________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૫૧
(હિ)
) શ )
) (
ર હિત
છે ,
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ચારસ્થંભો ઉપર સંસારીઓની સંસાર-ઇમારત. દુનિયામાં એક શોધ અધુરી છે. તે કઈ? તે એજ કે “મરતી વખતે સર્વપદાર્થો સાથે લઈ જવાય તેવી શોધા” મનગમતું મેળવવામાં પાછીપાની કરનારાઓ NU વિયોગ થવાનો જાણીને શું પહેલેથી છોડાય? મરવાનું જાણીને મશાણમાં સુઈ રહેવાની વાતો કરનારા માટે સાદી સમજ. સંયમકબાલાપર સહી કરનારા શ્રાવક-શ્રાવિકાઓ. પ્રભુમહાવીરદેવના અભિગ્રહમાં રહેલ પરમાર્થ. સાચી મહેનતનું ફળ સર્વકાળ ટકે છે એ નિર્વિવાદ છે. પ્રભુશાસનના પૂજારીઓ રજાના રંગઢંગ તરફ ઢળેજ નહિ. धर्मो मंगलमत्कष्ट, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ માટીમાં મળનારી મહેનત.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં પ્રથમ જણાવી ગયા કે આ સંસારમાં અનાદિકાલથી રખડતા આ જીવને હજી પોતાની એ રખડપટ્ટીની દશાનું ભાન કોઈપણ પ્રકારે થતું નથી. જેમ ડુબેલો મનુષ્ય જીવતો હોય છતાં પણ તે કેમ ટુવ્યો ? અને કેવી રીતે નીકળવું ? તે તે ડુબેલો છે તે અવસ્થામાં કાંઇપણ આપત્તિ ફીટાડવાનું ધ્યાનમાં લઈ શકતો નથી. એજ રીતે અનાદિકાલથી રખડતા આ જીવને પોતે રખડી રહ્યો છે એ વાતનો ખ્યાલ પણ રહ્યો નથી. દરેક જન્મમાં આખી જીંદગીની મહેનત ક્ષણ એકમાં માટી ભેળી થઈ જાય છે. દરેક ભવમાં આ જીવે મોટી મહેનતે શરીર વધાર્યું, તે સાચવવા જીંદગીપર્યત ભારે જહેમત ઉઠાવી, છતાં એનાથી છૂટા પડવામાં વાર કેટલી ? માત્ર એક સમય આખી જીંદગીની મહેનતનું ફળ ક્ષણ એકમાં માટીમાં મળી ગયું !! ધનનું ઉપાર્જન તથા રક્ષણ કરવા માટે, કુટુંબનું પાલન કરવા માટે માલમિલકત તથા આબરૂનું રક્ષણ કરવા માટે આખી જીંદગી મહેનત કરવામાં આવે છે છતાં છેલ્લે પરિણામ શું? કંચન, કામિની, કુટુંબ અને કાયા આ ચાર થાંભલા માટે આખા જગતની પ્રવૃત્તિ છે. મારામારી, ગાળાગાળી, લઢવાડ અને કષાયોની કારમી પ્રવૃત્તિ વિગેરે આ ચાર