SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ક તા.૧૭-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર વજકેતુ- આપને અવળી બુદ્ધિ સૂઝી છે. તેનું જ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. (૩). પુરોહિત-વજકેતુ- વૈર વૃત્તિથી વિશ્વતણું નહિ થશે કદી કલ્યાણ, વેર ઝેર દીલ નિત સેવંતા એ સમજો પાષાણ કદાપી થશે નહિ કલ્યાણ દ્વેષ સદા દીલને સળગાવે, વેર વિશ્વને ખચીત ડબાવે, રાગદ્વેષને તજી સ્વીકારો સદા મોક્ષ-નિર્વાણ; સ્વીકારો સદા મોક્ષ-નિર્વાણ, વૈર વૃત્તિથી વિશ્વતણું નહિ થશે કદી કલ્યાણ. (રવિકુમાર આવે છે.) રવિકુમાર (વંદન કરીને) પિતાજી ! અંધકની શોધમાં મોકલેલો આપનો સેવક તેના સમાચાર લઇને હાજર થયો છે. તે કહે છે કે કુમાર સ્કંધકે સાધુવેશે તેના ૫૦૦ શિષ્યોને લઇને આ નગરીમાં પ્રવેશ કર્યો છે. પુરોહિત (ગુસ્સાથી દાંત પીસતો) ઓહ? શિકાર હાથમાં આવી પહોંચ્યો છે, હરકત નહિ, હમણાજ જાઉ છું અને એ દુષ્ટના કુટીલ કાર્યનો તેને પુરતો બદલો આપવી સજ્જ થાઉં છું. (પુરોહિત જાય છે, પાછળ તેનો મિત્ર ખેદથી તેને જોઈ રહે છે. અને પોતાના મિત્રની આવી અધોગતિને દેખીને દુઃખી થાય છે.) વજકેતુ મંદાક્રાંતા જો સંસારે પરમ સરિતા ત્યાગ કરી વહે છે, તો એ મુખ નિત શરીરને રાગદ્વેષે દહે છે ! આ આત્માએ પુનિત વીરને કર્મનો ફાંસી આપી, રે ! અથડાવે ભવભુવનમાં મોક્ષ નિત્યે ઉથાપી ! છે દિક્ષા એ રાણ જગતને શાંતતા આપનારી એ ધારી ત્યાં લવનવ રહે દ્વેષની એક બારી. તો એ એવા પુનિત વીરને દુઃખ દેવાય, જો ને ! ને એ દ્રષ્ય અતિ ખુશ થતા ! ધીક્ક ! એ રાક્ષસોને. (વ્રજકેતુ જાય છે.) અર્પણ.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy