________________
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક
૧૧
િિી જ Wિ િWિWWી ફિન્નિશ ફિશિફી)
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
આત્મીયવિકાસનો નાશક મોહ. મોહને પગે બંધાયેલી ઘનઘાતી ત્રિપુટી. મોહને માહિત કરવા માટે પ્રભુશાસનની હૈયાતી. વીતરાગપણની વાંસે આવતું સર્વાપણું. કિંમત કેળવણીની કે કમાણીની? સુખ શા માટે એ પ્રશ્ન અસ્થાને છે? પાપઘેલા થવા કરતાં ધર્મઘેલા થવામાં વડાઈ છે. પ્રશસ્તકોની શિરટોચ પર વાસુદેવ. મોહને પરાસ્ત કરવા પરાધ જન્મોની જહેમત છે. धर्मो मंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥
મોહનીયકર્મની સત્તા.
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિથી રખડે છે, અને એ વાત સમજવી આ જીવને પોતાને મુશ્કેલ છે. દારૂના ઘેનમાં છાકીને મૂછ પામેલો મનુષ્ય પોતાની અવસ્થા સમજી શકતો નથી, તો એ દશા અગર એ દશા લાવનાર દારૂ ખરાબ છે તેવું તો એ કયાંથી સમજી શકે? આ જીવ પણ એજ રીતે મોહાધીન દશા અને તેથી પોતે રખડી રહ્યો છે એજ સમજતો નથી, તો એ અનિષ્ટને દૂર કરવાનું તો સમજેજ કયાંથી? મોહને દારૂની ઉપમા આપવામાં આવી છે. આત્મીય વિકાસને નાશ કરનાર માત્ર મોહજ છે. આત્માના સ્વભાવરૂપ જ્ઞાનદર્શનને રોકનાર જ્ઞાનાવરણીય કર્મ તથા દર્શનાવરણીય કર્મ છે, વીર્યને રોકનાર અંતરાય છે; આ ત્રણે કર્મો મોહને પગે બંધાયેલા છે. મોહ હોય ત્યાંજ એ આવે, ટકે અને વધે. મોહનીય કર્મ હોય તોજ શાનાવરણીય કર્મ બંધાય. જ્ઞાનાવરણીયાદિનો બંધ દશમા ગુણસ્થાનકના છેડા લગી હોય છે. મોહનીયનો ઉદય થતાંજ જ્ઞાનાવરણીયનો બંધ થાય છે. સંક્રમણ પણ દશમા ગુણસ્થાનક સુધી, આગળ નહિ, તેમજ દર્શનાવરણીય અને અંતરાયનો બંધ પણ દશમા ગુણસ્થાનકના છેડા સુધી હોય છે. જ્યાં મોહનીય (કમ)નું જોર તૂટી ગયું કે પેલા ત્રણે કર્મોમાંથી એકકેનો બંધ હોતો નથી. મોહ જાગૃત હોય ત્યાં સુધી પેલા ત્રણે કર્મો બંધાય. એકલો બંધ ઊડી જાય તેમ નહિં, પણ તેઓની સત્તા પણ મોહનીયના જોરેજ રેહલી છે. જ્ઞાનાવરણીયાદિ ત્રણેની સત્તા પણ મોહનીય હોય ત્યાં સુધી, ને એ ખસે એટલે ત્રણેને