________________
૧૩૨
તા.૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર વિગેરેનો વિચાર થાય છે, પણ લુગડું ન દેખો તો રંગ કે પોતનો કેવી રીતે વિચાર કરવાનો? લુગડું ન દેખે તેને રંગ કે પોતાનો વિચાર કરવાનો હોતો નથી. આપણે આત્મા ન દેખીએ તો તેના ગુણોનો વિચાર આત્માને દેખનારા સર્વજ્ઞને આધિન કરવાનો છે. જો સર્વજ્ઞોજ જાણે તો તે આત્માના ગુણો તેના પ્રતિબંધકો, તેને ખસવાના કારણો, તેથી થતી શુધ્ધ અવસ્થા આ બધું સર્વજ્ઞ સિવાય બીજો કોણ જાણે ? અસલી અને નકલી. | નાટકના થીયેટરમાં સેંકડો નાટક ગામેગામ ભજવાય પણ તેનો અસલી એકજ આદમી હોય. જોનારાએ જોવું જોઇએ કે આ અસલી દેખું છું કે નાટક દેખું છું એવી રીતે સર્વ કહેલા સત્ય ધર્મની નકલો કરી કંઈક છઘ0ો આત્માને નહિ જાણનારા છતાં આત્માના પ્રતિબંધક, તેના ક્ષય, તેથી થતી અવસ્થાઓને પણ નહિ જાણનારા એવાઓએ જે ધર્મ જાહેર કર્યો તે નાટકીયાનો ધર્મ. એક અસલી ધર્મ,બીજો નાટકીયો ધર્મ. કેટલાક એવા ભક્તો છે કે જેવા ખુદ કૃષ્ણને પગે લાગે તેમ નાટકીયા કૃષ્ણને પણ પગે લાગે છે. તરગાળા કૃષ્ણનો વેષ લઈને આવે તે વખતે બધા હાથ જોડી નમસ્કાર કરે છે. જેઓ નાટકીયા કૃષ્ણને નમસ્કાર કરવા તૈયાર થાય, અને તેવા નાટકીયા ધર્મમાં દોરાય તેમાં આશ્ચર્ય શું? ધર્મ એ રૂપ, રસ, ગંધ સ્પર્શવાળો પદાર્થ નથી તેની ભાંજગડ છે. જો ધર્મમાં રૂપ હોતા તો તે દ્વારાએ બધાએ પરીક્ષા કરી હોત અને અધર્મ ભર ચાલતા નહિ. સોનાને લોઢું કહેનાર કોઈ નીકળ્યો નથી. “નાઈવાળ કેટલાં કે આગળ પડે એટલા એવી રીતે સોનાને લોઢું કહેવા જાય તો લોઢાના ભાવે સોનું આપવું પડે. તરત બેસી જવું પડે. જગતની વ્યવહારની ચીજોમાં આડો અવળો જાય તો વ્યવહારવાળો મનુષ્ય ફાવે નહિ, ધર્મમાં બધા ફાવ્યા છે. જેને જે મન થયું તેની પાછળ બધા ઝુકયા ! ધર્મ વ્યવહારની ચીજ નથી. દુનિયાદારીમાં વ્યવહારની ચીજની પરીક્ષા માટે અર્ધી મિનિટ. મીઠું કે કડવું, સોનું કે રૂપું, સારો અવાજ કે ખરાબ; તે પાંચે ઈદ્રિયોના વિષયોની અર્ધી મિનિટમાં પરીક્ષા થઈ શકે, તેથી તેમાં કોઈ જૂઠું ચલાવી શકતો નથી. તેમાં સર્વને એક રસ્તે આવવું પડે. બેને બે ચાર તે વાત વ્યવહારમાં છે, પણ ધર્મમાં નથી. પરીક્ષાની મુશ્કેલી.
આ ધર્મ કે અધર્મ, આશ્રવ કે સંવર, નિર્જરા કે મોક્ષ માનવા તે બેને બે ચાર જેવી વાત નથી. આ બારિક વાત છે, તેથી બારિક બુદ્ધિ ન હોય તો તે ગોથાંખાય તેમાં નવાઈ નથી. પદાર્થ પોતાનું સ્વરૂપ છુપાવવાવાળા નથી, પણ જે પોતાનું સ્વરૂપ છુપાવે તેવાની પરીક્ષા કરવી તમને જ મુશ્કેલ છે. અંદર પિત્તળનો ઘડો હોય અને તે ઉપર સોનાનું પતરું હોય તો તેની પરીક્ષા કરવી પણ મુશ્કેલ પડે છે. મોતીમાં અંદર કેવું પડે છે તેની પરીક્ષા કરતાં નવનેજા પાણી ઉતરે છે. એક મોતીની કિંમત એક ઝવેરી બે, પાંચ, સાત, દસ, હજારની જુદી જુદી કિંમત કરે છે. જેનું સ્વરૂપ છુપું તેની પરીક્ષા કરવી મુશ્કેલ, સ્વરૂપ ખુલ્લું હોય તેની પરીક્ષા કરવી સહેલી, પણ ગુણ સ્વભાવવાળાની પરીક્ષા કરવી મુશ્કેલ છે. દુનિયામાં તમે બોલો છો કે સોનું લેવું હોય તો કસીને લેજો, પછી આગળ શું? માણસ જો જો વસીને. આનું કારણ? સોનું પોતે પોતાનું સ્વરૂપ છુપાવતો નથી, અને તેથી જ પત્થર