________________
૧૪૦
શ્રી સિદ્ધચક
તા.૧૦-૧૨-૩૩ ૧૦. માંસભક્ષકમાં સમ્યકત્વનો નિષેધ નહિ માનનારે સર્વવિરતિ દેશવિરતિને સમ્યકત્વ ના ગ્રહણ કરે તો પણ અભક્ષ્ય ત્યાગ કરાવવાના ઉપદેશનો ક્રમ વિચારવો જોઈએ. સ્વતંત્ર પરિણામને માટે જાંદી વાત રખાય.
૧૧. અસતિપોષણ એ ભોગપભોગવ્રતમાં પણ કર્મથી અતિચાર છે, તેથી અનાચારીઓને તેના અનાચારથી આજીવિકા મેળવવા માટે પોષવા તે અતિચાર ગણાય; પણ દયા કે અનુકંપા, રક્ષણ કે પોષણ એકકે અતિચાર નથી.
૧૨. મનની સામાન્ય શક્તિ તો અસંશીમાં પણ છે, માત્ર સારીને વિશિષ્ટ મનશક્તિ ન હોવાથી અસંશી ગણાય છે.
૧૩. શ્રુત જ્ઞાનનું સ્મરણ શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ગણાય છે. કેવલજ્ઞાનવાળા અંતર્મુહૂર્તથી વધારે આયુષ્ય હોય તો દીક્ષા લે એમ પ્રવચનસારો દ્વારા વગેરેમાં લખે છે. ૧૪. કુપુત્ર માતાપિતાના પ્રતિબોધ માટે કેવળી થયા છતાં ઘરે રહ્યા છે. શ્રીકલ્પસૂત્રના મૂલમાં ઉચ્ચ અને નિચગોત્રની વ્યાખ્યા છે એમ કહેનારે મૂળ જોવાની જરૂર છે.
(જૈન. ધ. પ્ર.) ૧. શ્રીકમળપ્રભા આચાર્યે પ્રમાદથી બચાવ માટે સ્યાદ્રાદ શબ્દ વાપરીને બાંધેલું તીર્થકર નામકર્મ ગુમાવી દીધું, અને અનંતો સંસાર ઉપજનું કર્યો. સ્યાદ્વાદ શુદ્ધતત્ત્વની પ્રાપ્તિ માટે, નહિ કે કરાતા પાપથી ખોટી રીતે બચવા બચાવવા માટે.
(પાટણ.) (અનુસંધાન ૧૪૩ મા પાના પરનું) પ્રશ્ન ૨૪- આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ?
સમાધાન- છજીવની શ્રધ્ધા, પ્રવૃત્તિને પરિહારાદિના પરિણામની તપાસ માટે પણ માલમ પડે તો વદાય કરવાનો નથી, ગ્રેડ કે પ્રમોશન વધુ મેળવી ન શકે તો નોકરીમાંથી વિદાય ન થાય બે પ્રકારની દીક્ષામાં સાધુપણાની જવાબદારી સરખી છે.
પ્રશ્ન ૨૫- શું વડી દીક્ષા પહેલાં અને દીક્ષા થયા પછી છમાસી વિગેરે પરીક્ષાઓ છે ને તે કયા શાસ્ત્રોમાં છે ?
પંચવસ્તુ ગા. ૫૮૯ પરીક્ષા સંબંધી, , ૨૨૯ પ્રવ્રજયા લીધા પછી પ્રતિદિન ક્રીયા અધ્યયન. , , ૫૮૧ કાલપ્રાપ્ત અને સૂત્રાધ્યયન. , , ૬૧૦ પ્રતિદિન ક્રીયા પછી વ્રત સ્થાપનાને યોગ્ય. , , ૬૧૪ સૂત્રાધ્યયન, અર્થાધિગમ, પરિહાર પછી ઉપસ્થાપનાને લાયક.
પ્રશ્ન ૨૬- પહેલી દીક્ષા લીધી હોય અને તેથી જે જે બાબતોની જવાબદારીઓ આવતી હોય તેના કરતાં વડી દીક્ષા લીધા પછી કાંઈ વિશેષ જવાબદારીઓ આવે છે ? જો આવતી હોય તો પહેલાં કઈ ઓછી ? અને બીજામાં કઈ વિશેષ?
સમાધાન- વડી દીક્ષાથી પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, વસતિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સૂત્ર, અર્થ, ભોજન અને કાલગ્રહણ આદિમાં લાયક થાય; પણ સાધુપણાની જવાબદારીમાં વિશેષ નથી. વસ્તુતઃ જડજ વિગેરે અધિકારીની નિમણુંક પ્રેક્ટીસ કર્યા પછીથી જ થાય છે, એવું સંભળાય છે, તેવી રીતે એ પણ અમુક કાર્યની પ્રેકટીસ કર્યા પછી અમુક અધિકાર સોંપવા માટે છે.