________________
- શ્રી ત્યિક |
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-
સિરાક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૩૧-૧૨-૩૩ રવિવાર વીર-સંવત ૨૪૬૦ અંક ૭ મો. } પોષ સુદ પૂર્ણિમા { વિકમ , ૧૯૯૦
૦ આગમ-હર મેળવેલાં દ્રવ્યના સદુપયોગ કરવાનું સ્થાન સર્વદેવની સ્થાપના. સ્થાપનાની પૂજનામાં પારમાર્થિક નિર્જરા. પૂજનમાં હિંસા માનનારાઓના સંદેહોનું પ્રક્ષાલન પૂજનનો ક્રિયાકાળ અને ફળકાલની શાસનધારે વહેંચણ.. સ્થાપનાનું સ્થાન.
કેટલાક લોકો સ્થાપનાને માને છે. સ્થાપનાની દર્શનીયતા માને છે, તેમજ તે સ્થાપનાની પૂજ્યતા માનવામાં પણ અડચણ જોતા નથી, પણ સ્થાપનાને અંગે ચૈત્યાદિક સ્થાનોની જરૂરીયાત સ્વીકારતા નથી જરૂરીયાત નહિ સ્વીકારનારા એમ જણાવે છે કે સ્થાપના (મૂર્તિ)ની નિશ્રાએ લક્ષાવધિ સ્થાનો (મંદિરો) બનાવવામાં આવ્યાં છે, અને બને છે, તેથી અર્થવ્યય ઘણોજ નિષ્ફળ થાય છે, માટે સ્થાપનાને માની તેની દર્શનીયતા અને પૂજ્યતા માનનારે પોતાના રહેઠાણમાંજ તે સ્થાપના (મૂર્તિ) ગોઠવવી જોઇએ, અને એમ કરવાથી નિષ્ફળ એવો અર્થવ્યય બચી જાય અને આરાધક ગુણના બહુમાનવાળો તથા કૃતજ્ઞ બની પોતાના આત્માને ઉચ્ચતર સ્થિતિમાં લાવી શકે. આવું કહેનારાએ પ્રથમ તો વિચારવું જોઇએ કે કોઈપણ સંસ્થા અલગ સ્થાન વગર બદ્ધમૂલ થઈ શકતી નથી. મૂર્તિને નહિ માનનારાઓને