SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી સિદ્ધચક્ર તા.૧-૧૨-૩૩ સમાલોચન નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો આક્ષેપો, અને સમાધાનો અત્રે અપાય છે. શ્વેતામ્બર જૈન સાધુઓમાં ઐકમત્ય. સકલ જૈન સમાજમાં મતભેદ ગણનારાઓ દીક્ષા ઉપધાન ઉજમણાં અને પુનર્લગ્ન સંબંધી સાધુઓમાં મતભેદ છે એમ ગણતા હતા, પણ હાલ શ્રીમાનુવલ્લભવિજયજીએ પોતે જાહેર કર્યા મુજબ પોતાની સહીથી નથી જાહેર કર્યું, પણ તેમણે ભક્ત લેખક દ્વારા બહાર પાડેલા સમાચારોમાં ધિણોજ ગામના વર્તમાન જણાવતાં જણાવે છે કે શ્રીમાનુવલ્લભવિજયજી દીક્ષાની તરફેણમાં છે પણ દીક્ષાની વિરૂદ્ધમાં નથી, અર્થાત્ વડોદરા સરકારના દીક્ષાધર્મ વિરોધી કાયદાથી તેઓ વિરૂદ્ધજ છે, એટલે કે તે કાયદાની તરફેણ કરનારા શ્રીમાનુના અનુયાયી નથી કે હવેથી તે શ્રીમાનું કાયદાથી વિરોધી વલણ જાહેર કરે છે; પણ એકંદરે સર્વ સાધુસમાજ વડોદરાના અન્યાયી ઠરાવથી એકીમતે વિરૂદ્ધજ છે. વળી ઉપધાન ઉજમણા જેવામાં કરાતાં ખર્ચે તેમના શ્રોતાઓએ અને સોલીસીટરે નકામા જણાવેલ છતાં શ્રીમાનું તે ખર્ચીને ધુમાડો કે નકામો ગણતા નથી, અર્થાતુ સકલ સાધુમંડલ ઉપધાન ઉજમણા જેવાં ખર્ચીને ધર્મને ઉત્પન્ન કરનાર ટકાવનાર ને વધારનાર ગણે છે એમ હવે નિશ્ચિતપણે જાહેર થાય છે. વળી પુર્નલગ્ન સબંધમાં પંજાબની સભાએ શ્રીમાન્ પંજાબમાં છતાં મહારાજ આત્મારામજીના સાધુઓ પુનર્લગ્નના રદીયા આપતા નથી એમ જણાવી પુર્નલગ્નનો ઠરાવ ભલે પસાર કરાવવા મથ્યા હોય પણ શ્રીમાનું તો પુર્નલગ્નથી હમેશાં વિરૂદ્ધ છે એમ જણાવવાથી હવે ચોક્કસ થયું છે કે સાધુ સમુદાય એકક મતે વિરૂદ્ધ છે; અર્થાત્ નજીકમાં ભરાતું સાધુ સંમેલન દેવદ્રવ્યની બાબતમાં પણ પાલણપુરના તેમના પત્રોને આધારે કોઈ સહાય તેમ બોલે પણ શ્રીમાનું તો દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની આવકને કોઈ પણ કાલે ધોકો લગાડતા નથી ને લગાડે પણ નહિ એમ એ ભક્તદ્વારા આપેલ લેખથી ચોકખું થઈ જાય છે. તા. ક:- શ્રીમાનું વલ્લભવિજ્યજીએ પોતાના ભક્ત પાસે આ હકીકત બહાર પડાવી ઐકમત્યનો વાવટો ઉડાડયો તે કરતાં સ્વહસ્તાક્ષરથી ઉડાડયો હોત તો વધારે ઠીક થાત. સબબ તેઓએ પૂર્વે જાહેર કર્યું હતું કે મારા હસ્તાક્ષર સિવાય મેં કહ્યું છે એમ સમજવા કોઈએ દોરાવું નહીં. જૈન. અર્થદીપિકામાં યક્ષયક્ષિણીનું જે આરાધન મિથ્યાત્વ તરીકે જણાવેલ છે, તે મિથ્યાદેષ્ટિ યક્ષયક્ષિણી માટે છે, તેમજ શ્રી શાંતિનાથજી આદિ તીર્થંકરદેવોની આ લોકના ફલને માટે જો સમ્યકત્વવાળો આરાધનાકરે તો તે ક્રિયાને દ્રક્રિયા કહેવાય પણ લોકોત્તર મિથ્યાત્વ નજ કહેવાય. લોકોત્તર મિથ્યાત્વ તો શ્રદ્ધાહીન મનુષ્યો માટે છે (પ્રવચન.) જુઓ સિદ્ધચક-પ્રથમ વર્ષ પ્ર. સમાધાન ૧૪૨-૧૪૩.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy