________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક
૨૦૫
સમાલોચના || જ
૧. એક વખત તારક દેવના કૃત્યોની અનુકરણીયતા ન હોય એમ કહેવું, વળી અનુકરણ ન હોય એવું કથન કરવું, ફેર આજ્ઞાને અનુસરતું અનુકરણ હોય એમ કહી છેવટ આજ્ઞાને બાધ આવે તેવું અનુકરણ ન હોય એમ કહી પ્રસંગે પ્રસંગે જુદું જુદું બોલવામાં અને લખવામાં શ્રોતા અને વાંચનારાને અન્યાય આપ્યો છે કે નહિ? તે તેઓએ સ્વયં વિચારી લેવાની જરૂર છે.
૨. શાસનપ્રભાવક આચાર્ય શ્રીમાનું રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તથા શાસન ધુરંધર મહોપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજ શ્રી અર્થદીપિકા અને ધર્મસંગ્રહમાં સ્પષ્ટપણે જણાવે છે કે અદેવ, અગુરૂ અને અધર્મને, દેવ, ગુરૂ ધર્મપણાની બુદ્ધિથી આરાધન કરે તોજ પરમાર્થ દષ્ટિએ મિથ્યાત્વ ગણાય.
૩. “અપવાદપદે છે” એ વાકય મિથ્યાત્વના લક્ષણ માટે નથી, પણ મિથ્યાત્વ વર્તન માટે છે, કારણકે લક્ષણ અને વર્તનના પારમાર્થિક ભેદને સમજવાની જરૂર છે.
૪. મિથ્યાત્વિયાદિનું આરાધન મિથ્યાત્વની વૃદ્ધિ અને તેના સ્થિરીકરણના પ્રસંગવાળું છે, અને તેથી થતા દુર્લભબોધિપણા માટે વર્જવાનું છે, આ ઉપરથી મિથ્યાદષ્ટિયક્ષાદિની પણ આરાધના વખતે શ્રદ્ધાવાળાને મિથ્યાત્વ થવાનું જણાવતા નથી અને જૈનધર્મની ઇતરધર્મોથી અતિશયિતા નહિં હોવાને લીધે મિથ્યાત્વવૃદ્ધિ વિગેરે પણ કાલદોષથી કહે છે.
૫. સમ્યદૃષ્ટિદેવતાનું કે શ્રી જીનેશ્વરભગવાનનું ઈહલોક ફળની પ્રાપ્તિ માટે આરાધન કરતાં તત્ત્વની શ્રદ્ધાવાળાને પણ દ્રવ્યક્રિયાપણું નથી, પણ મિથ્યાત્વ લાગે, એવાં વાક્યોમાં શાસ્ત્રીય પાઠની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે.
૬. મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ ન હોય એ વાતને ન સમજતાં, મિથ્યાત્વ વર્તનના અપવાદને આગળ કરે, અને મિથ્યાત્વ વર્તનના અપવાદના બહાના હેઠળ મિથ્યાત્વના નિરપવાદ લક્ષણને ઉથલાવવા મથે તેઓ લક્ષણ અને વર્તનના વાસ્તવિક તફાવતને સમજતા નથી એમ કહેવું આવશ્યક છે; કારણ કે રાજાભિયોગાદિક છ આગારો તો મિથ્યાત્વ વર્તન માટે પ્રસિદ્ધ છે.
૭. લોકોત્તર મિથ્યાત્વ સેવનારા શ્રદ્ધાળુ તે કાલે મિથ્યાદૃષ્ટિ ન કહેવાય, તો પણ લોકોકિક ફલથી શુદ્ધ દેવ, ગુરૂને શ્રધ્ધાપૂર્વક આરાધનારને અતિચાર હોય તો શંકાદિક પાંચ અતિચારોમાંથી કયો અતિચાર સમ્યકત્વને લાગે? તે શાસ્ત્રોક્તિથી જણાવવું આવશ્યક છે.
૮. દ્રવ્યક્રિયા અને લોકોત્તરમિથ્યાત્વના ભેદને નહિ સમજતા છતાં “મિથ્યાદષ્ટિ કહેવામાં પણ કશીજ હરકત નથી” એમ બોલનારા પોતાના આત્માને મિથ્યાત્વમાંથી કેમ બચાવતા હશે?
૯. પૂર્વાપરના વિચાર રહિત થઈને ભરતાદિક મહાપુરૂષો પણ મિથ્યાત્વી ગણાય એવું ખોટી રીતે લક્ષણ બોલનારાઓ પોતાને કેવી રીતે બચાવશે એ તેઓએજ સમજવાનું છે.
૧૦. “ગર્ભ પ્રયત્નકરણેન' આ પદ “ગર્ભની રક્ષા પોષણ આરિરૂપ માતપિતાના પ્રયત્ન દ્વારા એવા અર્થ માટે શાસ્ત્રકારોએ કહેલ છતાં તે ન સૂઝે ને “ગર્ભની અંદર પ્રયત્ન કરવા દ્વારા” અને “ગર્ભમાં રહીને