________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
સમાલોચના (નોંધઃ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલદ્વારાએ આ ચાલુ પાક્ષિકને અંગે કરેલા પ્રશ્નો, આક્ષેપો અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે અપાય છે.)
- સુધાવર્ષ * સડેલી સમયની સરણીથી સરી પડી સોનમાં લક્ષ્મીની લીલાની હેરના લેશમાં લીન બનેલાને
પુરિમઢ એકાસણા આયંબિલને ઉપવાસથી ઉપધાનની તપસ્યા પૂરી શકાય છે અથતુ એકલા ઉપવાસ અને આયંબીલજ ઉપધાનમાં હોતા નથી એ વાત શ્રી મહાનિશીથ તેમજ અન્ય પ્રકરણોથી પણ સિદ્ધ છતાં સડોથી સરાઈ ગયેલી શાનમાંથી સરકી જાય તેમાં આશ્ચર્ય નથી ! ચૈત્યવાસીઓ ચૈત્યથી જુદી પૌષધશાળામાં જ રહેતા હતા એ વાત નૂતન ચૈત્યવાસીની
અભિલાષાનો અંકુર જણાય છે. * ચૈત્યવાસીઓથી પહેલાં દેવદ્રવ્ય શબ્દજ નહોતો એમ કહેનારા શ્રી નિશીથ અને બૃહત્કલ્પ
વગેરેમાં કહેલ દેવદ્રવ્ય રક્ષણના શૃંગનદિત એટલે શાસનના આવશ્યક કાર્યને જાણતા કે માનતા નથી એમ ચોક્કસ સમજાય છે. ને તેવાઓ પોતાનો અવાજ બહાર પાડી શ્રદ્ધાળુઓને માર્ગથી
ચુકવે છે માટે શ્રદ્ધાળુઓએ તેવા સમયના નામે સડતાના અવાજને ઉપખવોજ ઉચિત છે. * દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણનું ફળ ચૈત્યવાસીઓ તરફથી નથી કહેવાયું પણ ચૈત્યવાસીઓની
અધમવૃત્તિને જમીનદોસ્ત કરનાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ઉપદેશપદ, સંબોધપ્રકરણ અને શ્રી ષોડશકજી જેવા ગ્રંથોમાં વાસ્તવિકપણેજ જણાવેલ છે. માટે કોઇપણ તેનો નાશ કે તેની ઉપેક્ષા કરે કે ખાઈ જવાને માટે આડી કલ્પના કરે તે શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને
અદ્રષ્ટવ્યમુખજ છે. * ઉપધાન વહેનારાતો ગુરુમુખે વિધિસર વાંચના લેતા હોઈ સૂત્રને “હુર” તરીકે બોલતા જણાયા
નથી. * ઉપધાનની માલાનું દ્રવ્ય સવીત્ર દેવદ્રવ્યમાંજ જાય છે ને તે શાસ્ત્રોકતજ છે. * જ્ઞાનખાતા વગેરેનો વહીવટ ગૃહસ્થો જ રાખે છે ને તેનો અભ્યાસ કે પુસ્તકોમાંજ વ્યય થાય
છે. જો કોઇ જગા પર બીજી રીતે કોઈ કરતો હોય તો શ્રીસંધે તેનો બંદોબસ્ત કરવો યોગ્ય છે.
એમ સંવેગી સાધુ સમુદાયનું મંતવ્ય દઢ છે. . * આજના યુવકો એકલા સોળવર્ષથી અંદરની ઉંમરવાળાની સંમતીવાળી અને પછીથી સ્વતંત્ર
વ્યક્ત દીક્ષાના વિરોધી છે, એટલું જ નહિ પણ તેઓને તો કોઈ સાધુ ગૃહસ્થ થઈ જાય તો મરણથી કાળટીયાને ઘેર થતી દિવાળીની માફક દિવાળી ઉજવાય છે અને તેથી ઉદ્યાપન ઉપધાન કે બીજી સંઘ પ્રતિષ્ઠા વરઘોડા કે સામૈયા જેવાં કાર્યો એ બધામાં ધુમાડો લાગે છે માટે તેવાઓને શાસનના વિરોધી માનવા તેમાં આશ્ચર્ય શું?