમોદના કરવાવાળા અજ્ઞાનીઓ પણ જ્ઞાની
થઈ ગયાના સેંકડો દષ્ટાંતો શાસ્ત્રમાં છે. ૯૮૮ બહુમતિવાળા સમુદાયના બાહુનું જોર તેમજ અલ્પમતિવાળાઓની આડખીલી પ્રભુશાસનમાં લેશભર
ચાલતી નથી અને ચાલશે પણ નહિં, કારણ કે વિદ્યમાન આગમની નિશ્રા સ્વીકારનારો ચાહ્ય અલ્પ
સમુદાય કે મોટો સમુદાય હોય તો પણ સર્વત્ર સર્વદા આગમની નિશ્રાએ કોણ એ જોવાની જરૂર છે. ૯૮૯ નાટ્યકારોએ નાટકને દુનિયાના દર્પણ તરીકે ભલે જાહેરાત કરી હોય પણ વસ્તુતઃ તે બદીની
નિશાળ છે.