________________
પર થી સિત્યક
(પાક્ષિક)
અંક ૫ મો.
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામા વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
__ सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
___ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧-૧૨-૩૩ ને શુકવાર વીર-સંવત ૨૪૬૦ મૃગશીર્ષ પૂર્ણિમા.
વિકમ , ૧૯૯૦ ૦ આગમય. ૦ -: નંદીનું પારમાર્થિક સ્વરૂપ-નિક્ષેપની સુંદર પિછાણ :| નિક્ષેપની વ્યાખ્યા વગરનાં અન્ય શાસ્ત્રો. નિપાની જરૂર. ઈ પણ સૂત્ર, કોઈને પણ ઉદ્દેશ વિગેરે વિધિથી જ્યારે જ્યારે અપાય છે, અથવા અનુજ્ઞા એટલે બીજાને આપવાની આજ્ઞા કરાય છે, ત્યારે ત્યારે નંદીનો વિધિ કરવો જ જોઈએ એવું શાસ્ત્રકારનું ફરમાન છે. સૂત્રદાનના પ્રસંગ સિવાય પણ સર્વ સાવદ્ય વિરતિરૂપ પ્રવ્રજ્યા, શ્રાવકોને અનુવ્રતાદ
દાન કે સામાન્યરૂપે જ્ઞાનપંચમી આદિ વ્રતોનું આરોપણ પણ નંદીની વિધિપૂર્વકજ કરવાનું શાસ્ત્રકારો જણાવે છે. એટલે નંદી શબ્દના અર્થને, નંદીના સ્વરૂપને, અને તેના નિક્ષેપાદ્વારા જણાતા ભેદોને, જાણવાની આવશ્યકતામાં મતભેદ હોઈ શકે જ નહિ.
નોંધ - અમારા આનંદાર્થી વાંચકોને અમોધદેશના, પ્રશ્ન સમાધાનો, તેમજ દેશનામાંથી ઉદ્ધત કરેલા મનન કરવા લાયક સુધાસમાન ટૂંકાં વાક્યો અમે આપીએ છીએ, છતાં કેટલાક આનંદપિપાસુ વાંચકો દરેક આગમના સૂત્રપાઠ, તેનો સંક્ષિપ્ત અર્થ અને તેના સંક્ષિપ્ત ભાવાર્થની આકાંક્ષા ધરાવતા માલમ પડ્યા છે, તેથી અમોએ આ વિભાગ શાસ્ત્રની પંક્તિઓ, તેનો સંક્ષિપ્ત અર્થ, અને તેવાજ સંક્ષિપ્ત ભાવાર્થ સાથે આપવાનું નિશ્ચિત કર્યું છે. તેમાં વ્યાખ્યાનની શરૂઆતમાં શ્રીનંદીસૂત્રની વ્યાખ્યાની જરૂરીયાત ગણી છે. પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી પાસેથી અર્થ-ભાવાર્થ-રહસ્ય મેળવી આ વિભાગને વિશેષ, ઉપકારક બનાવવામાં, અમો અમારાથી બનતું કરવા ચૂકશું નહિ.
તંત્રી- સિદ્ધચક.