________________
તા. ૧-૧૨-૩૩
૧૧૫
શ્રી સિદ્ધચક્ર ૯૦૧ “સાતસે રોગથી રીબાતો સગરચક્રી સર્વવિરતીપણું લે તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે” આ બોલનારી
સમજ્યા વગર દુઃખગર્ભિત વૈરાગ્યની છાપ મારનારા છે બલ્ક આંધળા છે એ કહેવું અસ્થાને
નથી. ૯૦૨ વર્ગીકરણમાં વ્યવસ્થિત કરેલા પુરૂષાર્થનો પરમાર્થ પિછાણવાની પરમ આવશ્યકતા છે. ૯૦૩ “ત્રિવસંસાધન” એ પદથી શરૂ થતાં શ્લોકના વાસ્તવિક પરમાર્થને પ્રકાશન કરવામાં કેટલાકોએ
અન્યાય કર્યો છે. ૯૦૪ અર્થ એટલે પૈસો અને કામ એટલે ભોગવિલાસ આવો અર્થ કરી દેવામાં અનર્થ છે. ૯૦૫ આત્મિય સુખનો સાચો અનુભવ તેનું નામ મોક્ષ. ૯૦૬ આત્મીય સુખ પ્રાપ્તિના સાચાં સાધનો તેજ ધર્મ. ૯૦૭ ચારે પુરૂષાર્થ પૈકી અર્થ કામ મનુષ્ય માત્ર મેળવવા જોઇએ એવું શાસ્ત્રમાં કોઈપણ જગા પર
નથી. ૯૦૮ અર્થ કામનો આંધળીઓ ઉદ્યમ સળગતા સંસાર તરફ ધકેલે છે, જ્યારે ધર્મ-મોક્ષનો ધરખમ
ઉદ્યમ સળગતા સંસારમાંથી બચાવે છે. ૯૦૯ લોકસંજ્ઞામાં લેવાઈ ગયેલાઓને ભવરૂપ ભયંકર પર્વતની વાસ્તવિક ભયંકરતા ભાસતી નથી. ૯૧૦ સર્વવિરતિધર શૂરાસરદાર ભવરૂપ ભયંકરપર્વતનું ઉલ્લંધન કરે છે, બીજાઓમાં એ શૂરાતનજ
નથી. ૯૧૧ અનાદિકાળથી લોકસંજ્ઞારૂપ સતતું પ્રવાહમાં જે પામરજીવો તણાયા કરે છે એવાઓને લોકોત્તર
સંજ્ઞાના સાચા સુર પણ શૂળ રૂપે સાલે છે. ૯૧૨ સંસારની ભયંકરતાના ભણકારા પાંચમાગુણસ્થાનક સુધી વાગે છે. ૯૧૩ ચોથેગુણઠાણેથી લોક સંજ્ઞાનું ખસવું થાય છે. ૯૧૪ પાપને પાપ તરીકે સ્વીકારવાની બુદ્ધિ થવી એ મુશ્કેલ છે, પણ પાપ કરતી વખતે પાપને પાપ
તરીકે સ્વીકારવાની અને પાપથી વિરામ પામવાની બુદ્ધિ આવવી તે એથીએ મુશ્કેલ છે. ૯૧૫ પશ્કિ સુખના અનુભવનું નામ “કામ”નો કારમો અનુભવ. ૯૧૬ પૌલિક સુખના સાધનોમાં સંડોવાવું તેનું નામ અર્થ.