________________
co
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર હિંસા સરખી માને છે તેઓ હિંસા શબ્દનો પરમાર્થ (પરમ અર્થ, ખરો અર્થ, મુખ્ય અર્થ, પરમાર્થ એટલે વાસ્તવિક અર્થ) સમજી શકતા નથી. પહેલો વર્ગ સાફ સાફ રીતે એમ માને છે કે જેમ જેમ વધારે હિંસા તેમ તેમ ધર્મ વધારે, જેમ જેમ ઓછી હિંસા તેમ તેમ ધર્મ ઓછો ! બીજો પ્રકાર એવો છે કે તેમનું હિંસા પરત્વે લક્ષ્ય નથી. દહેરે જવું, સાધુઓને વળાવવા જવું, વ્યાખ્યાન સાંભળવા જવું વગેરે કાર્યોમાં હિંસા થાય છે ખરી પરંતુ આ શાસનમાં ધર્મને અંગે હિંસાનું કર્તવ્ય નથી. ભગવાનની પ્રતિમાજીને જેમ વધારે ફૂલો ચઢાવ્યા તેમ વધારે જીવો મરી ગયા માટે ત્યાં વધારે ધર્મ થયો છે એમ આ શાસન માનતું નથી આથીજ ઉપર જણાવેલા બંને પ્રકારોમાં ફેર છે
એ સિદ્ધ થાય છે. પ્રશ્ન પ૬૭- સાધુ પદની વ્યાખ્યા કરતાં તમે જ્ઞાન અને ક્રિયા એ બેમાં ક્રિયા એટલે ચારિત્ર મુખ્ય છે
એમ જણાવો છો. અને એ માટે તમે નિયુક્તિકાર ભગવાનનું સૂત્ર બતાવો છે કે ઘરVT
ગુડ્ડીગો સાદુ પરંતુ તેમાં મુખ્યતા ચારિત્રની છે એ શા ઉપરથી સાબીત કરો છો ? સમાધાના- સામાન્યત : એ સૂત્રનો અર્થ તો એટલોજ નીકળશે કે “ચારિત્ર અને જ્ઞાન ગુણમાં
રહેલો સાધુ” પણ જો તમે એ સૂત્રના અર્થના ઉંડા ઉતરશો તો તમારી શંકાને તમે પોતે પણ ટાળી શકશો. જે સૂત્ર તમે જણાવો છો તેમાં જરા શબ્દ પહેલાં કેમ છે અને ગુજ શબ્દ પછી કેમ છે? એના સમાધાનમાં તમે એમ કહેશો કે અલ્પ સ્વરવાળો શબ્દ પહેલો આવે અને વધારે સ્વરવાળો શબ્દ પછી આવે, પણ તેજ સાથે એનો પણ ખ્યાલ રાખવાનો છે કે અધિક પૂજનીય હોય તેજ પહેલો આવે છે અને ઓછી પૂજની તા વાળો જ પછી આવે છે. એજ રીતે વરVા એ અધિક પૂજનીય હોવાથી તે પહેલું આવ્યું છે અને ગુગ એ ઓછી પૂજનીકતાવાળું હોવાથી તે પછીથી આવે છે. વ્યવહારમાં પણ તમે જોશો કે વધારે આવશ્યકતાની સાથે પૂજનીક વસ્તુજ પહેલી આવે છે. બાપ દિકરો, મા દિકરી, શેઠ નોકર આ સઘળા સામાજીક શબ્દો છે પરંતુ તમે તેમાંએ ઝીણવટથી તપાસશો તો તમને માલમ પડી આવશે કે જેનું મહત્વ વધારે છે તેજ શબ્દ પહેલો આવે છે. અજૈનોમાં પણ એમજ છે તેમના સાહિત્યમાં પણ વિશેષ મહત્તાવાળો શબ્દ પહેલો અને બાકીના પછી આવે છે. એ ન્યાય ચારિત્ર શબ્દ પહેલો આવેલો હોઈ તેમાં મહત્તા વધારે અને તત્પશ્ચાત જ્ઞાન શબ્દ આવેલો હોઈ તેની પૂજનીકતા ઓછી