________________
૧૧
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર
નોંધ- શ્રીસિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર-સમાધાન તથા સુધા સાગરના વિભાગમાં અનુક્રમે નંબર પાંત્રીસ તથા એકત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી ગ્રાહકો માટે પ્રશ્ન-સમાધાન વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે. તંત્રી.
'સાગર-સમાધાન.
પ્રશ્ન ૧૪- અઠ્ઠાઈ મહોત્સવાદિના-ન્હાને સાધુ દીક્ષા રોકે તો પાપ છે એવું ક્યા સૂત્રમાં છે?
સમાધાન- દ્રવ્યસ્તવના ભોગે ભાવસ્તવ (ચારિત્ર) ને રોકી શકાય. દ્રવ્યસ્તવ કરનારને ઉત્કૃષ્ટ ફળ બારમો દેવલોક, અને ભાવાસ્તવવાળો અંતઃમુહુર્તમાં કેવળજ્ઞાન પામે, અને દીક્ષા એ ભાવસ્તવ છે. જુઓ શ્રીમહાનીશીથ સૂત્ર અને સ્તવર્ધચાશક. પ્રશ્ન. ૧૫- અઢારદોષ તપાસીને, યોગ્યતા જોઇને દીક્ષા આપવી ખરી કે નહિ?
સમાધાન- બધા અઢાર દોષો પહેલા તપાસવા માટે નથી, દોષો દેખાય તો રોકે, દોષ જોવા માટે રોકે નહિ તેમજ યોગ્યતા તપાસવા માટે તે દોષો નથી. હમારે પંડકઆદિને દિક્ષિત કરાય નહિં એમ કહેવાથી જણાય તો દીક્ષા દે નહિ. જીવો. શ્રીપ્રવચનસારોલાર, નિશીથભાષ્ય, પંચકલ્યભાષ્ય ધર્મબિંદુ, અને ગચ્છાચાર ટીકા.
પ્રશ્ન ૧૬- સર્વવિરતિના સાધ્ય વગર દેશવિરતિપણું સંભવે કે નહિ ?
સમાધાન- ન સંભવે, કારણ બારવ્રતના અતિચાર તમોએ સાભળ્યા હશે. પહેલું વ્રત અને તેના અતિચાર વહ-બંધ આદિ છે. વધ કરે, બંધનાદિ કરે તેથી તેના પ્રથમવ્રતને બાધ શું હતો કે શાસ્ત્રકારોએ અતિચાર કીધા ? કારણ પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી, પણ પ્રતિજ્ઞા વખતે સર્વ પ્રકારના-છકાય જીવના વધથી વિરમણ થાઉ એવા શુભ ઇરાદા પૂર્વક આ પ્રતિજ્ઞા કરેલ છે તેથી અતિચાર કહેલ છે. કહેવું પડશે કે વધબંધાદિ કરતાં પણ મરણ ન હોય તો દેશવિરતિ પૈકી પ્રથમવ્રતને વાંધો નથી, પણ તે અણુવ્રત મહાવ્રતના સાધ્યપૂર્વકનું છે. તેથી પ્રથમવ્રતને વાંધો આવતો નથી પણ મહાવ્રતના સાર્થવાળો યત્કિંચિત કિલામણા થઈ તે પણ ઠીક ન થયું એમ અનુભવતા શ્રાવકને તે અતિચાર કીધા, તેવી રીતે બારવ્રતમાં સમજી લેવું, અર્થાત્ સર્વવિરતિનું સાધ્ય દરેક વ્રતમાં છે. જાઓ- યોગશાસ્ત્ર મૂળ-ટીકા, ત્રિષષ્ઠી શલાકાપુરૂષચરિત્ર.
પ્રશ્ન. ૧૯ અઢાર પાપસ્થાનક પૈકી પાંચનાજ પચ્ચખાણ કરવાનું વિધાન કેમ ? શું બીજા પાપસ્થાનકોથી પાપ લાગે નહિ ?
સમાધાન- અઢારપાપ સ્થાનકથી પાપ તો લાગે, પરંતુ પાપનો પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મભાવનો નાશ કરવામાં આ પાંચનેજ હથિયારો તરીકે શ્રીતીર્થંકરદેવોએ દેખ્યા અને પ્રરૂપ્યા કે જે (હિંસા-મૃષા-અદત્ત-મૈથુનને પરિગ્રહ) પાંચે પાપવર્ધક હથિયારને ગણધર ભગવાને ગ્રંથોમાં પચ્ચખાણ કરવા ગુણ્ડિત કર્યા છે; દૃષ્ટાંત તરીકે જીવલેણ હથિયાર જેવાં કે તરવાર, બંદુક, રાઇફલ વિગેરે હથિયાર બંધ કર્યા હોય તો તેથી નિઃશસ્ત્ર એવી કોઇપણ દેશની પ્રજા પર જ્ય મેળવી શકે છે. વસ્તુતઃ છરી, ચપ્પ, કાતર, છરા, ધારીયા, કુહાડી, લાઠી વિગેરે હથિયારો સરકારે જે જીવલેણ હથિયારો માટે પરવાનો રાખ્યો છે તેવો પરવાનો બીજા નજીવા હથિયાર (છરી, ચપ્પ વિગેરે) માટે રાખ્યો નથી, કારણ તે બધા પ્રાયઃ જીવલેણ નથી; બબ્બે અમુક અંશે શરીરના અમુક વિભાગને હાનીકારક તો છે. આત્માના અસંખ્યાત પ્રદેશ અને એક એક પ્રદેશ પર અનંતી કર્મવર્ગણાઓને આવતી રોકવામાં પ્રતિજ્ઞા એ અનુપમ સાધન છે, તેવી રીતે તીર્થંકરદેવોએ પાંચ પાપની પ્રતિક્ષારૂપ પરવાનો લેનારને ઘણા પાપો રોકાઈ જાય છે એ બાકી રહેલ પાપસ્થાનકધારા એ જે આવે છે તે પાપો ઘણાં જાજ છે.