SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૧-૩૩ શ્રી કચ્છ ગતા તારા (ગતાંકથી ચાલુ) (જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર) (લેખકઃ શ્રીમાનું અશોક) (શબ્દ ચિત્ર ૨, જં.). પાત્રો પુરોહિત-એક પાલક વજકેતુ-તેનો મિત્ર. રવિકુમાર-પુરોહિતનો પુત્ર. સ્થળ-પુરોહિતના ઘરનું દિવાનખાનું. વ્રજકેતુ - કારણ એ કે એ વીર પુરુષે તો આ જગતના પાર્થિવ વ્યવહારોનો ત્યાગ કરીને શ્રીમતી ભાગવતી દીક્ષાને અંગીકાર કરી છે. અરે એટલુંજ નહિ પણ એતો જૈન શાસનનો એક મહા સિતારો થઈ પડયો છે અને પોતાની સાથે પાંચસો ઉગતા તારા સમા તેજસ્વી મુનિ મહારાજાઓનું મંડળ લઇને વીર રત્ન જગતને ધર્મોપદેશ આપતા સ્થળે સ્થળે વિચરી રહ્યા છે. મિત્ર પુરોહિત - ચંદ્રાવળા - જેણે આ જગબંધ તજીને લીધો પૂર્ણ પ્રકાશ ! કીધાં જેણે નિજ બલયને, સૌ દૂરનો નાશ ! સૌ દુર્ગુણનો નાશ કરીને, વિજય વર્યો વિષે વિચારીને ! તે વીરનું નહિ વેર વિચારો, ધર્મ સદા તમ ઉરમાં ધારો. પુરોહિત- જો એમ હોય તો તે મારે માટે આનંદના સમાચાર છે, એણે ધરેલો સાધુવેશ એ દંભ હોવો જોઇએ. મિત્ર કેતુ ! યાદ રાખ કે જ્યારે એ વિહાર કરતો આ ભૂમિમાં પગ મૂકશે ત્યારે જરૂર હું મારા વૈરનો બદલો લઈ એની સાધુતાના દંભનો પડદો ચીરી એને એના સાચા સ્વરૂપમાં જગતને બતાવી દઈશ ! વ્રજકેતુ- મિત્ર ! તારી વૃત્તિ ક્રોધથી એકદમ ઉશ્કેરાયેલી છે અને તેથી તુ સારાસારની વિચારણા ભૂલી જાય છે ! એક સાધુને સંતાપવો એમાં શું તારી શોભા છે? પુરોહિત- બસ કર ! તારા એ ઉપદેશના વચનો મારા કાનને વિષ જેવા ભયંકર લાગે છે. સ્કંધક મારો શત્રુ છે અને એને સંહારવામાં જ મારા આત્માનું કલ્યાણ છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy