SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ તા. ૧૦-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર તારી દ્રષ્ટિએ રૂપી છતાં ન દેખાય તો પછી આત્મા જેવો પદાર્થ અરૂપી ન દેખાય તેમાં નવાઈ શી? પણ એ ખાત્રી કયારે થાય ! અરૂપીની ઓળખાણ. અરૂપી પદાર્થ હોય એ પુરવાર થયા પછી આત્મા અરૂપી હોઈ શકે તેવું માની શકીએ. આંધળો કહેવા માંગે છે કે હું દેખું તો માનું. એને પ્રતિતિ કયે રસ્તે કરાવવી? એને સ્પર્શદ્વારા એ પ્રતિતિ કરાવીએ પણ રૂપાલારા એ પ્રતિતિ કરાવી શકીએ નહિ. તોલો ચાંદી અને તોલો સોનું બે હાથમાં લો અને તેનું માપ કેટલું ને વજન કેટલું તે બોલો? આ ચાંદી અને આ સોનું એમ પ્રતિતિ થાય, સ્પર્શન ઈદ્રિયદ્વારા એ સોનું રૂપું તેનો ભેદ સમજાવી શકાય, પણ બીજો વિષય સમજાવાનું યા દેખાડવાનું કામ સ્પર્શનનું નથી. આંધળો જેમ રૂપ દેખવા લાયક નથી તેમ આખું જગત એ અરૂપી પદાર્થ દેખવા માટે લાયક નથી. અરૂપી સર્વજ્ઞજ જાણે. તે સિવાય અરૂપીને કોઈ જાણી શકે નહિ. મતિજ્ઞાન પણ રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિદ્વારા એ શ્રુતજ્ઞાન વચનાદિદ્વારા એ, અવધિજ્ઞાન તે તે રૂપી વિષયોદ્વારા એ, મન:પર્યવ જ્ઞાન પણ મનના પુગલ દ્વારા એ પ્રવર્તે છે. ચારે જ્ઞાનમાંથી એકે જ્ઞાન અરૂપી પદાર્થ દેખનાર નથી. આંધળાને આંખો ન આપી શકીએ, રૂપ ન દેખાડી શકીએ, પણ સ્પર્શદ્વારા એ ખાત્રી કરાવી શકીએ. ઉંચી કરેલી આ વસ્તુને (ડાબડીને) બધા દેખો છો. હવે આ વસ્તુને ખસેડશો નહિ અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ ચારે વસ્તુ કાઢી લો? મૂળવસ્તુ ન ખસેડશો. મૂળવસ્તુ ખસેડ્યા સિવાય રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને કાઢી નાખો ? પછી શું રહે? ગુણ કાઢી નાખવાનું કહું છું. તેને ધારણ કરનારો ગુણી લઈ લેવાનું કહેતો નથી. ગુણી એ જુદી ચીજ છે માટે ગુણો કાઢી લો. ગુણીગુણની ગહનતા. ગુણો ગુણી વગર હોય નહિ તો ગુણ કેવી રીતે લઈ શકીએ? તમે કલ્પનાથી ગુણ કાઢી લો. ગુણીને છોડીને ગુણ રહેતા નથી, તેવી રીતે ગુણો પણ ગુણીને છોડી રહેતા નથી. એ વાત કબુલ, પણ આંધળાને ભારે હલકાપણું સમજાવે તેમ સ્પર્ધાદિ ચાર ચીજ કાઢી લો. આજની શોધથી પરિચિત થયેલા ન કઢાય તેમ નહિ કહી શકો. વીજળી અગ્નિના પદાર્થને અંગે ઉભો થાય છે. તમારા ગ્લોબમાં વીજળી સળગે છે. પાણી પડે છતાં ગ્લોબને અડચણ આવતી નથી, અર્થાત્ ઉષ્ણ સ્પર્શની ખરાબી કરતી હતી, તે ઉષ્ણ ગુણ ખસેડી ગુણોમાં ફેરફાર થઈ શકે છે એ આ ઉપરથી સાબીત થાય છે. જે તમે આમાંથી ઉષ્ણ ગુણ ખસેડી પછી જેમ ઉષ્ણ ગુણ દેખાતો નથી તેમ રહેલી વસ્તુને આંખે દેખશો? નહિ. સ્પર્શથી અડકી શકશો? નહિ. સ્પર્શ ગયો છતાં સુંધી શકશો ? નહિ. કેમ વારૂ? ગંધાદિ ગયાં. જે સ્પર્ધાદિ ગુણવગર દ્રવ્ય રહે તે અરૂપી દ્રવ્ય. શરીરમાં અરૂપી પદાર્થ ચેતનામય રહેલો છે તે કોણ જાણી શકે ? જેમ લાલ, લીલું અને પીળું દેખતો જાણી શકે, આંધળો જાણી શકે નહિ તો જેમાં કોઈ રંગ નથી તો સર્વજ્ઞ સરખા જ્ઞાન ચક્ષુવાળા સિવાય બીજો કોણ જાણી શકે ? શાસ્ત્રકાર કહે છે કે ગુણી સાબીત થાય પછીજ ગુણ જાણી શકાય. લુગડું દેખો પછી રંગ પોત
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy