SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તા.૧૫-૧-૩૪ શ્રી સિદ્ધચક્ર સાધુમહાત્માને લાલચુ કહી શકીએ જ નહિ. જ્યારે રાગદ્વેષે ભરેલા સજ્જનો અને સાધુ મહાત્માઓ સજ્જનગણ અને સાધુ મહાત્માઓના સમુદાયના સંસર્ગ અને દાનના ફળોને બતાવતા દૂષિત કે અભિમાની ગણી કે માની શકાતા નથી, તો પછી જેઓ ક્ષીણ મોહનીયવાળા હોઈ વીતરાગ થઈને સર્વજ્ઞ થયેલા છે તેવા જિનેશ્વરદેવોના સમુદાયની પૂજાના ફળને જણાવે તેમાં સત્ય ઉપદેશ સિવાય બીજું કહી કે માની શકાયજ કેમ? જેમ એક સાધુ મહાત્મા ઉપદેશ દેતાં જણાવે કે સાધુ મહાત્માઓના નામગોત્રને શ્રવણ કરવા માત્રમાં પણ ઘણું જ ફળ છે અને તેના કરતાં સાધુ મહાત્માના સ્પામાં જવું, તેઓને વંદન કરવું, નમન કરવું, સુખશાતા પૂછવી અને ત્રિવિધ પર્યાપાસના કરવી તેમાં તો અનહદ લાભ છે. આવો ઉપદેશ કરનાર સાધુ મહાત્મા જેમ પોતાની એક વ્યક્તિને અંગે આ ઉપદેશ નહિ દેતો હોવાથી મહત્વાકાંક્ષાવાળા છે એમ જેમ કહી શકાય નહિ તેમજ તે ગૃહસ્થોનું સ્વામાં આવવા વિગેરેમાં થતું પ્રાણીનું નુકશાન કરાવનાર તે સાધુ મહાત્માજ છે એમ કહી શકાય નહિ, કારણ કે તે સાધુ મહાત્માનો ઉદ્દેશ પ્રાણીઓની બાધા માટે અંશે પણ નથી, પરંતુ માત્ર તે શાંતાઓના આત્માનું કલ્યાણ થાય તેજ તે સાધુમહાત્માના ઉપદેશનું તત્વ છે. તેવીજ રીતે સાધુ મહાત્માઓને પણ ભગવાન જિનેશ્વરદેવે સંયમપાલન માટે વિહાર અને નદી ઉતરવા વિગેરે કહેલાં છે તેમાં પણ જો કે અનેક પ્રાણીઓની વિરાધના રહેલી છે, છતાં ભગવાન જિનેશ્વરદેવના ઉપદેશનું તત્વ તે પ્રાણીઓની બાધાને અનુલક્ષીને નથી પણ માત્ર સાધુ મહાત્માઓના સંજમના પાલનને અનુલક્ષીનેજ છે. ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વજીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન પ્રભુમાર્ગ પ્રણિત આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફલ્યુફીનું-યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, ત્રણ અંકથી પૂજ્યપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદી પણ પ્રગટ ન થયેલ એવી સારભૂતઅવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણદ્વારા ઠેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષમય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારું શ્રી સિદ્ધચક પાકિ જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે. છતાં કોઈને કોઈપણ જાતની શંકા ઉદ્દભવે કાંઈપણ નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઇપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગે તો તુરત જણાવવાની અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં. તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy