________________
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચ્ચક
૧૦૫
(9D
(
8 )
W
WWવ
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
( ) વ ) વ ) વ ) ( ર ) B ( 5 ) . . . . . !
ગુલામી જીંદગી ગુજારનારાઓને માલીકીપણાનું મહત્ત્વ સમજાતું નથી. દોષની કબુલાતમાં ધર્મપણાનો સદ્દભાવ, અને દોષના ઈન્કારમાં અધર્મીપણાનો આવિર્ભાવ. આંખમાં રહેલી એબને અનુસરનારા આત્માઓ !! પારકી પંચાતમાં પડેલા ઉત્તમપણામાં, અને અધમપણામાં રહેલા વાસ્તવિક ગુણદોષો જોઇ શકતા નથી. “જમવામાં જગલો ફુટવામાં ભગલો” એ ભાંગીતૂટી કહેવતને ભરોસે ભુલુંપડેલું જગત! આત્મસમર્પણને ગુલામી કહેનારા વસ્તુતઃ આત્મ દુશમનો છે ! આત્મસમર્પણની બાંધેલી હદમાં શાસનની વાસ્તવિક વફાદારી. धर्मो मंगलमुत्कृष्टं, स्वर्गापवर्गदः ॥ धर्म संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ મહેનતનો માલીક કોણ?
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, કલ્યાણાર્થે ભવ્યાત્મવૃંદને ધર્મોપદેશ દેતાં પ્રથમ સૂચવી ગયા કે અનાદિકાલથી આ સંસારમાં રખડી રહેલો આ જીવ કોઇપણ જન્મમાં બનતી મહેનત કર્યા વગર રહ્યો નથી. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં (બેઈદ્રિય, તેઇદ્રિય ચૌરિંદ્રિયમાં), મનુષ્યપણામાં, દેવપણામાં કે નારકીપણામાં, દરેક સ્થળે મહેનત કર્યા વગર આ જીવ રહ્યો નથી. કયાંક આહાર માટે, કયાંક શરીર માટે, કયાંક ઈદ્રિયો માટે એના વિષયો, વિષયોના સાધનો માટે, અથવા એ બધા (પાંચ) માટે, યથાસ્થિતિ મુજબ, યથાશક્તિ મહેનત કર્યા વગર આ જીવ રહ્યો નથી, જન્મોજન્મ આ પાંચ માટે કરેલી મહેનત સર્વથા નિષ્ફળ નથી ગઈ એ પાંચે (આહાર, શરીર, ઈદ્રિયો વિષયો અને તેનાં સાધનો) મેળવ્યા, મહેનત પ્રમાણે ફળ પણ મેળવ્યું. ડુબકી મારનારાઓ દરીયામાં ડુબકી મારીને જે ચીજ કાઢે તેના માલીક તે ડુબકી મારનારાઓ નહીં, માલીક બીજોજઃ સોનાની ખાણમાંનો મજુર ખાણમાંથી સોનું કાઢે તે એનું ક્યાં સુધી ? જ્યાં સુધી ખાણના માલીક કે ઈજારદારને આપે નહિ ત્યાં સુધી મહેનતનું એ ફલ મજુરના ભાગ્યમાં ભોગવવાનું નથી, તેવી રીતે આ જીવ મહેનતથી જે મેળવે છે તે તેનો માલીક ક્યાં સુધી? આંખ ઊઘાડી છે ત્યાં સુધી અર્થાત્ નાશવંત પદાર્થો માટે મહેનત કરી, પણ માલીકીપણામાં મીઠું એટલે વસ્તુતઃ મહેનતના માલીક નથી.