________________
૧૩૪
તા.૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર કેવા ભક્તો કે દેવતાને નાગા કરો, એ કરતાં તો સ્થાપનાત્મક પત્થરમાંજ વેષ છે. વસ્ત્ર લંગોટ ચાહે તે કહો પણ પત્થરમાંથી આકાર ભગવાન જેવો બનાવ્યો અને તેવોજ ભગવાનને અનુસરતો પત્થરનો દેખાવ હોવા છતાં પણ જેમ તેમ બકવું તે તેમને મુબારક હો ! અફીણની ટેવ હવે લો. અફીણની ટેવમાં રાત દિવસ મસ્ત રહેલો દુધપાકના સ્વાદને ગણે જ નહિ. ગુરુને અંગે એટલે જૈનગુરૂને અંગે બીજું કશું કહેવાયું નહિ ત્યારે કલ્પનાકરી કે અમારામાં ગૌતમ નામના રૂષિ હતા. બધા બ્રાહ્મણનો નિભાવ ગૌતમરૂષિએ કર્યો. હવે તેનો ઉપકાર માનવો પડશે, માટે કંઇ ઉપાય કર્યો કે ગાય ગૌતમ પાસે મોકલી. ગૌતમને ગાયે અડચણ કરવાથી તેણે તણખલું નાનું, પુંછડું કપાઈ ગયું અને તેથી ગાય મરી ગઈ તેથી બધાએ ગૌતમ “ગૌહત્યારો” કહી દીધો. ગૌતમે પુંછડું લઈ લીધું, અને પેલી તપણી રાખી તે ગાયના આંચળ સદેશ તરપણી રાખી. જેણે તમને બારવર્ષ દુકાળમાં ગુજરાન આપ્યું અને જીવાડયા તેને માથે ગૌહત્યાનું કલંક આપ્યું. ખરેખર ! તમારા જેવા નીચ કોણ? તમારું મોં જોયા પાપ લાગે કે નહિ ? ગાયના પુંછડાને આને સંબંધ નથી, નહોતો છતાં કાલ્પનિક ગોઠવ્યો ગાય મરે કયારે ગળું કાપે તો? અર્થાત્ કઈ વખતે ગાય મરે? સવારે માળા ગૌમુખમાં નાખી ગણો છો? કહેવું પડશે કે હા, અને ગૌમુખ એટલે ગાયનું ડોકું કાપનારા તમે. આંખો માં શીંગડું બધું છે, અને હતું છતાં ડોકું કાપનારા કોણ? આગળ ચાલો ? ગાયના આંતરડા કાપી ગળે નાખનારા તમે અર્થાત્ સૂતરના તાંતણાને ગાયના આંતરડા તરીકે તમે જણાવો છો. નાક કેમ ન કરો છો હજુ આંતરડાની ગંધ ગઈ નથી, તો તમે શું જોઇને અહીં બોલો છો. આ તો અવળું બોલી સાચા ધર્મની નિંદા કરો છો તેથી અમારે આટલું બોલવું પડે આ તો મનઃ કલ્પીત કાઢેલું છે. એને અને ગૌતમસ્વામીને કોઈ જાતનો સંબંધ નથી. તેમને તો રોટલા માગી ખાવા છે, તેટલા માટે ધર્મમાંથી કંઈક કાઢીને માગી ખાય છે. દેવગુરૂને આવી રીતે નિંદે છે. ધર્મને અંગે બોલે છે કે તમારો ધર્મ પાળે તો જીવી શકાય નહિ. તમારા જીવનને આધારે ધર્મની કિંમત કરવી છે. સ્વરૂપે કિંમત કરવી નથી. આજકાલ લુચ્ચાઈ ન કરે તો ટકી શકે નહિ. શાહુકારી રીતિએ સત્યને ધર્મ માની શકાય છે. સગવડીયા પંથીઓ ! યાદ રાખજો કે દુનીયાની સવડ જમાને જમાને જુદી થવાની, એટલે વાસ્તવિક ધર્મમાં તમે આવી શકવાના નથી. તો તે ધર્મની પરીક્ષા બેને બે ચાર જેવી પરીક્ષા કેવી રીતે થઈ શકે. જે આત્મામાં રહેલી ચીજ, આત્માની માલકીની, કબજાની એવી ચીજને વ્યવહારમાં મુકવા માગો તે કેવી રીતે આવી શકે ? મોતીનું પાણી, હીરાનું તેજ, ઝવેરીજ જાણી શકે. અંધારામાં હીરા મોતીને પત્થર કે કાચમાં ફરક નથી, કપડું અડકાડે તો મોતીના પાણીમાં લુગડું લીલું થતું નથી, તો તેમાં પાણી નથી માટે આ બેમાં ફરક નથી. માટે આવી રીતે કલ્પિત પરીક્ષાઓ કરતા હોય તેવા માટે ધર્મનો રસ્તો નથી. ધર્મનો રસ્તો, આત્માનો ઉન્નતિમાર્ગ અને આત્માના મૂળ ગુણો સમ્યકત્વ જ્ઞાન દર્શનવાળો સમજે, તેમાં કેટલી ઓછાશ છે તે સમજે, તેથી લૌકિક લોકોતર દ્રષ્ટિએ ધર્મની કિંમત સમજે, અને તેથી શ્રાવક પોતાની ઓછાશ કેમ સમજે છે તે આગળ કહેવાશે. યાદ રાખવું કે ધર્મને પારખવાની રીત જુદીજ છે, અને તે ધર્મ તે તે ઈદ્રિયોદ્વારા પારખી શકાતો જ નથી.