SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ર તા. ૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર * દ્વાશાંગીમાંનું કોઈ પણ કથન શ્રી જીનેશ્વર ભગવાનના આચરણને દઢ કરનારું છે પણ બાધક નથી. * શ્રી જીનેશ્વર ભગવાનના વર્તન ઉપરથી જીવાજીવાદિ પદાર્થોનું લોકાલોકનું સ્વરૂપ જાણી કે માની શકવાની વાતો અસંભવિતજ છે. પરમ તારકોનું અનુકરણ કરનારા માટે અભ્યારાદશામાં તુંબડા વગેરેની સવડ હોયતો તેથી પરમ તારકની અનુકરણીયતાનું ધ્યેય પરમતારક થનારા માટે આવશ્યક છે. * દેવતાઓ શ્રીજીનેશ્વરોની દીક્ષા વખતે શિબિકા કરે છે તે રાજાદિએ કરેલી શિબિકામાં અંતર્ભત થાય છે, દેખાવમાં રાજાદિકની શિબિકા હોય છે. * તેથતિ પમાં જતિ ને સ્થાને યત્તિ પરનાં રિ એમ કરવાથી સમ્યકશાસ્ત્રના શ્રવણાદિનો મહિમા આવશે નહિતર સમ્યગુદર્શનનો મહિમા આવશે. નીચેની વસ્તુઓ શારામાં કહેલી છતાં તીર્થંકર મહારાજની કરણીથી અનુકરણ તરીકે છે. * દીક્ષાર્થીઓ સંવચ્છરી દાન દે છે તે સૂત્રોકત નથી. * પુષ્ટાલંબને અસંયતદાન સુત્રોકત નથી ને અનુકરણીય છે. * છમાસી તપનું ચિંતવન શ્રી વીરમહારાજાનું અનુકરણ છે. * તીર્થકર શ્રી મહાવીરે સાધુઓને સવસ્ત્રધર્મનું અનુકરણ કરવા માટે સવસ્ત્રપણું એક વર્ષ અધિક રાખ્યું છે. * સર્વ તીર્થકર મહારાજાઓએ દેવદુષ્ય ગ્રહણ અનુકરણ માટે કર્યું છે. * ભગવાન શ્રી મહાવીરે સુપાત્રધર્મ નિરૂપણ કરવા માટે જ પાત્રમાં પારણું કર્યું છે. * અનુકરણ કરનારાઓની અનુકુળતા માટેજ ભગવાનશ્રી મહાવીરે નિશ્ચયથી અચિત્ત જલની પણ વ્યવહારથી તેવા નહિ ગણાતા જલની અનુજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓને કાલધર્મ પામવા દીધા તે અનુકરણને માટેજ છે. (ભાષાંતર સાપ્તાહિકાદિ) આ પાક્ષકિ ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઇએ તંત્રી શાહ પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy