________________
૧૩૩
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સાથે ધસો એટલે માલમ પડે, પણ મનુષ્ય હોય કયા રૂપમાં, અને કયા રૂપમાં પોતાના સ્વરૂપને બતાવે; વિચાર કાંઈ અને કહે કાંઈ તેની પરીક્ષા કરવી મુશ્કેલ છે. વિશવર્ષ સુધી રાખેલો નોકર તે કઈ વખત લાત મારનાર નીકળે છે તે જગતમાં પ્રત્યક્ષ દેખો છો, અર્થાત્ તે નોકર પોતાના સ્વરૂપને છુપાવી શકે છે, તેથી તેની પરીક્ષા બાહ્યસ્વરૂપથી થઈ શકતી નથી. વળગ્યો તે વળગ્યો.
જેનું સામાન્યતઃ અત્યંતર અને બાહ્યસ્વરૂપ હોવાથી પારખવા મુશ્કેલ પડે છે, તો ધર્મ જેવી અત્યંતર અને અદશ્ય ચીજ પરખાયજ કેમ ? ધર્મ એ આ જીવને એક અફીણ જેવો લાગે છે. અફીણથી હંમેશ ભડકતો રહે, ડરતો રહે પણ તે અફીણની ટેવ પડી ગયા પછી અફીણ છોડવા માંગે તો પણ છુટે નહિ, તે જેમ અફીણીયાઓને અનુભવ સિદ્ધ છે, તેમ ધર્મ પ્રથમ અફીણ જેવો લાગે છે. દરેક ધર્મને અંગે પ્રથમ મુશ્કેલીથી અફીણની જેમ ગળે ઉતરે, કડવું લાગે, તેમ પહેલા ધર્મને ભયંકરમાં ભયંકર દેખે અરૂચીથીજ દ્રષ્ટિ રાખે. એ અફીણનો વ્યસની થાય પછી ન મળે તો ટાંટીયા ઘસે. ચાહે તો સાચો કે ખોટો ધર્મ વળગવો મુશકેલ અને વળગ્યો તે વળગ્યો પછી તો છુટવોજ મુશ્કેલ. ધર્મ એ એક સાધ્યરૂપે, ગુણકારકરૂપે તેમજ આદરણીયરૂપે નથી રહેતો પણ વ્યસનરૂપે થઈ જાય છે. અફીણનો વ્યસની તેના અવગુણ દેખે નહિ તેમ અધર્મમાં દોરાયેલો આખી જીંદગી અધર્મ કરે તો પણ તેને કંટાળો આવે નહિ. અફીણીયાને અફીણ ન મળે તે વખતે કંટાળો આવે છે એજ બીના ધર્મની પ્રાથમિક અવસ્થામાં પ્રાયઃ થાય છે. તમારી પ્રશંસા તો દુર રહી પણ ઉલટા તમને વગોવે અને કહે કે તમારા ઉપવાસે તો પેટ બાળ્યું તેણે ગામ બાળ્યું. પેટના જીવ મરી જશે. અફીણીયો ટાંટીયા ઘસે તેને પકવાન સોહાય નહિ, અર્થાત્ યેનકેન પ્રકારે પહેલું અફીણ પછી પકવાન, પહેલા અફીણ જોઇએ. પહેલા તો ફુલાચાર થતો ધર્મ ટેવાઈ ગયેલાઓને જોઇએ છીએ. કેળવ કાલ્પનિક સંબંધ.
તપસ્યા કરનારા પેટને બાળતા નથી, પણ આત્માના કર્મોને બાળે છે. અફીણ વગર ટળવળતો હતો તે વખતે પકવાનનો ગુણ સમજે નહિ. મરે તો પણ પેટની વિષ્ટા સુકાતી નથી, અર્થાત્ મળ તો ચાલુ રહે છે. એકવખત એકવીશ ઉપવાસ કરો તો પણ અંદર મળ છે; તો જીવ ક્યાં મરવાના? જેઓને કુળમર્યાદાથી તપસ્યા સાથે વેર છે તેવાઓને વેર કેળવવું છે. તમારી દરેક ક્રિયાને વગોવનારા તો વગોવે છે. ભગવાનને તમે વીતરાગ, શાંત, સ્વરૂપ માન્યા, પર્યકાસને, ત્યારે તેમાં કંઈ ને કંઈ કહેવું ન જડ્યું તેથી ભગવાનને નાગાદેવનું દૂષણ દે છે. વેશ્યા સતીને શું જોઈને મેણું દે છે. સતીને લવલેશ કલંક નથી છતાં તે ઉપર મેણું શું જોઈને વેશ્યા દે છે. પર્યકાસનવાળાને નગ્નપણાનું કશું ચિન્હ નથી. નાગાદેવ કહેનારા ધાગા પંથીઓને કહેજો કે તમે પૂજા કોની કરો છો ? બોલતા બંધ થાય
તો જવાબમાં ઉઘાડાલીંગની યોનીની પૂજા કરનારા તમે શું જોઈને જીનેશ્વરને માટે નાગાદેવ આદિ | શબ્દો બોલો છો ? તમારા ભગવાનનો વેષ ઉતારી નાગા કરો છો કે એનો એ વેષ રાખો છો? તમે