________________
તા. ૧૦-૧૨-૩૩
૧૩૫
શ્રી સિદ્ધચક્ર ફો હો હો હો હો હો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
હો હો
હો
હો)
સાગર સમાધાન ફિ વફા ન તો
નહિ કરે તો તે છે કે પ્રશ્ન ૫૯૯- સામાન્ય સાધુઓ જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હોઇ ધર્મનો ઉપદેશ આપે છે, તો ભગવાન તીર્થકરો દીક્ષા લીધા પછી અને કેવળજ્ઞાન પહેલાં ચાર જ્ઞાનવાળા છતાં કેમ ઉપદેશ આપતા નથી?
સમાધાન- શ્રીતીર્થકરોનો કલ્પ છે કે બીજાની નિશ્રાએ તે ઉપદેશ દે નહિ, અને જે ઉપદેશ દે તે કેવળજ્ઞાન પછીજ દે, કારણકે તીર્થકરોને અર્થથી આત્માગમ હોય, અને તે કેવળજ્ઞાન પામ્યા પછી જ હોય છે, જ્યારે સામાન્ય સાધુઓ બીજાની નિશ્રાએ ઉપદેશ દે છે; અને તેઓનેજ અનંતર કે પરંપરા આગમના આધારેજ ઉપદેશ દેવાનો હોય છે. પરંપરાથી આવેલાં શાસ્ત્રીય (આગમસંબંધી) જ્ઞાનને પરંપરાગમ કહેવાય છે. જેઓ પોતાની ગુરુપરંપરાને પરંપરાગમ જણાવે છે તેઓ પરંપરા અને પરંપરાગમનો ભેદ સમજ્યાજ નથી.
પ્રશ્ન ૫૯ હિંસાના સુપચ્ચખાણ, અને હિંસાના દુઃપચ્ચક્કાણ એટલે શું ?
સમાધાન- સાધુની અપેક્ષાએ આ જીવ છે, અને અજીવ છે, શ્રાવકની અપેક્ષાએ આ ત્રસ છે આ સ્થાવર છે એટલી સમજણ આવે અને પચ્ચકખાણ કરે તે હિંસાના સુપચ્ચકખાણ અને તે સમજણ સિવાયના પચ્ચકખાણ તે દુઃપચ્ચખાણ કહેવાય.
પ્રમ ૫૯૮- જગતમાં લોકો કહે છે કે “કરશે તે ભોગવશે”એ કહેવત જૈન સિદ્ધાંતને શું અનુસરે છે?
સમાધાન- જૈન સિદ્ધાંતની માન્યતા પ્રમાણે તો યોગની અપેક્ષાએ કરશે તે ભોગવશે, અને અવિરતિની અપેક્ષાએ નહિ કરશે તે પણ ભોગવશે, અર્થાતુ કરશે તે ભોગવશે તેના કરતાં એક અપેક્ષાએ નહિ કરનાર પણ અવિરતિ હોવાથી ભોગવશે, એટલે જેઓ અવિરતિ કે અવિરતિનું સ્વરૂપ કે તેનાથી થતો કર્મબંધ ન માનતા હોય તેઓ કરશે તેજ ભોગવશે એમ માની શકે, પણ જૈન શાસનની શ્રદ્ધાવાળાઓ અવિરતિ અને તેના કર્મબંધનોને માનતા હોઈ કરશે તે ભોગવશે એમ એકાંતે માની શકે નહિ. અધમકંપનીના આંધળીયા શેરહોલ્ડરો ઘેર બેસી રહે તો પણ તેમની આબરૂનું ભરબજારમાં લીલામ થાય, તેવી રીતે અવિરતિનું પાપ વગર કર્યા પણ ભોગવવું પડે છે. જેમ એક ગુમડું થયું-થયું તે સારું થયું એવું વિચાર્યું નથી, તે થાય, વધે અગર વધારવા સંબંધી વચન ઉચ્ચાર્યા નથી, તેમજ તેના અંગેની સામગ્રી મેળવવા માટે કાયાએ જુદો પ્રયત્ન કર્યો નથી, છતાં શારીરિક પુષ્ટિ માટે લીધેલા ખોરાકમાં ગુમડાનો અમુકભાગ પોતાના માટે લીધેજ જાય છે. તેવી રીતે દરેક ક્ષણે આત્મા યોગથી જે કર્મ લે છે તેમાં અવિરતિરૂપ વિકારને પોષણ પણ દરેક ક્ષણે મળે છે. જેમ તે ગુમડું મટે ત્યારે જ તે વિકારનું બંધ થવું થાય છે, તેવી જ રીતે મહાવ્રતો આદિથી અવિરતિનો નાશ કરવામાં આવે તો જ અવિરતિથી આવતાં કર્મો બંધ થાય.
પ્રશ્ન ૫૯૯-થાપના શબ્દની વ્યુત્પત્તિ કરતાં (ાતે તિ સ્થાપના) એમ કહેવાય છે. સ્થાપનાનો અપલાપ કરનારાઓ કહે છે કે શાશ્વત સ્થાપના માટે તમે કઈ વ્યુત્પત્તિ લાગુ કરશો, કારણ હાલ જે વ્યુત્પત્તિ કરો છો તે હિસાબે તો કોઈપણ વ્યક્તિ દ્વારાએ કોઇપણ કાળે સ્થાપના થયેલ માનવી પડશે. અગર સ્થાપનાની વ્યુત્પત્તિ ફેરવવી પડશે તેના જવાબમાં રીતસરની દલીલ શી ?