________________
૧૦૨
તા.૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ખસવું પડે. આપણે સમોહી સર્વજ્ઞ ન માન્યા, પણ વીતરાગને છદ્મસ્થ માન્યા, શાથી ?, મોહનીય જાય એટલે વીતરાગ, કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી છદ્મસ્થ. વીતરાગને છદ્મસ્થ માન્યા, પણ સર્વજ્ઞને સમોહી ન માન્યા, કારણ કે રાગ ખસ્યા વગર જ્ઞાનાવરણીયાદિ ખસતા નથી.
મોહવાળો છે પણ સર્વજ્ઞ છે એમ કહી ન શકાય, મોહ વગરનો છે પણ અસર્વજ્ઞ છે એમ કહી શકાય, અને મોહ વગરનાં નથી પણ સર્વજ્ઞ છે એમ ન કહી શકાય. મોહનીયના નાશ વિના સર્વજ્ઞપણું થાય નહિ તો પછી મોહવાળાને સર્વશ માનવાનો અવકાશ નથી. આપણે જોઈ ગયા કે મોહનીય ન હોય તો જ્ઞાનાવરણીયાદિ બંધાય પણ નહિં અને ટકે પણ નહિં. મોહ ક્ષીણ થયા પછી બે ઘડીમાં સર્વજ્ઞ થાય એ નિયમ, કેમકે તેટલા વખતમાં જ્ઞાનાવરણીયાદિ જાયજ. પ્રશ્ન થશે કે બારમે ગુણસ્થાનકે મોહનીયનો ઉદય નથી તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયનો ઉદય કેમ ? ધુમાડો અગ્નિને પુંછડે બંધાયો છે. અગ્નિ હોય તોજ ધુમાડો થાય, પણ અગ્નિ હોલવી નાંખ્યો તો પણ તે સ્થાને પહેલાંનો ધુમાડો રહે છે, તેજ રીતે અહીં પણ સમજવું. અગ્નિ બુઝાયા પછી ધુમાડો માત્ર થોડીવાર રહે પણ નવો ન વધે એટલે એને શમ્યાજ છુટકો, તેવી રીતે મોહનીયનો ક્ષય થાય એટલે અંતરમુહૂર્ત ત્રણે કર્મો રહે, ને પછી નાશ પામેજ. બારમે ગુણસ્થાનકે મોહરહિત પણે રહેલો આત્મા લગભગ ૪૮ મીનીટમાં સર્વજ્ઞ થઇજ જાય. કેવલજ્ઞાન એ કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી થવાવાળું છતાં એ પણ મોહક્ષયથી થાય. પહેલાં મોહનો ક્ષય થાય પછી બારમાં ગુણસ્થાનકના છેડે જ્ઞાન દર્શનના આવરણ તથા અંતરાય એ ત્રણેનો ક્ષય થાય એટલે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. શાસ્ત્રકારોએ ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ એમ બે શ્રેણિ માની છે. ઉપશમ માટે ઉપશમશ્રેણિ, પણ મોહના ક્ષય માટે ક્ષપકશ્રેણિ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એ જેવું ચોથે ગુણસ્થાનકે તેવુંજ બારમે ગુણસ્થાનકે હોય તો ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકસુધી જીવે પ્રયત્ન શાનો કરવાનો ? બેય શ્રેણિઓ માત્ર મોહના ચુરા કરવા માટે છે. ગુણસ્થાનક ચારથી દશ સુધીના કોને માટે ?, જ્ઞાનાવરણીયના ક્ષય ક્ષયોપશમ માટે કે દર્શનાવરણીય તથા અંતરાયના ક્ષય, ક્ષયોપશમ માટે નહિ, પણ માત્ર મોહનીયના ક્ષયને ઉપશમ માટેજ, ટુંકામાં આ જીવે મોહ ક્ષય કરવા માટે ઉઘમ કરવાની ઘણીજ જરૂર છે.
સર્વજ્ઞ શાસન નહિ કહેતાં જૈન શાસન કેમ કહો છો ? ભગવાનને વીતરાગ કેમ કહો છો ? મનુષ્ય માત્રમાં બાલ્યપણાની અજ્ઞાન અવસ્થાની અને એનીજું મોટાપણાની સારી અવસ્થાની છબીમાં ફરક છે. તેરમા ગુણસ્થાનકે રહેલા સર્વજ્ઞ થઇ ગયેલા ભગવાનને બારમા ગુણસ્થાનકે સ્થિત વીતરાગપદથી બોલાવો તે સ્તુતિ કે નિંદા ? વિચારો ! ચંદ્રગુપ્ત રમે છે ત્યાં ફરતો ફરતો ચાણાકય આવ્યો છે. ચંદ્રગુપ્ત પોતે રમતમાં રાજા બન્યો છે, સાચો રાજા નથી, બીજાઓ પણ એના ગોઠીયા છે, સાચા નોકરો નથી, પણ પોતે હુકમ કરે છે. યુદ્ધાદિ કરે છે, એ ઉપરથી આ છોકરો રાજગાદીને લાયક છે એવો નિશ્ચય ચાણાકય કરે છે. જેમ અહીં બાલ્યાવસ્થામાં પણ રાજ્યને યોગ્ય લક્ષણોથી એવું માનવામાં આવ્યું, તેજ રીતે જ્ઞાનાવરણીયાદિ છતાં ત્યાં પણ વીતરાગ કહી પરમ પૂજ્ય કહી શકાય કેમકે વીતરાગ અવસ્થા એ સર્વજ્ઞપણાના બીજરૂપે છે. વીતરાગ અવસ્થા ન હોય તો સર્વજ્ઞપણું