________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્નફાર:ચતુર્વિધ-સંઘ
સમાધાના: શ્વકલશાત્ર પારંગત બાગમોધ્ધારક_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
III)
HAIOR
પ્રશ્ન પદ૬- હિંસા કરવાથી ધર્મ થાય છે એમ માનીને જેઓ હિંસા કરે છે તેમનામાં અને ધર્મ કાર્યો
કરતા જે હિંસા થઈ જાય છે તેવી હિંસા કરનારાઓમાં શું ફેર છે ? અને જો તેમની
વચ્ચે ફેર હોય તો એ તફાવત કઈ રીતે છે? સમાધાન- તમે જે બે પ્રકાર દર્શાવો છે તે બંને પ્રકારોમાં આસમાન જમીનનો ફેર છે. જેઓ ધર્મને
માટે હિંસા કરે છે તેઓ તો એવી સમજણ ધરાવનારા છે કે જેમ હિંસા વધારે થાય છે તેમ વધારે ધર્મ થાય છે ! ધર્મને માટે વરસમાં ઠરાવેલે દિવસે જેઓ ગાયો, બળદો, બકરા, ઇત્યાદિ પ્રાણીઓનો વધ કરે છે તેઓ એમ માને છે કે જેમ વધારે હિંસા થાય છે તેમ વધારે ધર્મ થાય છે. આવી માન્યતા રાખીને જેઓ હિંસા કરે છે તેઓ હિંસા પરત્વે લક્ષ રાખતા હોવાથી એ હિંસાને માટે તેઓ ભાગીદાર છે. હવે બીજો પ્રકાર વિચારો ! આચાર્ય મહારાજ, સાધુ મહારાજ આવવાના હોય ત્યારે એ સમાચાર સાંભળીને સકલ સંઘ તેમને લેવાને માટે જાય છે, એ પ્રસંગે પણ પગ તળે અળશીઆ, કંથુઆ, ઝીણા જીવ કીડીઓ વિગેરે આવે છે, લીલી લિલોતરીનો કચ્ચરધાણ વળી જાય છે, કાચા પાણીનો હિસાબ રહેતો નથી અને એ રીતે હિંસા થાય છે છતાં અહીં ધર્મ રહેલો છે. અહીં ધર્મ રહેવાનું કારણ એ છે કે અહીં જે હિંસા થાય છે તેમાં હિંસા કરવાનું લક્ષ્ય નથી પરંતુ લક્ષય ધર્મનુંજ છે, આજ કારણથી આ હિંસા અને ઇશ્વરને રાજી રાખવા થતી હિંસા એ બેને સરખી ગણી શકાય જ નહિ. જેઓ આ બંને પ્રકારની