SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧ તા.૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર * શાસનપ્રેમી તરીકે ગણતા વર્ગે સાધુઓની ઉપર વિરોધીઓના થતા હલ્લાં જબરજસ્ત ઉદ્યમે પણ પાછા હઠાવ્યા છે ને દરેક ધર્મ કાર્યો આત્મકલ્યાણ માટે કર્યા છે કરે છે ને કરશે અને તેથી તેઓ શાસનપ્રેમી ગણાય તેમાં આશ્ચર્ય શું? * ધર્મને માત્ર દુનિયાદારીનું સાધન માનનારા યુવકો ગણાય છે જ્યારે દુનિયાદારીની સાહ્યબીના ભોગે પણ દેવગુરૂ ધર્મરૂપ તત્વત્રયી આરાધ્ય છે એવું માનનારાઓ શાસનપ્રેમી ગણાય છે. (સમય) * શ્રી ઉપદેશ રત્નાકર-શ્લોક મૂર્તિ-તે શ્લોકમાં અTHવાધ્યમ તત્ત્વમુવારે તે. ઇત્યાદિનો અર્થ ચક્ષુના પ્રાધ્યકારિત્વના ખંડન પ્રત્યે ઉદાસીન રહે છે અથવા ઈદ્રિયો માત્ર જ્ઞાન કરનારીજ છે પણ પદાર્થ લેનારી નથી એમ જાણી સુધામયી મૂર્તિ દેખવાથી પોતાની આંખોથી અમૃત સરવાના સુખને મેળવતા છતાં ઉદાસીન રહે છે. વિ વ્યથાયો એની જગા પર વિરવિંથો એટલે અવિરતિ પ્રત્યયિકબંધ તેને હંમેશાં થાય છે એમ જાણવું. * સો વિષયા વેશાત્ એટલે શબ્દાદિમાં આશક્તિ થવાથી વિષયોથી જે ભિનપણું ન થાય તે અવિરતિ છે. * દરેક શાસનમાં આચારાંગના પહેલાં શ્રુતસ્કંધના નવમાં ઉપધાન અધ્યયનમાં તે તે શાસનના પ્રવર્તક શ્રી તીર્થકર ભગવાનના તપ અને જ્ઞાનાદિનું વર્ણન શાસનના જીવોને અનુકરણ કરવા માટેજ વર્ણવવામાં આવે છે એ હકીકત નિર્યુકિતકાર મહારાજા સ્પષ્ટ રીતે જણાવે છે. શ્રી જિનેશ્વર મહારાજા નટની માફક ધર્મના દેશક નથી. પણ તે ધર્મ આદરીને ધર્મના નાયક બને છે; અને તેથી તેઓ અનુકરણીય ચરિત્રવાળા હોય છે અનુકરણીયતા અને વાદમાં કેટલો ફરક છે તે વિદ્વાનો સમજી શકે છે. જિનેશ્વર મહારાજા પણ ભોગને તો રોગજ માને છે. ન્યાયાચાર્ય શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ “ધ્યાતિ ધ્યેય સ્વરૂપ હોવે પછીની” એમ કહી ધ્યાતા અને ધ્યેયનું અનુકરણીયપણું જણાવે છે. પ્રણિધાનપણ તેજ છે કે જે ધ્યેયના સ્વરૂપથી પોતાને અભેદરૂપ ગણે છે. * શ્રી જીનેશ્વરોની જીવનચર્યાને જાણી માનીને મનન કરીને તેજ પ્રમાણે બીજા પણ કર્મક્ષયના અર્થીઓએ જરૂર કરવું જોઇએ એમ ભગવાન શ્રી ધર્મદાસગણીજી વગેરે ઉપદેશમાલા વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે. * પંચાસીકારો ફરમાવે છે કે જો ઉપકરણ વિના પણ નિર્દુષણ સંયમ પાળી શકે તો તેને શ્રી જીનેશ્વર ભગવાનની માફક ઉપકરણો ધારવાની જરૂર નથી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy